MORBI : વાંકાનેરના રાજસાહેબ કેશરીદેવસિંહજી ઝાલાનો રાજતિલક વિધિ મહોત્સવ, સંતો-મહંતો, ક્ષત્રિય આગેવાનો જોડાયા

તિલક વિધિ બાદ રાજ સાહેબની જુના દરબારગઢથી નગર યાત્રા પ્રસ્થાન થઇ હતી. જે અમર રોડ તરફના રોડથી લુહાર શેરી, મેઈન બજાર, ચાવડી ચોક, માર્કેટ ચોક થઈ દિવાનપરામાં આવેલ અમરસિંહજી બાપુના સ્ટેચ્યુ ચોક સુધી પહોંચી હતી.

MORBI : વાંકાનેરના રાજસાહેબ કેશરીદેવસિંહજી ઝાલાનો રાજતિલક વિધિ મહોત્સવ, સંતો-મહંતો, ક્ષત્રિય આગેવાનો જોડાયા
MORBI: Rajtilak Vidhi Mahotsav of Rajsaheb Kesharidevsinhji Jhala of Wankaner (રાજમહેલ-ફાઇલ)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 04, 2022 | 5:25 PM

MORBI : વાંકાનેરના (Wankaner)નામદાર મહારાણા રાજસાહેબ કેશરીદેવસિંહજી ઝાલાની (Rajsaheb Kesharidev Singhji Zala)રાજતિલક વિધિ મહોત્સવ (Rajatilak Vidhi Mahotsav)પહેલી માર્ચના રોજથી શરૂ થઇ છે. જે આવતીકાલ (05-03-2022)સુધી ચાલવાની છે. પહેલી માર્ચથી અનેક કાર્યક્રમો ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યા છે. વાંકાનેર રાજ પરિવાર સાથે સમગ્ર પંથકમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. ગામો ગામથી સંતો મહંતો, ક્ષત્રિય સમાજના આગેવાનો અને શ્રેષ્ઠીઓ રાજ તિલક વિધિમાં જોડાયા છે. વાંકાનેરના જુના દરબાર ગઢમાં સવારે રાજતિલક વિધિનો પાવન પ્રસંગ વૈદિક મંત્રોચ્ચાર સાથે પ્રારંભ કરવામાં આવેલ હતી. જેમાં વાંકાનેર પંથકના પ્રતિષ્ઠિત મંદિરના સંતો-મહંતો, રાજના ગોર સહિત ક્ષત્રિય સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વાંકાનેરના રાજ પરિવારના આંગણે પરંપરાગત રીતે રાજ તિલક વિધિ પહેલી માર્ચના રોજથી શરૂ કરવામાં આવી છે. અનેક ધાર્મિક અને પરંપરા મુજબ વિધિ કરવામાં આવી હતી. આજે સવારે વાંકાનેરના જુના દરબાર ગઢમાં રાજતિલક વિધિનો પાવન પ્રસંગ વૈદિક મંત્રોચ્ચાર સાથે શરૂ કરવામાં આવ્યો હતો. રાજ પરિવારની પરંપરાગત તિલક વિધિ ઝાલા કુટુંબની કુવારી દીકરીબા ના હસ્તે મહારાણા રાજ કેશરીદેવસિંહજી ઝાલાને રાજતિલક કરવામાં આવ્યું હતું.

તિલક વિધિ બાદ રાજ સાહેબની જુના દરબારગઢથી નગર યાત્રા પ્રસ્થાન થઇ હતી. જે અમર રોડ તરફના રોડથી લુહાર શેરી, મેઈન બજાર, ચાવડી ચોક, માર્કેટ ચોક થઈ દિવાનપરામાં આવેલ અમરસિંહજી બાપુના સ્ટેચ્યુ ચોક સુધી પહોંચી હતી. રાજવી અમરસિંહજી બાપુની પ્રતિમાને નામદાર મહારાણા રાજ સાહેબ કેશરીદેવસિંહજી ઝાલા દ્વારા પ્રતિમાને પુષ્પહાર પહેરાવી ભાવવંદના સાથે આશીર્વાદ મેળવ્યા હતા. નગરયાત્રામાં વિન્ટેજ કાર, બગી, શણગાર સજેલા ઘોડા અને ક્ષત્રિય સમાજ તેમના પરંપરાગત પોશાક-પાઘડી અને સાફા સાથે જોવા મળ્યા હતા. તેમજ નગરજનો, સંતો-મહંતો પણ આ યાત્રામાં જોડાઈ રાજમાર્ગો પર મહારાણા સાહેબ પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી તેમજ ઠેર ઠેર જુદી જુદી જ્ઞાતિના અગ્રણી અને સમર્થકો દ્વારા બાપુ સાહેબનું અદકેરૂ સન્માન કરવામાં આવ્યું હતું.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

આ પણ વાંચો : Russia Ukraine War: એક મહિના પહેલા જ જ્યોતિષ દ્વારા કરવામાં આવી હતી યુદ્ધની ભવિષ્યવાણી, જાણો શું કહે છે રાષ્ટ્રપતિ પુતિનની કુંડળી ?

આ પણ વાંચો : Ukraine Crisis : સુરત શહેર-જિલ્લાના 91 વિદ્યાર્થીઓ અત્યારસુધી પરત ફર્યા, એરપોર્ટ ખાતે પરિવારજનો સાથે મિલન દરમ્યાન સર્જાયા ભાવુક દ્રશ્યો

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">