મોરબીના માળિયામાં એકસાથે 45 ગાયોની હત્યા કરનાર આરોપી પિતા પુત્રની કરાઈ ધરપકડ, હિંદુ સંગઠનોમાં આક્રોષ- Video

મોરબીના માળિયામાં 45 ગાયોની હત્યાના આરોપસર વધુ એક ફરિયાદ નોંધવામાં આવી છે અને આરોપી પિતા પુત્રની ધરપકડ કરવામાં આવી છે. જો કે માલધારીઓએ 100થી વધુ ગાયોના મોત થયા હોવાની આશંકા સેવી રહ્યા છે અને ગૌતસ્કરીનુ રેકેટ ચાલતુ હોવાની ભીતિ વ્યક્ત કરી છે.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 11, 2025 | 9:04 PM

સમગ્ર મોરબી આસપાસના તમામ જિલ્લાઓમાં ચકચાર જગાવનારા ગૌહત્યાકાંડથી હાહાકાર ફેલાયો છે. માળિયામાં એકસાથે 45 ગાયોની હત્યા કરી દેવાતા હિંદુ સંગઠનોમાં આક્રોષ ફેલાયો છે. માલધારીઓનો આક્ષેપ છે કે સતત બે દિવસથી પોલીસ ફરિયાદ લેવામાં નીરસતા બતાવી રહી છે. આ તરફ આ મામલે હવે રાજકીય આગેવાનો પણ મેદાનમાં ઉતર્યા છે અને ધારાસભ્ય કાંતિ અમૃતિયાની રજૂઆત બાદ પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલે વધુ એક ફરિયાદ નોંધવામાં આવી છે. જેમા માળિયાના પિતા-પુત્ર સામે 45 ગાયની હત્યા કર્યાનો આરોપ છે. સતત બે દિવસથી રજૂઆત બાદ બીજી પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ધારાસભ્ય અને રેન્જ આઈજીએ તાત્કાલિક ફરિયાદ નોંધવાની તાકીદ કર્યા બાદ પોલીસે આરોપીઓ સામે ફરિયાદ નોંધી તેમનો જેલમાંથી કબજો લેવાની તજવીજ હાથ ધરી હતી.

હિંદુ સંગઠનોએ ગૌહત્યા પાછળ ગૌતસ્કરીના રેકેટની વ્યક્ત કરી આશંકા

આ તરફ ગૌહત્યાથી હિંદુ સંગઠનોમાં ભારોભાર આક્રોષ છે. તેમની માગ છે કે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. આ સાથે હિંદુ સંગઠનોએ ગૌહત્યા પાછળ મોટુ ષડયંત્ર હોવાનો પણ આરોપ લગાવ્યો છએ. જેની સઘન તપાસની માગ કરી છે. અત્યાર સુધીમાં પોલીસે આ કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરી છે. સમગ્ર જિલ્લામાં આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માગ સાથે હિંદુ સંગઠનો રસ્તા પર ઉતરી આવ્યા છે. માલધારી સમાજ અને હિંદુ સંગઠનોએ કલેક્ટરને આવેદન આપ્યુ છે. આ સમયે MLA કાંતિ અમૃતિયા સહિતના અનેક આગેવાનો કલેક્ટર કચેરીમાં હાજર રહ્યા અને ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ આ મુદ્દે રેંજ IGને રજૂઆત કરી છે કે આરોપીઓ સામે સખ્ત કલમ લગાવવામાં આવે. જેથી તેઓ કાયદાની છટકબારીઓમાં છૂટી ના જાય.

ધ્રાંગધ્રા, હળવદ, માળિયા સહિતના તાલુકામાં 100 થી વધુ ગાયોની હત્યા

માલધારીઓેએ 100 થી વધુ અબોલ જીવોને મારી નાખવાનો આક્ષેપ કરી રહ્યા છે. ધ્રાંગધ્રા, હળવદ સહિત માલધારીઓના પશુઓની હત્યા કરવામાં આવી છે. આ કેસમાં પોલીસે 4 આરોપીઓની ઝડપી પાડ્યા છે. માળિયા મિયાણા તાલુકામાં ગાયો ગુમ થવાની ફરિયાદની તપાસ દરમિયાન મોટો ઘટસ્ફોટ થયો છે અને પોલીસે 4 શખ્સોની ધરપકડ કરી છે. ખાખરેચી ગામના માલધારીએ 50 ગાયો ચીખલી ગામના શખ્સોને ચરાવવા માટે આપી હતી. જેઓએ કતલ માટે 14 ગાયો એકથી ચાર હજારની કિંમતમાં વેચી દીધી હતી. માલધારીને 50 પૈકી 14 ગાયો પરત ન મળતા ફરિયાદ નોંધાવી અને તપાસ દરમિયાન સમગ્ર ઘટનાનો ખુલાસો થયો. ગુમ 14 ગાયો પૈકીની 13 ગાયોનું કતલ કરી શખ્સોએ ડિસ્પોઝલ કર્યાનું સામે આવ્યું. પોલીસે સમગ્ર મામલે 4 શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આગામી દિવસોમાં હજુ પણ મોટા ખુલાસાઓ થઇ શકે છે. ગૌ તસ્કરીના મોટા રેકેટનો પણ પર્દાફાશ થઇ શકે છે.

ઘરડા લોકોએ રોજ કેટલું ચાલવું યોગ્ય છે ?
Tech Tips: એક ફોનમાં ચાલશે બે WhatsApp એકાઉન્ટ ! જાણી લો આ ગજબની ટ્રિક
10 બોડીગાર્ડ હોવા છતાં સૈફ અલી ખાન પર ચાકુ વડે હુમલો થયો, જુઓ ફોટો
આજે જ જાણી લો, ક્યારેય રિઝ્યુમમાં આ ભૂલો ન કરો, મળતી નોકરી પણ જતી રહેશે
Vastu Tips : તુલસી પાસે આ વસ્તુઓ ન રાખવી, તુલસીજી થશે નારાજ
'ફ્લોપ' ફિલ્મો આપી છતાં દુનિયાની સૌથી અમીર છે આ અભિનેત્રી, જુઓ ફોટો

Input Credit- Bhaskar Joshi- Morbi

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરશો તો પણ નહીં થાય દંડ, જાણો કઈ રીતે ?
ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરશો તો પણ નહીં થાય દંડ, જાણો કઈ રીતે ?
અમીરગઢ બોર્ડર પર LCBએ 95 લાખ દારુનો જથ્થો ઝડપ્યો
અમીરગઢ બોર્ડર પર LCBએ 95 લાખ દારુનો જથ્થો ઝડપ્યો
BZ ગ્રુપ કૌભાંડના આરોપી ભૂપેન્દ્ર ઝાલાના આર્થિક વ્યવહારોની તપાસ
BZ ગ્રુપ કૌભાંડના આરોપી ભૂપેન્દ્ર ઝાલાના આર્થિક વ્યવહારોની તપાસ
સુરતમાં ખોટા નામથી આધારકાર્ડ બનાવી રહેતો બંગાળી વિધર્મી ઝડપાયો- Video
સુરતમાં ખોટા નામથી આધારકાર્ડ બનાવી રહેતો બંગાળી વિધર્મી ઝડપાયો- Video
રાજ્યના અનેક વિસ્તારોમાં કાતિલ ઠંડીની આગાહી
રાજ્યના અનેક વિસ્તારોમાં કાતિલ ઠંડીની આગાહી
વડનગરમાં આર્કિયોલોજીકલ મ્યુઝિયમનું અમિત શાહ કરશે લોકાર્પણ
વડનગરમાં આર્કિયોલોજીકલ મ્યુઝિયમનું અમિત શાહ કરશે લોકાર્પણ
સાબરમતી નદીને બારેય માસ પાણીથી ભરી રખાશેઃ અમિત શાહ
સાબરમતી નદીને બારેય માસ પાણીથી ભરી રખાશેઃ અમિત શાહ
કતારગામ દરવાજા વિસ્તારમાં બાઈક ચાલક ઓવર બ્રિજ પરથી નીચે પટકાતા મોત
કતારગામ દરવાજા વિસ્તારમાં બાઈક ચાલક ઓવર બ્રિજ પરથી નીચે પટકાતા મોત
બોરસદમાં થયેલી જૂથ અથડામણની ઘટનામાં 8 લોકોની અટકાયત
બોરસદમાં થયેલી જૂથ અથડામણની ઘટનામાં 8 લોકોની અટકાયત
પ્રાંતિજમાંથી ઝડપાઈ દારુ ભરેલી કાર, 6 લોકો સામે ગુનો નોંધાયો
પ્રાંતિજમાંથી ઝડપાઈ દારુ ભરેલી કાર, 6 લોકો સામે ગુનો નોંધાયો
g clip-path="url(#clip0_868_265)">