બેચરાજીમાં નવા વર્ષે મા બહુચરના દર્શન માટે ભક્તોની ભીડ, મંદિર પરિસરમાં સોશિયલ ડિસ્ટન્સનો જોવા મળ્યો અભાવ
મહેસાણા ખાતે આવેલા બેચરાજીમાં નવા વર્ષે મા બહુચરના દર્શને મોટી સંખ્યામાં ભક્તોએ ભીડ જમાવી. નવા વર્ષે ભક્તો મા બહુચરના દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે, ત્યારે ચાલુ વર્ષે પણ ભક્તો મોટી સંખ્યામાં માના દર્શને પહોંચ્યા. મંદિરની બહાર તો સોશિયલ ડિસ્ટન્સ જળવાયું, પરંતુ મંદિર પરિસરમાં ભક્તો ભાન ભૂલ્યા અને સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો. 450 વર્ષ […]
મહેસાણા ખાતે આવેલા બેચરાજીમાં નવા વર્ષે મા બહુચરના દર્શને મોટી સંખ્યામાં ભક્તોએ ભીડ જમાવી. નવા વર્ષે ભક્તો મા બહુચરના દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે, ત્યારે ચાલુ વર્ષે પણ ભક્તો મોટી સંખ્યામાં માના દર્શને પહોંચ્યા. મંદિરની બહાર તો સોશિયલ ડિસ્ટન્સ જળવાયું, પરંતુ મંદિર પરિસરમાં ભક્તો ભાન ભૂલ્યા અને સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો. 450 વર્ષ પહેલા ગાયકવાડ સરકારે શરૂ કરેલી પરંપરા આજેપણ યથાવત છે અને દર નવા વર્ષે મા બહુચરને ગાયકવાડ સરકારે આપેલા સોનાના વાસણોમાં રાજભોગ ધરાવવામાં આવે છે. જેમાં સોનાની થાળી, વાટકા અને અન્ય સોનાના પાત્રોમાં થાળ ધરાવવામાં આવે છે.
આ પણ વાંચો: રાજકોટના ઉપલેટામાં તહેવારોમાં તસ્કરોનો તરખાટ, સમગ્ર ઘટના CCTVમાં કેદ, જુઓ VIDEO
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો