Kheda : ડાકોર મંદિરે દર્શન કરવા જવાના હોવ તો થઇ જજો સાવધાન, મંદિરમાં જતા કરવો પડી શકે છે મુશ્કેલીનો સામનો

ખેડા (Kheda) જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર (Dakor) રણછોડજી મંદિરમાં દરરોજ હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો કાળીયા ઠાકોરના દર્શન કરવા ઉમટી પડતા હોય છે. ત્યારે તમે પણ જો દર્શન કરવા જવાના હોવ તો પહેલા ત્યાંની સ્થિતિ વિશે જાણી લેજો

Kheda : ડાકોર મંદિરે દર્શન કરવા જવાના હોવ તો થઇ જજો સાવધાન, મંદિરમાં જતા કરવો પડી શકે છે મુશ્કેલીનો સામનો
ડાકોર મંદિર સામે ખાડારાજ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 07, 2022 | 11:53 AM

ખેડા (Kheda) જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં જો આપ  રણછોડરાયના દર્શન અર્થે જવાનાં હોવ તો પહેલા આ સમાચાર વાચી લેજો. કારણ કે ડાકોર પાલિકાના અણઘડ આયોજનને કારણે તમને રણછોડજી મંદિર (Dakor Temple) સુધી પહોંચવામાં મુશ્કેલી પડી શકે છે. ડાકોરના (Dakor) રણછોડરાય મંદિરની બહાર જ પ્રિમોન્સૂન કામગીરી (Premonsoon operations) માટે ખાડા ખોદી દેવામાં આવ્યા છે. જેના કારણે મંદિરમાં જવા માટે ફરી ફરીને જવુ પડી શકે છે.

ખેડા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર રણછોડજી મંદિરમાં દરરોજ હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો કાળીયા ઠાકોરના દર્શન કરવા ઉમટી પડતા હોય છે. એક તરફ ચોમાસાની ઋતુને ગણતરીના દીવસો બાકી રહ્યાં છે. ત્યારે ડાકોર પાલિકા દ્વારા રણછોડજી મંદિર બહારનો આખો રોડ ખોદી નાખવામાં આવ્યો છે અને પાલિકા તંત્ર દ્વારા રોડ ઊંચો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પાલિકાના સત્તાધીશો જણાવી રહ્યાં છે કે, ચોમાસામાં મંદિર બહાર પાણી ભરાઈ જવાની સમસ્યા હતી તેનો નિકાલ કરવા હાલમાં આ ખોદકામ કરવામાં આવી રહ્યું છે. પરંતુ કોઈ પણ પ્રકારના નક્કર આયોજન વગર કામગીરી કરવામાં આવતા ડાકોર આવતા પ્રવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

મહત્વનું છે કે થોડા દિવસ પહેલા પણ યાત્રાધામાં ડાકોરમાં પુષ્કળ પ્રમાણમાં પાણીનો વેડફાટ જોવા મળ્યો હતો. પાણીની પાઇપ લાઈનમાં ભંગાણ થતા હજારો લીટર પાણીનો વ્યય થયો હતો. ડાકોર મંદિરથી બહાર નીકળવાના દરવાજા પાસે પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળ્યા હતા. નવા રસ્તાનું કામ ચાલતું હોવાના કારણે પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થતા આ દ્રશ્યો સર્જાયા હતા. કોન્ટ્રાક્ટરની બેદરકારીના લીધે પાણીનો વેડફાટ થતો હોવાનો લોકો આક્ષેપ કર્યો હતો.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">