AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat News: સ્વચ્છ ભારત મિશન અર્બન હેઠળ રાજ્યના આ ત્રણ શહેરમાં બાયોગેસ પ્લાન્ટને મંજૂરી

દેશભરમાં ચાલી રહેલા સ્વચ્છ ભારત મિશન અર્બન હેઠળ રાજ્યમાં ત્રણ બાયોગેસ પ્લાન્ટને મંજૂર કરવામાં આવ્યા છે. ગુજરાતમાં જુનાગઢ અને વડોદરા કોર્પોરેશનમાં તેમજ મહેસાણા નગરપાલિકામાં બાયો પ્લાન્ટને મંજૂર કરવામાં આવ્યો છે.

Gujarat News: સ્વચ્છ ભારત મિશન અર્બન હેઠળ રાજ્યના આ ત્રણ શહેરમાં બાયોગેસ પ્લાન્ટને મંજૂરી
Swachh Bharat Mission Urban
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 28, 2023 | 1:45 PM
Share

Bio gas plant : દેશભરમાં ચાલી રહેલા સ્વચ્છ ભારત મિશન અર્બન હેઠળ રાજ્યમાં ત્રણ બાયોગેસ પ્લાન્ટને મંજૂર કરવામાં આવ્યા છે. ગુજરાતમાં જુનાગઢ અને વડોદરા કોર્પોરેશનમાં તેમજ મહેસાણા નગરપાલિકામાં બાયો પ્લાન્ટને મંજૂર કરવામાં આવ્યો છે. રાજ્યના આ ત્રણેય શહેરમાં નીકળતા ભીના કચરામમાંથી આ બાયોગેસ ઉત્પન્ન કરવામાં આવશે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની ગ્રાન્ટમાંથી બાયોગેસ પ્લાન્ટ અંગે ડિટેઇલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવા પાલિકાએ કન્સલટન્ટ એજન્સી નીમવામાં આવી છે.

આ પણ વાંચો :Mahesana : ફાર્મસી કોલેજમાં વિદ્યાર્થિનીના મોતના કેસમાં મોટો ઘટસ્ફોટ, સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીએ કરી હત્યા, જુઓ Video

બાયોગેસ પ્લાન્ટ માટે દેશમાં 75 પાલિકાઓમાં બાયોગેસ પ્લાન્ટ મંજૂર કરાયા છે. જેમના ઈજનરો માટે બે દિવસ સ્વચ્છતા મોડેલ ઇન્દોરમાં તાલીમનું આયોજન કરવામાં આવ્યુ છે. આ તમામ ઈજનેરોને તાલીમ હેઠળ કોર્પોરેશન હસ્તકના બાયોગેસ પ્લાન્ટની ફિલ્ડ મુલાકાત કરાવામાં આવશે. સ્વચ્છ ભારત મિશન હેઠળ મહેસાણામાં 3.6 કરોડના ખર્ચે 20 ટન ક્ષમતાનો બાયોગેસ પ્લાન્ટ મંજૂર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વડોદરા અને જુનાગઢમાં પણ 20 ટન કરતા વધુ ક્ષમતા ધરાવતા બાયોગેસ પ્લાન્ટ મંજૂર કરવામાં આવ્યો છે.

મળતી માહિતી અનુસાર મહેસાણા પાલિકા તેમજ જુનાગઢ અને વડોદરા કોર્પોરેશને બાયોગેસ પ્લાન્ટ માટે એકશન પ્લાન તૈયાર કરી 2024માં પ્લાન્ટ બનાવવા તેવી શક્યા છે. મહાનગરોમાંથી નિકળતા કચરામાંથી 30 થી 40 ટકા ભીનો કચરો હોય છે. આ ભીના કચરાને પ્લાન્ટમાં પ્રોસેસ કરી બાયોગેસ બનાવવામાં આવે છે. તેમાંથી નીકળતો વેસ્ટને ખાતર તરીકે પણ ઉપયોગ કરવામાં આવી શકે છે.

ગોબર ધન યોજના શું છે?

જાણકારી માટે આપને જણાવી દઈએ કે ગોબર ધન યોજના દેશના ખેડૂતો અને ગ્રામીણ વિસ્તારોને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવેલી એક યોજના છે. તેનો સીધો લાભ દેશના ખેડૂતો અને પશુપાલકોને મળે છે. આ યોજનાનો સૌથી મોટો ફાયદો એ છે કે તેનાથી પ્રદૂષણમાં ઘટાડો થાય છે. આ સાથે જ ખેડૂતોની આવકમાં પણ વધારો થઈ શકે છે. આ યોજના હેઠળ સરકાર ખેડૂતો પાસેથી ગાયનું છાણ ખરીદશે. આ રીતે ખેડૂતો પાસેથી ગાયનું છાણ ખરીદીને બાયોગેસમાં ફેરવવામાં આવશે.હવે ગુજરાતના ત્રણ શહેરોમાં ભીના કચરામાંથી બાયોગેસ ઉત્પન્ન કરવામાં આવશે.

મહેસાણા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">