AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chhota Udepur : નસવાડીમાં પેટ માટે વેઠ, રોજગારી માટે લોકો છોડી રહ્યાં છે વતન

આદિવાસી બહુમતી ધરાવતા છોટાઉદેપુર જિલ્લાનાં છ જેટલા તાલુકામાંથી 5 તાલુકા એવા છે કે જ્યાં ભૌગોલિક સ્થિતિ વિસમ છે. ડુંગરો અને જંગલોથી ઘેરાયેલા વિસ્તારમાં ખેતી કરવી પણ કપરૂ કામ છે.

Chhota Udepur : નસવાડીમાં પેટ માટે વેઠ, રોજગારી માટે લોકો છોડી રહ્યાં છે વતન
Chhota Udepur
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 23, 2025 | 2:41 PM
Share

આદિવાસી બહુમતી ધરાવતા છોટાઉદેપુર જિલ્લાનાં છ જેટલા તાલુકામાંથી 5 તાલુકા એવા છે કે જ્યાં ભૌગોલિક સ્થિતિ વિસમ છે. ડુંગરો અને જંગલોથી ઘેરાયેલા વિસ્તારમાં ખેતી કરવી પણ કપરૂ કામ છે. પથરાળ વિસ્તાર હોવાથી લોકો મા-બાપને છોડી રોટલો રળવા અન્ય જિલ્લાઓમાં જવા મજબૂર બન્યા છે. સ્થાનિકો કારણ આપી રહ્યા છે કે અહિંયા રોજગારની કોઇ તકો જ નથી.

ખાસ કરીને નસવાડી, કવાંટ અને છોટા ઉદેપુર તાલુકા અતી પછાત છે. અહિંના લોકો કચ્છ, સુરેન્દ્રનગર અને ભાવનગરમાં જઇને પણ ખેતી જ કરે છે. હિજરત કરી ગયેલા આ લોકો ત્યાં પણ ખેતી જ કરે છે જેમાં ઉપજની અનિશ્ચિતતા છે, જોખમ છે. પરંતુ સ્થાનિક સ્તરે રોજગારીની તકો સાવ ધુંધળી છે.

1800ની વસ્તી ધરાવતું ગામ હાલ ખાલી ખમ

ઉદ્યોગો માટે કોઇ તક ન હોવાથી હિજરત કરી જતા લોકો વતનમાં છોડી જાય છે તેમનાં મા-બાપ. નસવાડીનાં હરિપુર ગામમાં આવા લાચાર વડીલોની ભરમાર છે. ગામની શેરીઓ સુમસામ અને ભેંકાર છે. રસ્તાઓ પર સન્નાટો વ્યાપેલો છે. એક સમયે 1800ની વસ્તી ધરાવતા આ ગામમાં હાલ તો મોટા ભાગનાં ઘરો પર તાળા લટકી રહ્યા છે. રળ્યા ખળ્યા ઘરોમાં વૃદ્ધો રોજગારી માટે હિજરત કરી ગયેલા પરિવારજનો પાછા આવે તેવી રાહ જોઇને બેસી રહ્યા છે.

વૃદ્ધો એકલવાયુ જીવન જીવવા મજબૂર

આ વૃદ્ધો સાજા માદા હોય ત્યારે તેમની કોઇ સેવા ચાકરી કરનારૂ નથી. ઘરડે ઘડપણ એકલવાયુ જીવન તેમને કોરી ખાય છે. બિમાર પડે તો શું થશે? ઘરમાં પાણી કે જમવાનું કોણ બનાવી આપશે? રોજે રોજ ઉભા થતા સવાલ વચ્ચે પરિવારથી વિખુટા વૃદ્ધો ગમે તેમ કરીને દિવસો કાઢે છે. હર્યો ભર્યો પરિવાર હોવા છતા પોતાની ખેતી છોડી લોકો અન્ય સ્થળે મજૂરી કરવા જાય છે જે વારે તહેવારે વર્ષમાં એકવાર ઘેર આવે છે.

રોજગારની તકો ન હોય તો તેના કારણે થતી હિજરતની સામાજિક અસરો કેવી હોય છે તેનું આ વરવુ ઉદાહરણ છે. ચૂંટણી ટાણે ડોર ટુ ડોર પ્રચાર ફરતા નેતા ક્યારેક આ વૃદ્ધોનાં ખબર અંતર પુછવા ઘેર આવે તો નેતાજીને આ વેદના સમજાય. જો અહીં ઉદ્યોગો સ્થપાય, રોજગારીની તકો ઉભી થાય. તો જ પેટના માટે વેઠ કરવાની આ લાચારીમાંથી પરિવારો મુક્ત થશે..ઘડપણનાં સહારા સમાન દિકરાઓએ તેમના ઘરડા મા-બાપને એકલવાયું જીવન જીવતા છોડીને રોજગારી મેળવવા રઝળપાટ ન કરવો પડે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">