AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Morbi tragedy: મોરબીની દુર્ઘટનાને એક માસ પૂર્ણ , કોંગ્રેસના આક્ષેપથી ચૂંટણી ટાણે આ મુદ્દે ગરમાયું રાજકારણ

કોંગ્રેસના ઉમેદવાર જયંતિ પટેલ દ્વારા મોરબી (Morbi) દુર્ઘટનાની માસિક પુણ્યતિથિ નિમિત્તે શાંતિ યજ્ઞનું આયોજન કર્યું હતું અને મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી. મોરબીમાં દીવાળીની રજાઓ દરમિયાન ઝૂલતા પુલ ઉપર ફરવા ગયેલા લોકો પુલ તૂટી  પડવાને કારણે કરૂણ મોતને ભેટ્યા  હતા. આ દુર્ઘટનાએ ગુજરાત સહિત સમગ્ર દેશને હચમચાવી દીધો હતો.

Morbi tragedy: મોરબીની દુર્ઘટનાને એક માસ પૂર્ણ , કોંગ્રેસના આક્ષેપથી ચૂંટણી ટાણે આ મુદ્દે ગરમાયું રાજકારણ
મોરબી ઝુલતા પુલની દુર્ઘટનાને એક માસ પૂ્ર્ણ (ફાઇલ ફોટો)
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 30, 2022 | 2:56 PM
Share

મોરબીની દુ:ખદ પુલ દુર્ઘટનાને એક માસ પૂર્ણ થયો છે જોકે ચૂંટણીના સમયે ફરી એક વાર આ મુદ્દે રાજકારણ ગરમાયું છે ત્યારે મોરબી વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જયંતિ પટેલે ભાજપ સરકાર પર નિશાન સાધ્યું હતું અને તેમણે આક્ષેપ કર્યો કે આ દુર્ઘટનાને એક મહિનાનો સમય વીતી ગયો હોવા છતાં સરકારે હતભાગી મૃતકોના પરિવારજનોને આશ્વાસન નથી આપ્યું તેમજ આ મોટી દુર્ઘટના બાદ યોગ્ય પગલાં પણ લેવામાં નથી આવ્યા. કોંગ્રેસના ઉમેદવાર જયંતિ પટેલ દ્વારા મોરબી દુર્ઘટનાની માસિક પુણ્યતિથિ નિમિત્તે શાંતિ યજ્ઞનું આયોજન કર્યું હતું અને મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

શું હતી દુર્ઘટના?

મોરબીમાં દીવાળીની રજાઓ દરમિયાન ઝૂલતા પુલ ઉપર ફરવા ગયેલા લોકો પુલ તૂટી  પડવાને કારણે કરૂણ મોતને ભેટ્યા  હતા.   આ દુર્ઘટનાએ ગુજરાત સહિત સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. . આ દુર્ઘટનામાં 135 નિર્દોષ લોકો મોતને ભેટ્યા  હતા. ત્યારે  મચ્છુ નદીમાં પડેલા  લોકોને શોધવા માટે  30 ઓક્ટોબરથી શરુ કરવામાં આવેલું સર્ચ ઓપરેશન  4 નવેમ્બરે પૂર્ણ કરવામાં આવ્યું હતું. સતત 5 દિવસ સર્ચ ઓપરેશન ચાલ્યા બાદ પૂર્ણ જાહેર કરાયું હતું.  મચ્છુ નદીમાં ડૂબી ગયેલા લોકોને બહાર કાઢવા માટે આર્મી, નેવી, એનડીઆરએફ, એસડીઆરએફ સહિત અનેક લોકો કામે લાગ્યા હતા. બે દિવસ સુધી પણ કોઈ પણ વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો ન હતો.

વર્ષો જૂનો પુલ  તૂટતા બની દુર્ઘટના

મોરબીમાં મચ્છુ નદી પર 140 વર્ષ જૂનો ઝૂલતો પુલ તૂટયો છે. આ પુલનું ખાતમુહૂર્ત વર્ષ 1879માં કરવામાં આવ્યુ હતુ. 6 મહિના પહેલા સમારકામ માટે બંધ કરાયો હતો બ્રિજ, સમારકામ બાદ બેસતા વર્ષના દિવસે બ્રિજ ખુલ્લો મુકાયો હતો. 20મી ફેબ્રુઆરી, 1879ના રોજ મુંબઇના ગવર્નર રિચર્ડ ટેમ્પલના હસ્તે થયુ હતુ પુલનું ખાતમુહૂર્ત. 3.5 લાખના ખર્ચે ઇ.સ.1880માં બનીને પૂરો થયો હતો.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">