AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MORBI : વાંકાનેરના રાજસાહેબ કેશરીદેવસિંહજી ઝાલાનો રાજતિલક વિધિ મહોત્સવ, સંતો-મહંતો, ક્ષત્રિય આગેવાનો જોડાયા

તિલક વિધિ બાદ રાજ સાહેબની જુના દરબારગઢથી નગર યાત્રા પ્રસ્થાન થઇ હતી. જે અમર રોડ તરફના રોડથી લુહાર શેરી, મેઈન બજાર, ચાવડી ચોક, માર્કેટ ચોક થઈ દિવાનપરામાં આવેલ અમરસિંહજી બાપુના સ્ટેચ્યુ ચોક સુધી પહોંચી હતી.

MORBI : વાંકાનેરના રાજસાહેબ કેશરીદેવસિંહજી ઝાલાનો રાજતિલક વિધિ મહોત્સવ, સંતો-મહંતો, ક્ષત્રિય આગેવાનો જોડાયા
MORBI: Rajtilak Vidhi Mahotsav of Rajsaheb Kesharidevsinhji Jhala of Wankaner (રાજમહેલ-ફાઇલ)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 04, 2022 | 5:25 PM
Share

MORBI : વાંકાનેરના (Wankaner)નામદાર મહારાણા રાજસાહેબ કેશરીદેવસિંહજી ઝાલાની (Rajsaheb Kesharidev Singhji Zala)રાજતિલક વિધિ મહોત્સવ (Rajatilak Vidhi Mahotsav)પહેલી માર્ચના રોજથી શરૂ થઇ છે. જે આવતીકાલ (05-03-2022)સુધી ચાલવાની છે. પહેલી માર્ચથી અનેક કાર્યક્રમો ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યા છે. વાંકાનેર રાજ પરિવાર સાથે સમગ્ર પંથકમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. ગામો ગામથી સંતો મહંતો, ક્ષત્રિય સમાજના આગેવાનો અને શ્રેષ્ઠીઓ રાજ તિલક વિધિમાં જોડાયા છે. વાંકાનેરના જુના દરબાર ગઢમાં સવારે રાજતિલક વિધિનો પાવન પ્રસંગ વૈદિક મંત્રોચ્ચાર સાથે પ્રારંભ કરવામાં આવેલ હતી. જેમાં વાંકાનેર પંથકના પ્રતિષ્ઠિત મંદિરના સંતો-મહંતો, રાજના ગોર સહિત ક્ષત્રિય સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વાંકાનેરના રાજ પરિવારના આંગણે પરંપરાગત રીતે રાજ તિલક વિધિ પહેલી માર્ચના રોજથી શરૂ કરવામાં આવી છે. અનેક ધાર્મિક અને પરંપરા મુજબ વિધિ કરવામાં આવી હતી. આજે સવારે વાંકાનેરના જુના દરબાર ગઢમાં રાજતિલક વિધિનો પાવન પ્રસંગ વૈદિક મંત્રોચ્ચાર સાથે શરૂ કરવામાં આવ્યો હતો. રાજ પરિવારની પરંપરાગત તિલક વિધિ ઝાલા કુટુંબની કુવારી દીકરીબા ના હસ્તે મહારાણા રાજ કેશરીદેવસિંહજી ઝાલાને રાજતિલક કરવામાં આવ્યું હતું.

તિલક વિધિ બાદ રાજ સાહેબની જુના દરબારગઢથી નગર યાત્રા પ્રસ્થાન થઇ હતી. જે અમર રોડ તરફના રોડથી લુહાર શેરી, મેઈન બજાર, ચાવડી ચોક, માર્કેટ ચોક થઈ દિવાનપરામાં આવેલ અમરસિંહજી બાપુના સ્ટેચ્યુ ચોક સુધી પહોંચી હતી. રાજવી અમરસિંહજી બાપુની પ્રતિમાને નામદાર મહારાણા રાજ સાહેબ કેશરીદેવસિંહજી ઝાલા દ્વારા પ્રતિમાને પુષ્પહાર પહેરાવી ભાવવંદના સાથે આશીર્વાદ મેળવ્યા હતા. નગરયાત્રામાં વિન્ટેજ કાર, બગી, શણગાર સજેલા ઘોડા અને ક્ષત્રિય સમાજ તેમના પરંપરાગત પોશાક-પાઘડી અને સાફા સાથે જોવા મળ્યા હતા. તેમજ નગરજનો, સંતો-મહંતો પણ આ યાત્રામાં જોડાઈ રાજમાર્ગો પર મહારાણા સાહેબ પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી તેમજ ઠેર ઠેર જુદી જુદી જ્ઞાતિના અગ્રણી અને સમર્થકો દ્વારા બાપુ સાહેબનું અદકેરૂ સન્માન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : Russia Ukraine War: એક મહિના પહેલા જ જ્યોતિષ દ્વારા કરવામાં આવી હતી યુદ્ધની ભવિષ્યવાણી, જાણો શું કહે છે રાષ્ટ્રપતિ પુતિનની કુંડળી ?

આ પણ વાંચો : Ukraine Crisis : સુરત શહેર-જિલ્લાના 91 વિદ્યાર્થીઓ અત્યારસુધી પરત ફર્યા, એરપોર્ટ ખાતે પરિવારજનો સાથે મિલન દરમ્યાન સર્જાયા ભાવુક દ્રશ્યો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">