Mahesana: શંકુઝ સ્કૂલ ખાતે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી, 100 ફુટ ઉંચા સ્તંભ પર 30 ફુટ ઉંચો અને 20 ફુટ પહોળો રાષ્ટ્રધ્વજ ફરકાવાયો

Mahesana: મહેસાણા-અમદાવાદ હાઈવે પર આવેલી શંકુઝ સમૂહની ડિવાઈન ચાઈલ્ડ સ્કૂલ સહિત શંકુઝ સમૂહ દ્વારા ધ્વજવંદન અને દેશભક્તિ ગીતનો કાર્યક્રમ યોજાયો હતો. જેમા ઉપસ્થિત તમામ લોકોમાં દેશપ્રેમની ભાવના જાગે તે હેતુથી ત્રિરંગાનું વિતરણ પણ કરવામાં આવ્યુ.

Mahesana: શંકુઝ સ્કૂલ ખાતે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી, 100 ફુટ ઉંચા સ્તંભ પર 30 ફુટ ઉંચો અને 20 ફુટ પહોળો રાષ્ટ્રધ્વજ ફરકાવાયો
શંકુઝ ડિવાઈ સ્કૂલ
Follow Us:
Manish Mistri
| Edited By: | Updated on: Aug 13, 2022 | 4:03 PM

દેશભરમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી ચાલી રહી છે. દેશ તેના 75મો સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહ્વાનથી હર ઘર ત્રિરંગા અભિયાન પણ ચાલી રહ્યુ છે. જેમા દેશની આન-બાન અને શાન સમા ત્રિરંગાને દરેક દેશવાસી તેના ઘર, દરેક સરકારી કચેરીઓ, કામના સ્થળે લહેરાવવાનુ આહ્વાન કરવામાં આવ્યુ છે. આ ઉજવણીમાં નાના-મોટા સહુ કોઈ સામેલ થઈ રહ્યા છે.

આ ઉજવણી અંતર્ગત મહેસાણા (Mahesana) માં શંકુઝ સમૂહ (Shankus Group) દ્વારા 13મી ઓગષ્ટે સવારે રાષ્ટ્રધ્વજ અર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. મહેસાણા અમદાવાદ હાઈવે પર આવેલ શંકુઝ સમૂહની ડિવાઈન ચાઈલ્ડ સ્કૂલ સહિત શંકુઝ સમૂહ દ્વારા સવારે 8 વાગ્યે રાષ્ટ્રને સમર્પિત 100 ફુટ ઉંચા સ્તંભ પર 30 ફુટ લાંબા અને 20 ફુટ પહોળા રાષ્ટ્રધ્વજ સાથે ધ્વજવંદન કરવામાં આવ્યુ તેમજ ત્યાં હાજર સહુ કોઈને રાષ્ટ્રધ્વજ (National Flag) અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

લોકોમાં દેશપ્રેમની ભાવના પ્રબળ બનાવવા કરાયુ ત્રિરંગાનું વિતરણ

આ કાર્યક્રમનો ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં અને શંકુઝ પરિવારના સભ્યોની દેશપ્રેમની ભાવનાને પ્રબળ બનાવવાનો હતો. આ ધ્વજાર્પણ કાર્યક્રમમાં અતિથિ તરીકે મહેસાણાના કલેક્ટર ઉદિત અગ્રવાલ, જિલ્લા સેશન્સ કોર્ટ જજ માનનિય કુમારી રિઝવાના બુખારી, ડીડીઓ મહેસાણા ડૉ ઓમ પ્રકાશ, કે, એમ સોની, ડેપ્યુટી કમાન્ડર, 56 બટાલિયન BSF, અંબાસણ તથા શંકુઝ સમૂહના મેનેજિંગ ડાયરેક્ટર દિલીપ ચૌધરી, શંકુઝ ગૃપ ઓફ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી રૂચિ ચૌધરી, ડિવાઈન ચાઈલ્ડ શાળા પરિવાર સહિત શંકુઝ સમૂહના સર્વ સભ્યો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો દ્વારા દેશપ્રેમને વધુ મજબુત કરવા પ્રસંગોચિત પ્રવચન કરવામાં આવ્યુ હતુ.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

દેશપ્રેમ જગાડતા દેશભક્તિ ગીતોનો કાર્યક્રમ યોજાયો

વિશાળ જનમેદનીની ઉપસ્થિતિમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા. જેમા દેશભક્તિ ગીત, નૃત્ય, રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમ સંપન્ન થયો હતો. આ કાર્યક્રમના અંતે ઉપસ્થિત જનમેદજની અને વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો, ત્યાં હાજર દરેકના ચહેરા પર દેશપ્રેમ ઝલકી રહ્યો હતો. આ પ્રસંગે આચાર્ય જી.કે. દેસાઈ ડિવાઈન ચાઈલ્ડ સ્કૂલ મહેસાણા સહિત શંકુઝ ગૃપ દ્વારા સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવોએ લોકોને હર ઘર ત્રિરંગા અભિયાનમાં સહભાગી થવા અને ત્રિરંગાનું સન્માન જાળવવા અપીલ કરી હતી. ક્યાંક પણ દેશની આન-બાન- શાન સમા ત્રિરંગાની ગરીમાને હાનિ પહોંચે તેનુ ધ્યાન રાખવા પણ જણાવવામાં આવ્યુ હતુ.

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">