કચ્છ આવેલા મહેસુલ મંત્રીએ કહ્યું લેન્ડગ્રેબીંગનો કેસ કરતાં તંત્ર કે અધિકારીઓએ ખચકાવું નહિ

મહેસુલમંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી જણાવ્યું હતું કે કચ્છની સામૂહિક સમસ્યાના ત્રણ પ્રશ્નો અમારા સુધી મોકલો અમારી સરકાર તેના માટે  કામ કરશે. પારદર્શિતાથી સાંથણીની  જમીનના પ્રશ્નોનો હલ કરવાનો આદેશ સમગ્ર રાજ્યના કલેક્ટરોને સમાચાર માધ્યમો દ્વારા અપાયો છે

કચ્છ આવેલા મહેસુલ મંત્રીએ કહ્યું લેન્ડગ્રેબીંગનો કેસ કરતાં તંત્ર કે અધિકારીઓએ ખચકાવું નહિ
The revenue minister from Kutch said that the system or officials should not hesitate in the case of land grabbing
Follow Us:
Jay Dave
| Edited By: | Updated on: Nov 11, 2021 | 6:36 PM

મહેસૂલમંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીના અધ્યક્ષ સ્થાને અબડાસા તાલુકાના ડુમરા ગામે ૨૮૫ ખેડૂતોને  સાંથણીમાં મળેલ જમીનની કબ્જા પાવતી અને સનદ સોંપણી વિતરણનો કાર્યક્રમ આજે યોજાયો હતો. સરકારી કે ખાનગી જમીનો પર ગેરકાયદેસર દબાણ કરનાર પર કાયદાના પગલાં ભરાશે.તેમ જણાવી સાંથણીની જમીન પર દબાણો કરનાર પર કડકાઈથી કાયદાની અમલવારી કરી હક ધરાવતા ખેડૂતોને જમીનનો કબ્જો સોંપવાનો કાર્યક્રમ આજથી અબડાસા બેઠકથી પ્રારંભ કરાયો હતો.

લેન્ડગ્રેબીંગનો કેસ કરતાં તંત્ર કે અધિકારીઓએ ખચકાવું નહિ.સમગ્ર રાજ્ય અને વહીવટીતંત્ર અને મારો મહેસુલ વિભાગ આ સાંથણીની  જમીન સોંપવા કાર્યવાહી કરવા તત્પર છે.  પ્રધાનમંત્રીના દરેકને પોતાનું ઘર મળે તે સ્વપ્નોને સાકાર કરવામાં આનાથી મદદ મળશે એમ મહેસૂલ મંત્રીએ જણાવ્યું હતુ આકારણી વગરના મકાનોના પ્રશ્નો અને વિશેષ કચ્છમાં આવેલ ભૂકંપ બાદ એન.જી.ઓ., ધાર્મિક સંસ્થાઓ અને સરકારના સહયોગથી ઉભા થયેલા મકાનો માટે ઝડપથી કામગીરી અમલી થશે તેવી ખાતરી પણ રાજેન્દ્ર ત્રિવેદ્રીએ આપી હતી.

મહેસુલમંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી જણાવ્યું હતું કે કચ્છની સામૂહિક સમસ્યાના ત્રણ પ્રશ્નો અમારા સુધી મોકલો અમારી સરકાર તેના માટે  કામ કરશે. પારદર્શિતાથી સાંથણીની  જમીનના પ્રશ્નોનો હલ કરવાનો આદેશ સમગ્ર રાજ્યના કલેક્ટરોને સમાચાર માધ્યમો દ્વારા અપાયો છે. કાર્યક્રમ દરમ્યાન કચ્છના જનપ્રતિનિધિઓની કોઠાસૂઝથી કચ્છના વિકાસની પણ મહેસુલમંત્રીએ પ્રશંસા કરી હતી. પોતાના કાર્યક્રમ દરમ્યાન તેઓ કચ્છ માતાનામઢ દર્શન માટે પણ ગયા હતા.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ ચોલી, હાથમાં ચૂડો, હેવી જ્વેલરી..લગ્નના લહેંગામાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

નોંધનીય છેકે આ કાયદો The Gujarat Land Grabbing Act-2020 (ઘ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ-૨૦૨૦) કહેવાશે. આ અઘિનિયમની કલમ ૧૬ની પેટા કલમ (૧) થી મળેલી સતાની રૂએ ગુજરાત સરકારે આ અંગેના નિયમો કર્યા છે. જે ગુજરાત લેન્ડ ગ્રેબીંગ (પ્રોહિબીશન) નિયમો-૨૦૨૦ કહેવાશે. જે નિયમો રાજ૫ત્રમાં પ્રસિદ્ઘિની તારીખે અમલમાં આવ્યા છે. એટલે કે ૧૬ ડિસેમ્બર ૨૦૨૦ ના રોજ અમલમાં આવેલ છે.

અરજી કરવા માટે વિવાદીત જમીન જે જગ્યાએ આવેલી હોય તે વિસ્તાર ૫ર હકુમત ઘરાવતા જિલ્લા કલેકટરને વ્યક્તિગત અથવા ટપાલ દ્વારા અરજી કરવાની રહેશે. એટલે પ્રશ્નવાળી જમીન જે જિલ્લાની હદમાં આવેલી હોય તે જિલ્લાના જિલ્લા કલેકટરને વ્યક્તિગત રૂબરૂ અથવા ટપાલ દ્વારા અરજી કરી શકાય છે.

આ પણ વાંચો : દાહોદ : લીમડીના બહુચર્ચિત લૂંટ અને મર્ડર કેસનો મુખ્ય આરોપી આખરે પાંચ વર્ષ બાદ ઝડપાયો

આ પણ વાંચો : જજો-ન્યાયતંત્ર વિરુદ્ધ સોશિયલ મીડિયા પર અપમાનજનક ટિપ્પણી કરવાના કેસમાં CBIએ વધુ 6 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">