ગુજરાતના યાત્રાધામો પરથી કોરોનાનું ગ્રહણ હટ્યુ, રાજ્યનાં ચાર મુખ્ય મંદિરની આવક પહોચી કરોડોમાં

કોરોનાકાળમાં લોકડાઉન દરમિયાન લગભગ 6 મહિના જેટલો સમય મંદિરો (Temples) ભક્તો માટે બંધ રહ્યા હતા. જો કે હાલમાં આ મંદિરો ભક્તો માટે ખુલી જતા શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. તેમજ શ્રદ્ધાળુઓએ (devotees) મોટા પ્રમાણમાં દાન કરી રહ્યા છે.

ગુજરાતના યાત્રાધામો પરથી કોરોનાનું ગ્રહણ હટ્યુ, રાજ્યનાં ચાર મુખ્ય મંદિરની આવક પહોચી કરોડોમાં
Income is increasing in famous temples of Gujarat
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 25, 2022 | 3:14 PM

કોરોનાકાળમાં સામાન્ય માણસના ધંધા-રોજગાર તો ઠપ થઇ જ ગયા હતા. સાથે જ ગુજરાતના (Gujarat) પ્રસિદ્ધ યાત્રાધામોમાં દર્શન માટે આવતા ભક્તોની (Devotees) સંખ્યા ઓછી થઇ જતા આવક ઘટી ગઇ હતી. જો કે હવે ગુજરાત સહિત દેશભરમાં કોરાનાના કેસ ખૂબ જ ઓછા થઇ ગયા છે. કોરોનાની મહામારીને લઇને સરકારની SOP માં છુટછાટ અપાતા ગુજરાતના મંદિરમાં (Temples) ભક્તોનો ધસારો વધી રહ્યો છે અને તેની સાથે દાનની સરવાણી પણ થઇ રહી છે. વર્ષ 2021-22માં ગુજરાતના મુખ્ય ચાર યાત્રાધામોમાં દાનની આવકમાં વધારો થયો છે.

કોરોનાકાળમાં લોકડાઉન દરમિયાન લગભગ 6 મહિના જેટલો સમય મંદિરો ભક્તો માટે બંધ રહ્યા હતા. જો કે હાલમાં આ મંદિરો ભક્તો માટે ખુલી જતા શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. તેમજ શ્રદ્ધાળુઓએ મોટા પ્રમાણમાં દાન કરી રહ્યા છે. ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી, સોમનાથ, ડાકોર અને દ્વારકાના મંદિરોમાં દાનનો ધોધ વહી રહ્યો છે. વર્ષ 2021-22માં આ મંદિરોમાં કરોડોનું દાન મળ્યુ છે. કોરોનાકાળ પહેલા આ મંદિરોમાં જે આવક થતી હતી. હાલમાં પણ તે પ્રમાણેની જ આવક થવા લાગી છે.

સોમનાથ મંદિર

સોમનાથ મંદિરમાં ભક્તો દિલ ખોલીને દાન કરી રહ્યા છે. મંદિરની આવકની વાત કરીએ તો વર્ષ 2019-20માં મંદિરમાં 46.3 કરોડની આવક હતી. જો કે નાણાકીય વર્ષ 2021-22માં અત્યાર સુધીમાં સોમનાથ મંદિરની આવક 50.95 કરોડ થઇ છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ડાકોરનું રણછોડરાય મંદિર

ડાકોરમાં આવેલા ભગવાન રણછોડરાય મંદિરને 2021-22માં દાન પેટે 14.2 કરોડ રૂપિયા મળ્યા છે. કોરોનાકાળ પહેલા એટલે કે 2019-20માં તેનો આંકડો 14 કરોડ હતો. 2020-21માં આવક ઘટીને 7.5 કરોડ રૂપિયા થઈ હતી.

દ્વારકાધીશ મંદિર

દ્વારકા મંદિરમાં પણ ભક્તોનો ધસારો વધી રહ્યો છે. જેના પગલે દાનની રકમ પણ વધી રહી છે. જ્યારે મંદિર ફરીથી ખુલ્યું ત્યારે મહામારી પહેલાના સમયની સરખામણીમાં શ્રદ્ધાળુઓની સંખ્યા અડધી થઈ ગઈ હતી. જો કે, તેમાં હવે 20 ટકાનો વધારો થયો છે. દાનની આવક પણ વધી છે. દ્વારકાધીશ મંદિરની આવક જે 2019-20માં 11.03 કરોડ હતી, તે ઘટીને 2020-21માં 6.44 કરોડ થઈ હતી. જો કે વર્ષ 2021-22માં દાનની આવક વધીને 13 કરોડ રૂપિયા થઈ છે.

અંબાજી મંદિર

કોરોનાકાળમાં ગુજરાતનું અંબાજી મંદિર જ એક માત્ર એવું હતુ કે જેણે મહામારી પહેલાના વર્ષમાં પણ આવકમાં વધારો નોંધાવ્યો નહોતો. જો કે વર્ષ 2021-22માં અંબાજી મંદિરની આવક પણ વધી છે. વર્ષ 2020-21માં આવકમાં એકદમથી ઘટાડો થયો હતો. કારણ કે મંદિર મુખ્ય તહેવારો પર બંધ રહ્યું હતું. ‘2019-20માં દાનનો આંકડો 51.63 કરોડ હતો, જે 2020-21માં ઘટીને 31.92 કરોડ થયો હતો. 2021-22માં 47.76 કરોડનું દાન મળ્યું હતું.

Latest News Updates

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">