AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Loksabha Election Breaking : ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ કરશે ગઠબંધન, I.N.D.I.A. ગઠબંધન હેઠળ લડાશે ચૂંટણી

ગુજરાતમાં લોકસભા ચૂંટણીને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધન કરશે. I.N.D.I.A ગઠબંધન હેઠળ આ બંને પક્ષ ચૂંટણી લડશે.

Loksabha Election Breaking : ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ કરશે ગઠબંધન, I.N.D.I.A. ગઠબંધન હેઠળ લડાશે ચૂંટણી
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 07, 2023 | 2:35 PM
Share

Ahmedabad : ગુજરાતમાં લોકસભા ચૂંટણીને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. લોકસભા ચૂંટણી (Loksabha Election ) માટે ગુજરાતમાં આમ આદમી પાર્ટી (AAp) અને કોંગ્રેસ (Congress) ગઠબંધન કરશે. I.N.D.I.A ગઠબંધન હેઠળ આ બંને પક્ષ ચૂંટણી લડશે. આમ આદમી પાર્ટીના નેતા ઇસુદાન ગઢવીએ આ અંગેની જાહેરાત કરી છે.

આ પણ વાંચો-Jamnagar: જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારો, દૈનિક 500થી વધુ શરદી અને ઉધરસના કેસ નોંધાયા, જુઓ Video

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ભાજપે ખૂબ જ જંગી જીત મેળવી હતી. ભાજપે 156 બેઠક પર બહુમત હાસલ કર્યો હતો. જ્યારે કોંગ્રેસના ફાળે માત્ર 17 બેઠક અને આમ આદમી પાર્ટીને 5 બેઠક મળી હતી. જેથી હવે લોકસભા ચૂંટણીમાં ભાજપને ટક્કર આપવા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ હવે સાથે મળીને મજબૂતાઇથી લડવા માગે છે એવુ જોવા મળી રહ્યુ છે.

હાલમાં ગુજરાતની તમામ 26 લોકસભા બેઠક ભાજપ પાસે છે. ત્યારે હવે આપ અને કોંગ્રેસ સાથે મળીને ભાજપને ટકકર આપવા તૈયાર થયા છે. મળતી માહિતી પ્રમાણે કયા કોણ લડશે અને કેટલી બેઠક પર લડશે તે I.N.D.I.A. દ્વારા જ નક્કી કરવામાં આવશે. ઇસુદાન ગઢવીએ માહિતી આપી હતી કે ભાજપની વિચારધારા સામે I.N.D.I.A.ની વિચારધારા લડશે.

જો કે કોંગ્રેસ દ્વારા ઇસુદાન ગઢવીએ આપેલા નિવેદન અંગે કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. હાલમાં ગુજરાતમાં કોંગ્રેસને શક્તિસિંહ ગોહેલનું નેતૃત્વ મળ્યુ છે. ત્યારે કોંગ્રેસ એકલા પણ લોકસભાની ચૂંટણી સારી રીતે લડે તેવી સ્થિતિ જોવા મળતી હતી. જો કે હવે ઇસુદાન ગઢવીની જાહેરાત ખરેખર કોંગ્રેસ આમ આદમી પાર્ટીની સાથે મળીને લોકસભા ચૂંટણી લડવાના છે કે કેમ તે અંગે અસમંજસ છે.

મહત્વનું છે કે દેશમાં આગામી 2024 માં લોકસભા ચૂંટણી (Lok Sabha Election) યોજાવા જઈ રહી છે. આ ચૂંટણીની તૈયારી અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીને (BJP) હરાવવા માટે કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ સહિત 25થી વધુ પાર્ટીઓ એક મંચ પર આવી છે. થોડા દિવસ પહેલા કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં આ તમામ પક્ષોની બેઠક થઇ હતી. આ બેઠકના બીજા દિવસે એટલે કે 18 જુલાઇએ મહાગઠબંધનના નામ પર મહોર લગાવવામાં આવી હતી. NDA નો સામનો કરવા માટે વિપક્ષી પાર્ટીઓએ તેમના ગઠબંધનને I.N.D.I.A. નામ આપ્યું છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">