Kheda : રઢુ ગામનું અનોખું મહાદેવનું મંદિર, 600 વર્ષથી ભગવાનને અર્પણ કરાયેલું શુદ્ધ ઘી હજુ બગડયું નથી

ખેડા ધોળકા હાઇવે પર વાત્રક નદી કિનારે આવેલ રઢુ ગામ ,ગામમાં 600 વર્ષ પહેલા કોઈ મંદિર ન હતું. જેથી ગામના એક મહાદેવ ભક્ત નદી ઓળંગી પુનાજ ગામમાં ભક્તિ કરવા જતા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 03, 2021 | 10:57 AM

પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. ત્યારે આજે આપને ખેડા જીલ્લાના એક એવા મહાદેવ મંદિરના દર્શન કરાવવા જઈ રહ્યા છે. જ્યાં મહાદેવને ફળ, ફૂલ કે શ્રીફળ નહિ પણ અર્પણ કરવામાં આવે છે શુદ્ધ ઘી. અને આ પરંપરા છેલ્લા ૬૦૦ વર્ષથી ચાલી આવી છે.

ખેડા ધોળકા હાઇવે પર વાત્રક નદી કિનારે આવેલ રઢુ ગામ ,ગામમાં 600 વર્ષ પહેલા કોઈ મંદિર ન હતું. જેથી ગામના એક મહાદેવ ભક્ત નદી ઓળંગી પુનાજ ગામમાં ભક્તિ કરવા જતા હતા. જોકે નદીમાં પુર આવવાને કારણે ભાવિક ભક્તને પુનાજ ગામે 8 દિવસ સુધી જઈ શક્યા નહિ. જોકે મહાદેવના ભક્તને રાત્રી સપનામાં મહાદેવજી આવ્યાને પુનાજ ગામેથી જ્યોત લાવી રઢુ ગામમાં મુકવા જણાવવામાં આવ્યું.

અને વિક્રમ સવંત 1454ના રોજ પુનાજ ગામેથી જ્યોત લાવી રઢુ ગામમાં દેરી બનાવી સ્થાપિત કરવામાં આવી. ત્યારથી નિયમ બનાવવામાં આવ્યો હતો કે ગામમાં જેના ઘરે ગાય કે ભેંસ વિયાણ થાય તેનું પહેલું ઘી મંદિરની જ્યોતમાં પૂરી જવું. જે વાતને આજે 600 કરતા વધારે વર્ષો થઇ ગયા અને આજે પણ એ પરંપરા ચાલુ રહી છે.

રઢુ ગામમાં આવેલ કામનાથ મહાદેવ મંદિરના દર્શન કરવા રાજ્યના જુદા જુદા ભાગોમાંથી ભાવિક ભક્તો આવતા હોય છે. અને તેમાં પણ મંદિરના ત્રણ ઘીના કોઠારો જોવા ખાસ આવતા હોય છે. 600 વરસથી સતત એકત્ર કરવામાં આવતા ઘીની કોઠીઓમાં ક્યારેય ઘી બગડતું નથી. આ પણ એક જીવતો જાગતો મહાદેવજીનો ચમત્કાર માનવામાં આવે છે.

Follow Us:
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
g clip-path="url(#clip0_868_265)">