અનલૉક-1માં નાના-મોટા વેપાર શરૂ કરવામાં આવ્યા છે. સરકારી નીતિનિયમનોને આધીન વેપારીઓ પોતાનો વ્યવસાય શરૂ કર્યો છે, પરંતુ રાજ્યની મોટાભાગની કોર્ટમાં રેગ્યુલર કામગીરી શરૂ કરવામાં આવી નથી. અરજન્ટ ચાર્જમાં જામીન અરજીઓ જ ચાલે અને તે પણ ઓનલાઇન છે, જેને લઈને જુનિયર વકીલો કાર્ટમાં રેગ્યુલર કામકાજ શરૂ કરવાની માગ કરી રહ્યા છે. સોશિયલ ડિસ્ટન્સની સાથે હાઈકોર્ટેની જે પણ સૂચના હોય, તેની સાથે નિચલી કોર્ટમાં કામગીરી શરૂ કરવામાં આવે. વકીલો અન્ય વ્યવસાય કરી શકતા નથી, જેથી જીવન નિર્વાહ માટે કોર્ટ શરૂ કરવાની માગણી વકીલોએ કરી છે.
આ પણ વાંચો: સોમવારથી ખુલી રહ્યા છે ધાર્મિક સ્થળો, મુખ્યપ્રધાન રૂપાણીએ વીડિયો કોન્ફરન્સથી ધાર્મિક આગેવાનો સાથે કરી ચર્ચા
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો