કચ્છ યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં વિશાળ જનમેદનીને વડાપ્રધાનનું સંબોધન, કહ્યુ ‘ભૂકંપ બાદ કચ્છે પોતાને જ નહીં સમગ્ર ગુજરાતને ગતિ આપી છે’

કચ્છ યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં કચ્છી ભાષાથી વડાપ્રધાન મોદીએ (Prime Minister Modi) પોતાના સંબોધનની શરુઆત કરી હતી. સંબોધનની શરુઆતમાં વડાપ્રધાને જણાવ્યુ હતુ કે, આજે મારુ મન ઘણી બધી ભાવનાઓથી ભરેલુ છે.

કચ્છ યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં વિશાળ જનમેદનીને વડાપ્રધાનનું સંબોધન, કહ્યુ 'ભૂકંપ બાદ કચ્છે પોતાને જ નહીં સમગ્ર ગુજરાતને ગતિ આપી છે'
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 28, 2022 | 3:34 PM

કચ્છના (Kutch) ભુજમાં ભવ્ય રોડ શો યોજ્યા બાદ વડાપ્રધાન મોદીએ (Prime Minister Modi) સ્મૃતિવનનું લોકાર્પણ કર્યું. જે બાદ પીએમ મોદીએ કચ્છ યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં (Kutch University Ground) જનસભાને સંબોધિત કરી. આ દરમ્યાન પીએમ મોદીએ જણાવ્યું કે સ્મૃતિવન એ સમગ્ર દેશની વેદનાનું પ્રતિક છે. વર્ષ 2001ના વિનાશકારી ભૂકંપ બાદ કચ્છ ક્યારેય ઉભું નહીં થાય તેવું ઘણાએ કહ્યું હતું પરંતુ ભૂકંપ બાદ કચ્છનો અકલ્પનીય વિકાસ થયો, જે સમગ્ર વિશ્વ માટે રિસર્ચનો વિષય છે. કચ્છના ખમીરવંતા લોકોએ અહીંની તસવીર બદલી નાંખી. જે પ્રકારે કચ્છ બેઠું થયું એ જ રીતે તમામ અવરોધોને પાર કરી ભારત પણ વર્ષ 2047માં વિકસીત રાષ્ટ્ર બનશે તેમ વડાપ્રધાને જણાવ્યું.

કચ્છી ભાષાથી સંબોધનની શરુઆત

કચ્છ યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં કચ્છી ભાષાથી વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનની શરુઆત કરી હતી. સંબોધનની શરુઆતમાં વડાપ્રધાને જણાવ્યુ હતુ કે, આજે મારુ મન ઘણી બધી ભાવનાઓથી ભરેલુ છે. કચ્છમાં બનેલુ સ્મૃતિવન આખા દેશની વેદનાનું પ્રતીક છે. અનેક લોકોના આંસુથી સ્મૃતિવનના પથ્થરો સિંચાયા છે. રોડ શોમાં જે સ્વાગત થયુ અને ત્યાર બાદ સ્મૃતિવનના મેમોરિયલમાં હું ગયો તો ત્યાથી બહાર આવવાની ઇચ્છા જ નહોંતી થતી.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

દુનિયાના સારા સ્મારકોને ટક્કર મારે તેવુ સ્મૃતિવન બનાવાયુ: વડાપ્રધાન મોદી

વડાપ્રધાને કહ્યુ કે, સ્મૃતિવનમાં પ્રદર્શન નિહાળીને જુની યાદો તાજી થઇ ગઇ છે. તેમણે કહ્યુ કે, આપણુ સ્મૃતિવન દુનિયાના સારા સ્મારકોની તુલનામાં એક પગલુ પણ ઓછુ નથી. શાળાના બાળકોને આ સ્મૃતિવન અવશ્ય બતાવવું જોઇએ. મુખ્યપ્રધાન બન્યો ત્યારે મારા સેવાકાર્યોના અનુભવોએ મારો સાથ આપ્યો. મે ત્યારે જ નક્કી કરેલુ હતુ કે તમારા દરેક દુખમાં હું ભાગીદાર બનીશ.

‘કચ્છના ઘરે ઘર સુધી પાણી પહોંચવા લાગ્યુ’

વડાપ્રધાને જણાવ્યુ કે, 2001ની તબાહી બાદ કચ્છમાં થયેલુ કામ અકલ્પનીય હોવાનું લોકો માની રહ્યા છે. આજે કચ્છના વિકાસને લગતા રૂ. 4,000 કરોડથી વધુના અન્ય પ્રોજેક્ટનું પણ લોકાર્પણ અને લોકાર્પણ કરવામાં આવ્યું છે. જેમાં પાણી, વીજળી, રસ્તા અને ડેરી સંબંધિત પ્રોજેક્ટ સામેલ છે. આ ગુજરાતમાં કચ્છના વિકાસ માટે ડબલ એન્જિન સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આજે કચ્છના દરેક ઘરે પાણી પહોંચવા લાગ્યુ છે. કોઇએ કલ્પના પણ નહીં કરી હોય કે કચ્છના ઘરે ઘર સુધી પાણી પહોંચવા લાગશે. જ્યાં પાણી કચ્છ જિલ્લા માટે પડકાર હતો, તેની સામે આજે આ સમસ્યા હલ થઇ છે.

‘કચ્છે પોતાને જ નહીં સમગ્ર ગુજરાતને ગતિ આપી છે’

વડાપ્રધાને પોતાના સંબોધનમાં જણાવ્યુ હતુ કે, દેશમાં ગુજરાતને બદનામ કરવા અનેક ષડયંત્રો કરાયા છે. જો કે ભૂકંપ પછી ઊભા થયેલા કચ્છે પોતાને જ નહીં સમગ્ર ગુજરાતને ગતિ આપી છે. વડાપ્રધાને જણાવ્યુ કે, કચ્છની દાબેલી, ભેળપુરી, છાશ અને ખારેક દુનિયાભરમાં વખણાય છે. કચ્છમાંથી અનેક ફળ આજે વિદેશ સુધી મીઠાશ ફેલાવી રહ્યા છે. વડાપ્રધાને કહ્યુ કે, તેમાં કચ્છના કમલમ ફ્રુટની પણ બાદબાકી ન થઇ શકે.

‘દુનિયાનો કોઇ એવો વ્યક્તિ નહીં હોય જેણે કચ્છનું મીઠુ નહીં ખાધુ હોય’

કચ્છમાં 2001ના વિનાશ બાદ જે કામ થયું છે તે અકલ્પનીય છે. ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા યુનિવર્સિટીની રચના કચ્છમાં 2003 માં કરવામાં આવી હતી, જ્યારે ત્યાં 35 થી વધુ નવી કોલેજો પણ સ્થાપવામાં આવી છે. સાથે વડાપ્રધાને એવુ પણ કહ્યુ કે, દુનિયાનો કોઇ એવો વ્યક્તિ નહીં હોય જેણે કચ્છનું મીઠુ નહીં ખાધુ હોય. કચ્છમાંથી જ દેશનું 30 ટકા મીઠુ ઉત્પન્ન થાય છે. કચ્છમાં જ દુનિયાના સૌથી મોટા સિમેન્ટ પ્લાન્ટ છે. ગુજરાતમાં ગ્રીન હાઇડ્રોજન કેપિટલમાં ગુજરાતનું મોટુ યોગદાન હોવાનું પણ વડાપ્રધાને જણાવ્યુ હતુ.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">