AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નડિયાદ-અમદાવાદ હાઈ વે પર અકસ્માતમાં 4ના મોતમાં મોટો ઘટસ્ફોટ, બાઈક સવાર યુવકોની બાઈકને ટક્કર માર્યાનું પોલીસ તપાસમાં ખુલ્યું

આરોપીઓએ સ્કોર્પિયો લઇ ઓવર સ્પીડમાં પીછો કરી ટક્કર મારતાં બાઈક પર સવાર ચારેય યુવાનો વધારે ગભરાઈ ગયા હતા અને બાઈક પર કંટ્રોલ ગુમાવતા બાઈક હોટલ બહાર પાર્ક કરેલ ટ્રક સાથે ધડકાભેર અથડાતા ચારેય યુવાનોના મોત થયાં હતા.

નડિયાદ-અમદાવાદ હાઈ વે પર અકસ્માતમાં 4ના મોતમાં મોટો ઘટસ્ફોટ, બાઈક સવાર યુવકોની બાઈકને ટક્કર માર્યાનું પોલીસ તપાસમાં ખુલ્યું
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 20, 2022 | 12:10 PM
Share

નડિયાદ-ખેડા બાયપાસ હાઈવે પર 14 માર્ચની વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો. જેમાં ખેડા બાયપાસ હાઇવે પર સોખડા પાટીયા વેસ્ટર્ન હોટલના પાર્કિંગમાં ઉભેલા કન્ટેનરમાં પૂરઝડપે આવતું એક બાઈક અચાનક અથડાઇ ગયું હતુ, જેમાં બાઈક પર સવાર ચારેય યુવકના મૃત્યુ થયા હતાં. ચારેય યુવકો અમદાવાદના અમરાઈવાડી અને સીટીએમ વિસ્તારના રહેવાસી હતા. ઓવરસ્પીડના કારણે અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક અનુમાન હતું. પણ પોલીસ તપાસમાં ખુલ્યું છે કે યુવકોની બાઇકને ટક્કર મારવામાં આવી હતી.

અમદાવાદના ચાર યુવકોના મોતની તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે આ અકસ્માત નહોતો પણ અંગત અદાવતમાં હત્યા કરાઈ હતી. સમગ્ર ઘટના બનવા પાછળનું કારણ અંગત અદાવત હોવાનું બહાર આવ્યું છે. અગાઉની માથાકુટમાં અમદાવાદથી 8 યુવકો બાઈક અને સ્કૂટર લઇને નડિયાદ ઝઘડો કરવા આવ્યા હતા અને નડિયાદમાં રવિ ગોપાલ તળપદા, ધર્મેશ કાળુભાઈ તળપદા, અને વિજય અરવિદ તળપદા સાથે સરદાર ભવન પાસે ઝઘડો થયો હતો.

આરોપીઓ સ્થાનિક હોવાથી અમદાવાદથી આવેલા આઠેય છોકરાઓ ઝગડો મોટો થાય તો માર પડવાની બીકે અમદાવાદ જવા જુના નેશનલ હાઇવે પર નીકળી ગયા હતા. જ્યારે આરોપીઓએ સ્કોર્પિયો કારમાં અમદાવાદના યુવકોનો પીછો કરી બાયપાસ પર બે વખત બાઈકને ટક્કર મારતા બાઈક સવાર યુવકો વધારે ગભરાઈ ગયા હતા.

આરોપીઓએ સ્કોર્પિયો લઇ ઓવર સ્પીડમાં પીછો કરી ટક્કર મારતાં બાઈક પર સવાર ચારેય યુવાનો વધારે ગભરાઈ ગયા હતા અને બાઈક પર કંટ્રોલ ગુમાવતા બાઈક હોટલ બહાર પાર્ક કરેલ ટ્રક સાથે ધડકાભેર અથડાતા ચારેય યુવાનોના મોત થયાં હતા. બાઈકનો એક્સિડેન્ટ થતા આરોપીઓ સ્કોર્પિયો લઇ ફરાર થઈ ગયા હતા.

પોલીસ તપાસમં બહાર આવ્યું હતું કે મૃતકો જીતેશ રમેશભાઈ નોગીયા (ઉ.વ.૨૩, રહે. અમરાઈવાડી, અમદાવાદ) -હરીશ દિનેશભાઈ રાણા (ઉં.વ. ૧૯, રહે. અમદાવાદ) -નરેશ વિજયભાઈ વણઝારા (ઉ.વ.૨૨,રહે. અમરાઈવાડી, અમદાવાદ) -સુંદરમ ઉર્ફે છોટુ સુભાષભાઈ યાદવ (ઉં.વ. ૧૭,રહે. અમરાઈવાડી, અમદાવાદ)ને નડિયાદમાં પ્રેમ પ્રકરણની બાબતમાં આરોપીઓ સાથે ઝગડો થયો હતો.

હાલમાં માતર પોલીસે કલમ 304 હેઠળ ગુનો નોંધી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે અને નડિયાદના સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓ એકઠા કરી વધુ તપાસ કરી રહી છે.

આ પણ વાંચોઃ દાદરાનગર હવેલી: યુવતીએ મોતને વ્હાલુ કરવા નદીમાં છલાંગ લગાવી, સ્થાનિક યુવકના સાહસે તેની જીંદગી બચાવી

આ પણ વાંચોઃ Ahmedabad: 2 દિવસમાં નશો કરીને ડ્રાઈવ કરનારા 84 લોકો વિરુદ્ધ કેસ, હજુ પણ નિયમ તોડનારાઓની ખેર નથી

Follow Us
રાજકોટને ઉનાળામાં નહીં સતાવે પાણીની અછત
રાજકોટને ઉનાળામાં નહીં સતાવે પાણીની અછત
મહિસાગરના લુણાવાડાના વરધરીને તાલુકો બનાવવાની માગ બની પ્રબળ
મહિસાગરના લુણાવાડાના વરધરીને તાલુકો બનાવવાની માગ બની પ્રબળ
ભક્તોના દાન પર પૂજારીઓની 'ગંદી નજર', કલેક્ટરે ફટકારી 11 સામે ફરિયાદ
ભક્તોના દાન પર પૂજારીઓની 'ગંદી નજર', કલેક્ટરે ફટકારી 11 સામે ફરિયાદ
રાંઘણગેસની અછતથી મુંબઈ-દાદરના અશોક વડાપાઉને તાળા વાગ્યાં
રાંઘણગેસની અછતથી મુંબઈ-દાદરના અશોક વડાપાઉને તાળા વાગ્યાં
કુંકાવાવથી રાજ્યની પ્રથમ જળસંચય કામગીરીનો કૌશિક વેકરીયાએ કર્યો પ્રારંભ
કુંકાવાવથી રાજ્યની પ્રથમ જળસંચય કામગીરીનો કૌશિક વેકરીયાએ કર્યો પ્રારંભ
ગેસની અછતને પગલે પાવાગઢ ભોજનાલયમાં મેનુમાં કરાયો ફેરફાર- Video
ગેસની અછતને પગલે પાવાગઢ ભોજનાલયમાં મેનુમાં કરાયો ફેરફાર- Video
જાણો ઊંધ ના આવવાના કારણો અને ગાઢ ઊંધ લાવવાના ઉપાયો
જાણો ઊંધ ના આવવાના કારણો અને ગાઢ ઊંધ લાવવાના ઉપાયો
મહીસાગરમાં તંત્રની સતર્કતા, બે બાળ લગ્ન અટકાવાયા
મહીસાગરમાં તંત્રની સતર્કતા, બે બાળ લગ્ન અટકાવાયા
પંચાયતના પ્રમુખ ધારાસભ્યને રડતા રડતા આજીજી કરતાનો ઓડિયો વાયરલ
પંચાયતના પ્રમુખ ધારાસભ્યને રડતા રડતા આજીજી કરતાનો ઓડિયો વાયરલ
8 દિવસ વહેલા આવી કેરી ! ગોંડલયાર્ડમાં 200 બોક્સ કેરીની આવક
8 દિવસ વહેલા આવી કેરી ! ગોંડલયાર્ડમાં 200 બોક્સ કેરીની આવક
g clip-path="url(#clip0_868_265)">