AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નડિયાદ-અમદાવાદ હાઈ વે પર અકસ્માતમાં 4ના મોતમાં મોટો ઘટસ્ફોટ, બાઈક સવાર યુવકોની બાઈકને ટક્કર માર્યાનું પોલીસ તપાસમાં ખુલ્યું

આરોપીઓએ સ્કોર્પિયો લઇ ઓવર સ્પીડમાં પીછો કરી ટક્કર મારતાં બાઈક પર સવાર ચારેય યુવાનો વધારે ગભરાઈ ગયા હતા અને બાઈક પર કંટ્રોલ ગુમાવતા બાઈક હોટલ બહાર પાર્ક કરેલ ટ્રક સાથે ધડકાભેર અથડાતા ચારેય યુવાનોના મોત થયાં હતા.

નડિયાદ-અમદાવાદ હાઈ વે પર અકસ્માતમાં 4ના મોતમાં મોટો ઘટસ્ફોટ, બાઈક સવાર યુવકોની બાઈકને ટક્કર માર્યાનું પોલીસ તપાસમાં ખુલ્યું
પોલીસે કલમ 304 હેઠળ ગુનો નોંધી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 20, 2022 | 12:10 PM
Share

નડિયાદ-ખેડા બાયપાસ હાઈવે પર 14 માર્ચની વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો. જેમાં ખેડા બાયપાસ હાઇવે પર સોખડા પાટીયા વેસ્ટર્ન હોટલના પાર્કિંગમાં ઉભેલા કન્ટેનરમાં પૂરઝડપે આવતું એક બાઈક અચાનક અથડાઇ ગયું હતુ, જેમાં બાઈક પર સવાર ચારેય યુવકના મૃત્યુ થયા હતાં. ચારેય યુવકો અમદાવાદના અમરાઈવાડી અને સીટીએમ વિસ્તારના રહેવાસી હતા. ઓવરસ્પીડના કારણે અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક અનુમાન હતું. પણ પોલીસ તપાસમાં ખુલ્યું છે કે યુવકોની બાઇકને ટક્કર મારવામાં આવી હતી.

અમદાવાદના ચાર યુવકોના મોતની તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે આ અકસ્માત નહોતો પણ અંગત અદાવતમાં હત્યા કરાઈ હતી. સમગ્ર ઘટના બનવા પાછળનું કારણ અંગત અદાવત હોવાનું બહાર આવ્યું છે. અગાઉની માથાકુટમાં અમદાવાદથી 8 યુવકો બાઈક અને સ્કૂટર લઇને નડિયાદ ઝઘડો કરવા આવ્યા હતા અને નડિયાદમાં રવિ ગોપાલ તળપદા, ધર્મેશ કાળુભાઈ તળપદા, અને વિજય અરવિદ તળપદા સાથે સરદાર ભવન પાસે ઝઘડો થયો હતો.

આરોપીઓ સ્થાનિક હોવાથી અમદાવાદથી આવેલા આઠેય છોકરાઓ ઝગડો મોટો થાય તો માર પડવાની બીકે અમદાવાદ જવા જુના નેશનલ હાઇવે પર નીકળી ગયા હતા. જ્યારે આરોપીઓએ સ્કોર્પિયો કારમાં અમદાવાદના યુવકોનો પીછો કરી બાયપાસ પર બે વખત બાઈકને ટક્કર મારતા બાઈક સવાર યુવકો વધારે ગભરાઈ ગયા હતા.

આરોપીઓએ સ્કોર્પિયો લઇ ઓવર સ્પીડમાં પીછો કરી ટક્કર મારતાં બાઈક પર સવાર ચારેય યુવાનો વધારે ગભરાઈ ગયા હતા અને બાઈક પર કંટ્રોલ ગુમાવતા બાઈક હોટલ બહાર પાર્ક કરેલ ટ્રક સાથે ધડકાભેર અથડાતા ચારેય યુવાનોના મોત થયાં હતા. બાઈકનો એક્સિડેન્ટ થતા આરોપીઓ સ્કોર્પિયો લઇ ફરાર થઈ ગયા હતા.

પોલીસ તપાસમં બહાર આવ્યું હતું કે મૃતકો જીતેશ રમેશભાઈ નોગીયા (ઉ.વ.૨૩, રહે. અમરાઈવાડી, અમદાવાદ) -હરીશ દિનેશભાઈ રાણા (ઉં.વ. ૧૯, રહે. અમદાવાદ) -નરેશ વિજયભાઈ વણઝારા (ઉ.વ.૨૨,રહે. અમરાઈવાડી, અમદાવાદ) -સુંદરમ ઉર્ફે છોટુ સુભાષભાઈ યાદવ (ઉં.વ. ૧૭,રહે. અમરાઈવાડી, અમદાવાદ)ને નડિયાદમાં પ્રેમ પ્રકરણની બાબતમાં આરોપીઓ સાથે ઝગડો થયો હતો.

હાલમાં માતર પોલીસે કલમ 304 હેઠળ ગુનો નોંધી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે અને નડિયાદના સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓ એકઠા કરી વધુ તપાસ કરી રહી છે.

આ પણ વાંચોઃ દાદરાનગર હવેલી: યુવતીએ મોતને વ્હાલુ કરવા નદીમાં છલાંગ લગાવી, સ્થાનિક યુવકના સાહસે તેની જીંદગી બચાવી

આ પણ વાંચોઃ Ahmedabad: 2 દિવસમાં નશો કરીને ડ્રાઈવ કરનારા 84 લોકો વિરુદ્ધ કેસ, હજુ પણ નિયમ તોડનારાઓની ખેર નથી

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">