AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monsoon 2023 : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 48 જિલ્લામાં વરસ્યો વરસાદ

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં વરસાદ વરસ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 48 જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં જૂનાગઢમાં 86 MM વરસાદ વરસ્યો છે. રાજકોટમાં 77 MM વરસાદ પડ્યો છે. જામનગરમાં 47 MM વરસાદ વરસ્યો છે.

Monsoon 2023 : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 48 જિલ્લામાં વરસ્યો વરસાદ
Gujarat Rain
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 05, 2023 | 6:24 AM
Share

Monsoon 2023 : હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં વરસાદ વરસ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 48 જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં જૂનાગઢમાં 86 MM વરસાદ વરસ્યો છે. રાજકોટમાં 77 MM વરસાદ પડ્યો છે. જામનગરમાં 47 MM વરસાદ વરસ્યો છે. તો પોરબંદરમાં 36 MM વરસાદ પડ્યો છે. ભાવનગરમાં 26 MM,જામનગરમાં 24 MM, ભરુચમાં 23 MM, અમરેલીમાં 22 MM વરસાદ વરસ્યો છે.

આ પણ વાંચો : Rain Shayari: ચાલ, વરસાદની મોસમ છે વરસતાં જઈએ, ઝાંઝવાં હો કે હો દરિયાવ, તરસતાં જઈએ…વાંચો જબરદાસ્ત શાયરી

આગામી 2 દિવસ સુધી ભારે વરસાદથી રાહત

ગુજરાતમાં આગામી 2 દિવસ સુધી ભારે વરસાદની કોઈ આગાહી નથી. પરંતુ 2 દિવસ બાદ રાજ્યમાં ફરીથી વરસાદનું જોર વધશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 2 દિવસ દરમિયાન સુરત અને ભરૂચ જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે. બાકીના વિસ્તારોમાં ભારે વરસાદની કોઈ આગાહી નથી.

પરંતુ 6 અને 7 જુલાઈએ રાજ્યમાં વરસાદી માહોલ છવાશે. 7 જુલાઈએ સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં 7 જુલાઈએ ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવના છે. હાલમાં પશ્ચિમ બંગાળમાં સર્ક્યુલેશન બનતાં વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગ પ્રમાણે, હાલ તાપમાનમાં કોઈ વધારો નહીં થાય.

ગીર સોમનાથમાં આવેલો હિરણ-2 ડેમ 86 ટકા ભરાયો

રાજ્યમાં ભારે વરસાદના પગલે ગીર સોમનાથમાં આવેલો હિરણ-2 ડેમ (Hiran-2 dam) 86 ટકા ભરાયો છે. ગીર સોમનાથના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પાણીની પુષ્કળ પ્રમાણમાં આવક થતાં ડેમનું નિર્ધારીત રૂલ લેવલ જાળવવા કોઇપણ સમયે દરવાજા ખોલવામાં આવે તેવી શક્યતા છે. જેના પગલે વેરાવળ-તાલાલાના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યા છે. નદીના પટમાં અવર-જવર ન કરવા તેમજ ઢોર-ઢાંખર ન લઇ જવા કડક સૂચના આપવામાં આવી છે.

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ઉમરેઠી, માલજીંજવા, સેમરવાવ તેમજ વેરાવળ તાલુકાના ભેરાળા, મંડોર, ઇશ્વરીયા, ઇન્દ્રોઇ, નાવદ્રા, સોનારીયા, સવની, બાદલપરા, મીઠાપુર, કાજલી અને પ્રભાસ પાટણના નીચાણવાળા વિસ્તારોને સાવધ રહેવા માટે પણ સૂચિત કરવામાં આવ્યા છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
24 મહિલાઓ પાસે એવું શું હતું કે એરપોર્ટ પર અચાનક હંગામો મચી ગયો?
24 મહિલાઓ પાસે એવું શું હતું કે એરપોર્ટ પર અચાનક હંગામો મચી ગયો?
મહેસાણાના 10 ગામમાં ઉઠ્યો ચૂંટણી બહિષ્કારનો સૂર
મહેસાણાના 10 ગામમાં ઉઠ્યો ચૂંટણી બહિષ્કારનો સૂર
નામ પર સસ્પેન્સ! ભાજપના 72 ઉમેદવારો પોતાના ફોર્મ ભરશે
નામ પર સસ્પેન્સ! ભાજપના 72 ઉમેદવારો પોતાના ફોર્મ ભરશે
સુરત AAPમાં ફરી વિવાદ ! રાજીનામું આપી કોંગ્રેસમાં જોડાયા
સુરત AAPમાં ફરી વિવાદ ! રાજીનામું આપી કોંગ્રેસમાં જોડાયા
ગુજરાતમાં આવતીકાલથી પાંચ દિવસ માટે યલો એલર્ટ
ગુજરાતમાં આવતીકાલથી પાંચ દિવસ માટે યલો એલર્ટ
ધરતી ધ્રુજી અને દિલ ધડક્યા! અમરેલીમાં ભૂકંપથી ગભરાટ
ધરતી ધ્રુજી અને દિલ ધડક્યા! અમરેલીમાં ભૂકંપથી ગભરાટ
સંતના આશીર્વાદથી મળશે માનસિક શાંતિ અને બીમારીઓમાંથી મળશે કાયમી છુટકારો
સંતના આશીર્વાદથી મળશે માનસિક શાંતિ અને બીમારીઓમાંથી મળશે કાયમી છુટકારો
મહેસાણાના પાંચોટમાં ઢોર ડબ્બા અને પંચાયત ઘર મુદ્દે ઘમાસાણ- Video
મહેસાણાના પાંચોટમાં ઢોર ડબ્બા અને પંચાયત ઘર મુદ્દે ઘમાસાણ- Video
મહેસાણા: પાંચોટમાં પંચાયત ઘરના નિર્માણ સામે ગ્રામજનોનો મોરચો
મહેસાણા: પાંચોટમાં પંચાયત ઘરના નિર્માણ સામે ગ્રામજનોનો મોરચો
અમદાવાદ: બાળકીઓના મોત મામલે FSLનો ચોંકાવનારો ખુલાસો, હત્યા કે આપઘાત?
અમદાવાદ: બાળકીઓના મોત મામલે FSLનો ચોંકાવનારો ખુલાસો, હત્યા કે આપઘાત?
g clip-path="url(#clip0_868_265)">