Surat : ઉનાળો શરૂ થતાં પાણીનો વપરાશ પણ વધ્યો, SMC એ જરુરિયાત પ્રમાણે દરેક વિસ્તારમાં પાણી પુરવઠો પહોંચાડવા કર્યુ આયોજન

મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પટેલે જણાવ્યું હતું કે ''આગામી દિવસોમાં ગરમી વધી શકે છે. આવા સંજોગોમાં શહેરના લોકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકાએ પીવાના પાણીના પુરવઠામાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. પરેશ પટેલના જણાવ્યા મુજબ જે વિસ્તારમાં માગ હશે, તેટલું પાણી પહોંચાડવામાં આવશે.''

Surat : ઉનાળો શરૂ થતાં પાણીનો વપરાશ પણ વધ્યો, SMC એ જરુરિયાત પ્રમાણે દરેક વિસ્તારમાં પાણી પુરવઠો પહોંચાડવા કર્યુ આયોજન
SMC (File Image)
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Apr 16, 2022 | 1:01 PM

ઉનાળો (Summer 2022) આવતા જ ગુજરાતમાં (Gujarat) પાણીનો પોકાર ઉઠવા લાગ્યો છે. ઠેર ઠેર પાણીની તંગીની (Water crisis) બુમો ઉઠી રહી છે. સુરત (Surat) શહેરમાં પણ હાલ પીવાના પાણીની માગ વધવા લાગી છે. આગામી સમયમાં પાણીની માગમાં વધારો થઇ શકે છે. ત્યારે સુરત મહાનગરપાલિકાએ પણ પાણી પુરવઠો વધારવાનું નક્કી કર્યું છે. શહેરમાં દરરોજ 1650 MLD પાણીનો વપરાશ થઈ રહ્યો છે. ત્યારે હવે આ વપરાશ પ્રમાણે લોકોને પાણી મળી રહે તે પ્રમાણેની વ્યવસ્થા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે.

સુરત શહેરમાં ઉનાળાની આકરી ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. ગરમીનો પારો 39 ડિગ્રીએ પહોંચ્યો છે. આગામી દિવસોમાં ઉનાળાની ગરમી વધુ પડવાની શક્યતા વચ્ચે પીવાના પાણીની જરૂરિયાત વધી શકે છે અને આગામી દિવસોમાં પાણીની માગ પણ વધી શકે છે. જેને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. લોકોને પીવાના પાણીની તંગીનો સામનો કરવો ન પડે તે માટે સુરત મહાનગર પાલિકાએ પાણીનો પુરવઠો વધારવા તૈયારીઓ શરુ કરી છે.

હાલમાં શહેરના લોકોને રોજનું 1 હજાર 650 એમએલડી પાણી આપવામાં આવી રહ્યું છે. સુરત મહાનગર પાલિકાના હાઇડ્રોલિક વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં પાણી પુરવઠામાં વધારો કરવામાં આવશે. જો કે જે તે વિસ્તારની જરુરિયાત પ્રમાણે તે વિસ્તારમાં પાણીનો પુરવઠો પુરો પાડવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

સુરત મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પટેલે જણાવ્યું હતું કે ”આગામી દિવસોમાં ગરમી વધી શકે છે. આવા સંજોગોમાં શહેરના લોકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકાએ પીવાના પાણીના પુરવઠામાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. પરેશ પટેલના જણાવ્યા મુજબ જે વિસ્તારમાં માગ હશે, તેટલું પાણી પહોંચાડવામાં આવશે.”

મહત્વનું છે કે શુક્રવારે શહેરના હવામાનમાં ફરી પલટો આવ્યો હતો. ગરમીથી લોકો પરેશાન જોવા મળ્યા હતા. એક જ દિવસમાં તાપમાનમાં અઢી ડિગ્રીનો વધારો થયો હતો. શનિવારે પણ મહત્તમ તાપમાન 40 ડિગ્રીની નજીક રહેવાની શક્યતા છે. મળતી માહિતી મુજબ શુક્રવારે મહત્તમ તાપમાન 39 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 24.5 ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 48 ટકા રહ્યું હતું. ઉત્તર દિશામાંથી 6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો.

આ પણ વાંચો-Ahmedabad: કેમ્પ હનુમાન મંદિરમાં હનુમાનજીના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી, 250 કિલો બુંદીની કેક બનાવવામાં આવી

આ પણ વાંચો-વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મોરબીમાં 108 ફૂટ ઊંચી હનુમાનની પ્રતિમાનું અનાવરણ કર્યું

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Latest News Updates

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
g clip-path="url(#clip0_868_265)">