AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai News: ગુજરાતના NRI દંપતી સાથે મુંબઈમાં કરૂણાંતિકા, હોટલમાં લાગેલી આગમાં મોત

NRI કિશન હલાઈ અને તેની 25 વર્ષીય પત્ની રૂપલ વેકરિયા, જેમનું રવિવારે મુંબઈની એક હોટલમાં લાગેલી આગમાં મોત થયું છે. આ તમામ ત્રણ લોકો મહારાષ્ટ્રની રાજધાની મુંબઈથી  નૈરોબી પહોંચી લગ્ન કરવાના હતા, પરંતુ આ બાબતમાં સમય સામે કોનું ચાલ્યું આજ સુધી.

Mumbai News: ગુજરાતના NRI દંપતી સાથે મુંબઈમાં કરૂણાંતિકા, હોટલમાં લાગેલી આગમાં મોત
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 28, 2023 | 9:30 PM
Share

ગુજરાતના કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના રામપર ગામના સરપંચ સુરેશ કારાએ જણાવ્યું હતું કે, કિશન, રૂપલ, તેમની માતા અને બહેનને તેમની ફ્લાઇટ રિશિડ્યુલ થયા બાદ સંબંધિત એરલાઇન્સ દ્વારા સાંતાક્રુઝમાં ગ્રાઉન્ડ-પ્લસ-ચાર માળની ગેલેક્સી હોટેલ રહેવા આપવામાં આવી હતી.

કિશન હલાઈ અને વેકરિયાનો પરિવાર રામપર ગામનો છે. હોટલના ત્રીજા માળે રવિવારે બપોરે આગ ફાટી નીકળી હતી, જેમાં કિશન હલાઈ (28), રૂપલ વેકરિયા (25) અને અન્ય એક વ્યક્તિ કાંતિલાલ વારા (50)નું મોત થયું હતું. આ ઘટનામાં રૂપલની માતા મંજુલાબેન (49), બહેન અલ્પા (19) અને અસલમ શેખ (48) ઘાયલ થયા હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.

માંડવી તાલુકાના રામપર ગામના સરપંચ સુરેશ કારાએ કહ્યું, “કિશન હલાઈ અને તેની પત્ની રૂપલ વેકરિયા ઘણા વર્ષોથી નૈરોબીમાં રહે છે.” જોકે અન્ય એક ભોગ બનનાર કાંતિલાલ વારાને વેકરિયા અને કિશન સાથે કોઈ સંબંધ ન હતો.

ગામના સરપંચના જણાવ્યા અનુસાર, કિશન અને રૂપલનો પરિવાર ઘણા વર્ષો પહેલા વિદેશમાં સ્થાયી થયા હોવા છતાં તેમના મૂળ સાથે જોડાયેલા હતા. કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના રામપર ગામમાં તેમનું પૌતૃક ઘર આજે પણ મોજૂદ છે.

સરપંચને વધુમાં જણાવ્યુ હતું કે “કિશન અને રૂપલની સગાઈ થઈ ગઈ હતી અને તેઓ નૈરોબી પહોંચ્યા પછી ટૂંક સમયમાં જ લગ્ન કરવાનું વિચારી રહ્યા હતા, જ્યાં તેઓ ઘણા વર્ષોથી તેમના માતાપિતા અને ભાઈ-બહેનો સાથે રહેતા હતા. કિશન, રૂપલ અને તેમના પરિવારજનો લગભગ એક મહિના પહેલા કિશનની નાની દીકરીના લગ્નમાં હાજરી આપવા ભારત આવ્યા હતા.

તેણે કહ્યું કે કિશનના દાદા-દાદી હજુ પણ રામપર ગામમાં રહે છે. જ્યારે કિશનનો જન્મ અને ઉછેર તેની કિશોરાવસ્થા સુધી ગામમાં થયો હતો, ત્યારે રૂપલનો જન્મ નૈરોબીમાં થયો હતો. જ્યારે કિશન લગભગ 13 વર્ષનો હતો, સરપંચ કારાએ કહ્યું, તે તેના માતાપિતા સાથે નૈરોબી ગયો.

આ પણ વાંચો : ભૂતકાળમાંથી લીધો બોધપાઠ, PM મોદી પર સીધો હુમલો નહીં કરે વિપક્ષ, આ નિર્ણયો INDIAની મુંબઈ બેઠકમાં લેવાશે

કારાએ કહ્યું, “તે બધા શનિવારે નૈરોબીની ફ્લાઈટમાં બેસીને અમદાવાદથી મુંબઈ પહોંચ્યા હતા. ફ્લાઇટ રી શેડ્યુલ કરવામાં આવી હોવાથી, એરલાઇન્સે તેમને સાંતાક્રુઝ નજીકની એક હોટલમાં રાખવામા આવ્યા હતા. જ્યાં રવિવારે આગ લાગી હતી.

રાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">