AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mehsana : ઊંઝા અને વડનગરમાં તાલુકા કક્ષાના આરોગ્ય મેળાનો એક હજારથી વધુ લાભાર્થીઓએ ભાગ લીધો

આરોગ્ય મેળામાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો. જેમાં જનરલ ઓ.પી.ડી સેવા, દર્દીએ તજજ્ઞ ડૉક્ટરોની સેવાનો લાભ લીધો હતો. તેમજ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ આપવામાં આવ્યું હતું.

Mehsana : ઊંઝા અને વડનગરમાં તાલુકા કક્ષાના આરોગ્ય મેળાનો એક હજારથી વધુ લાભાર્થીઓએ ભાગ લીધો
Mehsana: More than one thousand beneficiaries participated in taluka level health fairs in Unjha and Vadnagar
Manish Mistri
| Edited By: | Updated on: Apr 20, 2022 | 4:16 PM
Share

Mehsana : સમગ્ર રાજ્યમાં તાલુકા કક્ષાના આરોગ્ય મેળાનું (Health fairs)આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત મહેસાણા જિલ્લામાં ઊંઝા (Unjha)તેમજ વડનગર ખાતે તાલુકા કક્ષાના આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. મા ઉમિયાયાત્રી ભવન દાસજ રોડ ઉંઝા ખાતે તેમજ પ્રાથમિક શાળા મલેકપુર વડ વડનગર ખાતે મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન હરીભાઇ પટેલ,જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. વિષ્ણુંભાઇ પટેલ સહિત તાલુકા પંચાયત પ્રમુખ ઊંઝા. એ.પી.એમ.સી ચેરમેન દિનેશભાઇ પટેલ, ઊંઝા સહિતના અધિકારીઓ તેમજ પદાધિકારીઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ પ્રસંગે મહાનુભાવોએ આરોગ્ય મેળાના વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ પોતાના બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની ચકાસણી પણ કરાવી હતી.

આરોગ્ય મેળામાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો. જેમાં જનરલ ઓ.પી.ડી સેવા, દર્દીએ તજજ્ઞ ડૉક્ટરોની સેવાનો લાભ લીધો હતો. તેમજ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ આપવામાં આવ્યું હતું. આ મેળામાં વ્યક્તિઓનો લેબોરેટરી સેવાનો લાભ લીધો હતો. કેમ્પના દિવસે લાભાર્થીઓના હેલ્થ આઇ.ડી. બનાવવામાં આવ્યા હતા. તાલુકા કક્ષાના આરોગ્ય મેળામાં આયુષ્યમાન પી.એમ.જે.એ.વાય. – એમ. એ. યોજનાના લાભાર્થીઓને કાર્ડનું વિતરણ તેમજ નવા કાર્ડ બનાવી આપવા અને રીન્યુ કરવાની કામગીરીના કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

તે ઉપરાંત ડાયાબિટીસની સ્થળ ઉપર લેબોરેટરી તપાસ,બિનચેપી રોગો અને રોગોની પ્રાથમિક તપાસ,કુટુંબ નિયોજનની વિવિધ પદ્ધતિઓનો નિદર્શન,બીપી અને રક્તપિત્ત નિદાન સારવાર અને જાગૃતિનું કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં આરોગ્ય સ્ટાફ અને ઉંઝા શહેર અને તાલુકાના નાગરિકોએ મોટી સંખ્યામાં સહભાગી બન્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છેકે મહેસાણા જિલ્લામાં 21 એપ્રિલના રોજ વિસનગર જી.ડ઼ી હાઇસ્કુલ ખાતે તેમજ રોટરી હોલ વિજાપુર ખાતે સહિત 22 એપ્રિલના રોજ પ્રાથમિક શાળા સી.એચ.સીની બાજુમાં સતલાસણા ખાતે અને નગરપાલિકા હોલ ખેરાલું ખાતે કાર્યક્રમ યોજાનાર છે.

આ પણ વાંચો :સુરતનાં ગ્રીષ્મા હત્યાંકાનું પુનરાવર્તન? પૂર્વ પતિએ યુવતીને ગળા અને પેટમાં મારી છરીઓ, હત્યાનો પ્રયાસ કરી પુર્વ પતિ થયો ફરાર

આ પણ વાંચો :Parineeti Chopra in Farm: ગ્લેમરની દુનિયા છોડીને ખેતરમાં પહોંચી આ અભિનેત્રી, શાકભાજી સાથે શેયર કરી આવી તસવીર

Follow Us
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
g clip-path="url(#clip0_868_265)">