લક્ષદ્વીપનો પતંગ સૌથી ઉંચે ચગશે, પ્રફુલ પટેલે કહ્યુ-PM મોદીના એક પ્રવાસથી જ ઉંચાઈ આંબી, જુઓ

લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ પટેલ હિંમતનગરમાં ઉત્તરાયણની ઉજવણી કરી હતી. માલદીવ સામે હવે લક્ષદ્વીપમાં પ્રવાસીઓની સંખ્ય વધવા લાગી છે. આ દરમિયાન આકાશમાં ઉંચાઈઓ આંબતા પતંગની જેમ દુનિયામાં પર્યટન નક્શામાં લક્ષદ્વીપનું અલગ નામ તરી આવશે એવો વિશ્વાસ પ્રશાસક પ્રફુલ પટેલે વ્યક્ત કર્યો છે. તેઓએ રામ મંદિરને લઈને પણ વાત કરી હતી.

લક્ષદ્વીપનો પતંગ સૌથી ઉંચે ચગશે, પ્રફુલ પટેલે કહ્યુ-PM મોદીના એક પ્રવાસથી જ ઉંચાઈ આંબી, જુઓ
લક્ષદ્વીપનો પતંગ સૌથી ઉંચે ચગશે
Follow Us:
| Updated on: Jan 14, 2024 | 6:55 PM

લક્ષદ્વીપ આ સંઘપ્રદેશ હાલમાં ખૂબ જ ચર્ચામાં છે. સોશિયલ મીડિયામાં લક્ષદ્વીપની તસ્વીરો અને વીડિયો પણ છેલ્લા 10 દિવસથી ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. દેશના અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ, ખેલાડીઓ, બોલીવુડ સ્ટારથી લઈ સૌ કોઈ લક્ષદ્વીપને લઈ ચર્ચા કરી રહ્યુ છે. દેશના પોતાના પ્રવાસન સ્થળોને પ્રાધાન્ય આપવાની વાત કરી રહ્યા છે. આ દરમિયાન લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ પટેલ હાલમાં વતન ગુજરાત પ્રવાસે છે.

લક્ષદ્વીપથી, દીવ અને બાદમાં દમણથી હિંમતનગર પહોંચી મિત્રો સાથે ઉત્તરાયણની ઉજવણી કરી છે. ગુજરાતમાં પહોંચીને પ્રથમ ઈન્ટરવ્યૂ તેમનો સામે આવ્યો છે. જેમાં તેઓએ જણાવ્યુ છે કે, પીએમ મોદીના એક પ્રવાસથી જ લક્ષદ્વીપનુ પ્રવાસન જમીનથી આકાશની ઉંચાઈએ આંબતા પંતગની જેમ ઉંચાઈ પકડવા લાગ્યો છે.લક્ષદ્વીપ દેશ જ નહીં દુનિયાના પ્રવાસ સ્થળોના નક્શા પર અલગ જ તરી આવશે એ દિશામાં કાર્યો યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી રહ્યા છે.

ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?
અનિલ અંબાણીના શેરનું જોરદાર કમબેક...

પ્રફુલ પટેલે કાયાપલટ કરી

વર્ષ 2020માં પ્રશાસન સંભાળવા સાથે જ પ્રફુલ પટેલે પ્રથમ વાર ભારતના સુંદર બીચ પર પગ મુકતા જ તેઓએ અહીંના પ્રવાસનને વિકસાવવાનો સંકલ્પ કર્યો હતો. આ સાથે જ તેઓએ સ્થાનિક લોકોની સદીઓથી ચાલી આવતી હાડમારીઓને પણ દૂર કરવાનો સંકલ્પ કર્યો હતો અને જે સાર્થક કર્યો છે. પીવાના પાણીની સમસ્યાને દૂર કરી છે, તો શિક્ષણ અને રોજગારી ક્ષેત્રે પ્રથમવાર પ્રશાસને પડકારો વચ્ચે સફળતાપૂર્વક કાર્ય કરી દેખાડ્યુ છે. જેનાથી લોકોના જીવનધોરણમાં પરિવર્તન મોટાપાયે થવા જઈ રહ્યુ છે. જેને લઈ સ્થાનિક લોકો વચ્ચે પ્રફુલ પટેલ લોકપ્રિયતાને આંબવા લાગ્યા છે.

આ પણ વાંચો: કોંગ્રેસ, ભાજપ અને બળવો.. હવે ફરી પાછા કેસરીયા! લગ્ને-લગ્ને ‘કુંવારા’ MLA

પીએમ મોદીએ લક્ષદ્વીપની મુલાકાત લેતા જ માલદીવને પેટમાં પીડા ઉપડવા લાગી હતી અને અપમાનજનક ટીપ્પણીઓ શરુ કરી હતી. દેશ એક થઈને માલદીવને પાઠ ભણાવ્યો છે. બીજી તરફ માલદીવને બદલે હવે પ્રવાસીઓ લક્ષદ્વીપના આકર્ષણને માણવા લાગ્યા છે. આગામી માર્ચ મહિના સુધી અહીં પહોંચવા માટેની એર ટિકિટ વેચાઈ ચૂકી છે. અહીંના રિસોર્ટ અને અન્ય રોકાણસ્થળો પણ હાઉસફુલ બની ચૂક્યા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
g clip-path="url(#clip0_868_265)">