AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mehsana : ઊંઝા અને વડનગરમાં તાલુકા કક્ષાના આરોગ્ય મેળાનો એક હજારથી વધુ લાભાર્થીઓએ ભાગ લીધો

આરોગ્ય મેળામાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો. જેમાં જનરલ ઓ.પી.ડી સેવા, દર્દીએ તજજ્ઞ ડૉક્ટરોની સેવાનો લાભ લીધો હતો. તેમજ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ આપવામાં આવ્યું હતું.

Mehsana : ઊંઝા અને વડનગરમાં તાલુકા કક્ષાના આરોગ્ય મેળાનો એક હજારથી વધુ લાભાર્થીઓએ ભાગ લીધો
Mehsana: More than one thousand beneficiaries participated in taluka level health fairs in Unjha and Vadnagar
Manish Mistri
| Edited By: | Updated on: Apr 20, 2022 | 4:16 PM
Share

Mehsana : સમગ્ર રાજ્યમાં તાલુકા કક્ષાના આરોગ્ય મેળાનું (Health fairs)આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત મહેસાણા જિલ્લામાં ઊંઝા (Unjha)તેમજ વડનગર ખાતે તાલુકા કક્ષાના આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. મા ઉમિયાયાત્રી ભવન દાસજ રોડ ઉંઝા ખાતે તેમજ પ્રાથમિક શાળા મલેકપુર વડ વડનગર ખાતે મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન હરીભાઇ પટેલ,જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. વિષ્ણુંભાઇ પટેલ સહિત તાલુકા પંચાયત પ્રમુખ ઊંઝા. એ.પી.એમ.સી ચેરમેન દિનેશભાઇ પટેલ, ઊંઝા સહિતના અધિકારીઓ તેમજ પદાધિકારીઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ પ્રસંગે મહાનુભાવોએ આરોગ્ય મેળાના વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ પોતાના બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની ચકાસણી પણ કરાવી હતી.

આરોગ્ય મેળામાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો. જેમાં જનરલ ઓ.પી.ડી સેવા, દર્દીએ તજજ્ઞ ડૉક્ટરોની સેવાનો લાભ લીધો હતો. તેમજ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ આપવામાં આવ્યું હતું. આ મેળામાં વ્યક્તિઓનો લેબોરેટરી સેવાનો લાભ લીધો હતો. કેમ્પના દિવસે લાભાર્થીઓના હેલ્થ આઇ.ડી. બનાવવામાં આવ્યા હતા. તાલુકા કક્ષાના આરોગ્ય મેળામાં આયુષ્યમાન પી.એમ.જે.એ.વાય. – એમ. એ. યોજનાના લાભાર્થીઓને કાર્ડનું વિતરણ તેમજ નવા કાર્ડ બનાવી આપવા અને રીન્યુ કરવાની કામગીરીના કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

તે ઉપરાંત ડાયાબિટીસની સ્થળ ઉપર લેબોરેટરી તપાસ,બિનચેપી રોગો અને રોગોની પ્રાથમિક તપાસ,કુટુંબ નિયોજનની વિવિધ પદ્ધતિઓનો નિદર્શન,બીપી અને રક્તપિત્ત નિદાન સારવાર અને જાગૃતિનું કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં આરોગ્ય સ્ટાફ અને ઉંઝા શહેર અને તાલુકાના નાગરિકોએ મોટી સંખ્યામાં સહભાગી બન્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છેકે મહેસાણા જિલ્લામાં 21 એપ્રિલના રોજ વિસનગર જી.ડ઼ી હાઇસ્કુલ ખાતે તેમજ રોટરી હોલ વિજાપુર ખાતે સહિત 22 એપ્રિલના રોજ પ્રાથમિક શાળા સી.એચ.સીની બાજુમાં સતલાસણા ખાતે અને નગરપાલિકા હોલ ખેરાલું ખાતે કાર્યક્રમ યોજાનાર છે.

આ પણ વાંચો :સુરતનાં ગ્રીષ્મા હત્યાંકાનું પુનરાવર્તન? પૂર્વ પતિએ યુવતીને ગળા અને પેટમાં મારી છરીઓ, હત્યાનો પ્રયાસ કરી પુર્વ પતિ થયો ફરાર

આ પણ વાંચો :Parineeti Chopra in Farm: ગ્લેમરની દુનિયા છોડીને ખેતરમાં પહોંચી આ અભિનેત્રી, શાકભાજી સાથે શેયર કરી આવી તસવીર

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">