AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mehsana: ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં માત્ર મહિનાનાં અંત સુધીનો પાણીનો જથ્થો, સિંચાઈ અને પીવાનાં પાણીની ચિંતામાં લાગી સરકાર

ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં (Dharoi Dam) હાલમાં 20.19 ટકા જ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જેના કારણે હાલમાં લોકોને પીવાનું પાણી (Drinking water) તેમજ ઘર વપરાશનું પાણી મળી રહે છે.

Mehsana: ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં માત્ર મહિનાનાં અંત સુધીનો પાણીનો જથ્થો, સિંચાઈ અને પીવાનાં પાણીની ચિંતામાં લાગી સરકાર
Dharoi Dam (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 22, 2022 | 3:32 PM
Share

ઉનાળો (Summer 2022) તેની મધ્યમાં આવી ગયો છે ત્યારે પાણીની સમસ્યાઓ (Water Crisis) પણ શરુ થઇ ગઇ છે. ત્યારે મહેસાણા જિલ્લાના ધરોઇ ડેમમાં (Dharoi Dam) હાલમાં આ મહિનાના અંત સુધીમાં ચાલે તેટલો જ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ત્યારે હવે સરકાર દ્વારા મે માસના અંત સુધી 3 જિલ્લાને પાણી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્રણેય જિલ્લામાં 19 કરોડ લીટર પાણી આપવાનું પ્લાનિંગ કરવામાં આવ્યુ છે.

ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં હાલમાં 20.19 ટકા જ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જેના કારણે હાલમાં લોકોને પીવાનું પાણી તેમજ ઘર વપરાશનું પાણી મળી રહે છે. 20.19 ટકા જથ્થા પૈકી 12.96 ટકા ઉપયોગ લાયક પાણીનો જથ્થો છે. ધરોઈ ડેમમાં મહિનાના અંત સુધી પૂરતા પ્રમાણમાં ચાલે તેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જેમાં સંગ્રહિત 16,414 કરોડ લીટર પૈકી 9,663 કરોડ લીટર પાણી વપરાશમાં લઇ શકાય એમ છે.

ધરોઇ ડેમમાંથી પાણી પાટણ, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાં 13.53 લાખ વસ્તીને અપાય છે. પહેલા વ્યક્તિ દીઠ દૈનિક સરેરાશ 118 લીટર પાણી અપાતું હતું. ત્યારે હાલમાં વ્યક્તિ દીઠ દૈનિક સરેરાશ પાણીનો વપરાશ પણ વધ્યો છે. જેને લઈને હવે 22 લીટર વધારા સાથે 140 લીટર વ્યક્તિ દીઠ પાણી અપાય છે. ત્યારે મે માસના અંત સુધી 3 જિલ્લામાં 19 કરોડ લીટર પાણી આપવાનું આયોજન કરવામાં આવ્યુ છે.

મહત્વનું છે કે સિંચાઈના અને પીવાના પાણીને લઈને રાજ્ય સરકારે કોઈ સમસ્યા ન સર્જાય તેવી વ્યવસ્થા ગોઠવવાનો નિર્ણય કર્યો છે. સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ લોકોને એવી ખાતરી આપી છે કે ઉનાળામાં પીવાના પાણીની ચિંતા ન રહે તે માટે સરકારે જે-તે વિભાગને સૂચના આપી દીધી છે. આ માટે અંતરિયાળ વિસ્તારમાં હેડપંપ રિપેર સહિતના કામો તુરંત પૂર્ણ કરવા પણ સૂચના આપી દેવાઈ છે. સાથે જ ગ્રામ્ય વિસ્તાર માટે હેલ્પલાઈન નંબર 1916 જાહેર કરાયો છે. આ હેલ્પલાઈન નંબર પર પાણી અંગે જેને પણ સમસ્યા હશે તે રજૂઆત કરી શકશે.

આ પણ વાંચો-Kheda: ઠાસરાના જોરાબંધ ગામ મહિલાની હત્યા કરનારને નડિયાદ કોર્ટે આજીવન કેસની સજા ફટકારી

આ પણ વાંચો-Rajkot: ગાંઠિયાને નરમ અને ફૂલેલા બનાવવા સ્વાસ્થ્ય માટે હાનિકારક એક એવી વસ્તુ નખાય છે જે વિશે સાંભળતાં જ મોઢું કડવું થઈ જશે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
અમદાવાદમાંથી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરની ચૂંટણી ટાણે જ ધરપકડ
અમદાવાદમાંથી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરની ચૂંટણી ટાણે જ ધરપકડ
બે બાળકીઓના મોત પાછળનું કારણ હજુ પણ અકબંધ, જુઓ વીડિયો
બે બાળકીઓના મોત પાછળનું કારણ હજુ પણ અકબંધ, જુઓ વીડિયો
સુરતમાં AAPમાં આંતરિક ભડકો! ટિકિટ મુદ્દે સહ કન્વીનરનું રાજીનામું
સુરતમાં AAPમાં આંતરિક ભડકો! ટિકિટ મુદ્દે સહ કન્વીનરનું રાજીનામું
Breaking News : ચૂંટણીમાં કોના કોના નામ કપાઈ શકે છે! જુઓ લિસ્ટ
Breaking News : ચૂંટણીમાં કોના કોના નામ કપાઈ શકે છે! જુઓ લિસ્ટ
નવલકથા વાંચીને દિવસ પસાર કરશો, આરામ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે
નવલકથા વાંચીને દિવસ પસાર કરશો, આરામ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે
ગુજરાતમાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ
ગુજરાતમાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ
અમદાવાદ રેલવે સ્ટેશન પર ચમત્કાર: પોલીસ બની દેવદૂત
અમદાવાદ રેલવે સ્ટેશન પર ચમત્કાર: પોલીસ બની દેવદૂત
g clip-path="url(#clip0_868_265)">