Kutch: નર્મદાના પાણી મુદ્દે ખેડૂતો લડતના મૂડમાં, સરકારને આપ્યું અલ્ટીમેટમ

ગુજરાતના(Gujarat) કચ્છના(Kutch) છેવાડાના ગામો સુધી નર્મદાનુ પાણી(Narmda Water)પહોચે તે માટે ગુજરાતની ભાજપ સરકારે અનેક પ્રયત્નો પણ કર્યા અને કચ્છમાં નર્મદાનુ અવતરણ થયુ. તેમજ આજે અંજારના ટપ્પર ડેમ સુધી નર્મદાના પાણી પહોચ્યા છે. જો કે 2006માં સરકારે જાહેરાત કરી હતી કે કચ્છને વધારાનુ એક મિલીયન ફીટ પાણી મળશે પરંતુ આજે આટલા વર્ષો બાદ આ જાહેરાત પુર્ણ […]

Kutch: નર્મદાના પાણી મુદ્દે ખેડૂતો લડતના મૂડમાં, સરકારને આપ્યું અલ્ટીમેટમ
Kutch Farmers protest Over Narmada Water Issue
Follow Us:
Jay Dave
| Edited By: | Updated on: Jan 11, 2022 | 4:56 PM

ગુજરાતના(Gujarat) કચ્છના(Kutch) છેવાડાના ગામો સુધી નર્મદાનુ પાણી(Narmda Water)પહોચે તે માટે ગુજરાતની ભાજપ સરકારે અનેક પ્રયત્નો પણ કર્યા અને કચ્છમાં નર્મદાનુ અવતરણ થયુ. તેમજ આજે અંજારના ટપ્પર ડેમ સુધી નર્મદાના પાણી પહોચ્યા છે. જો કે 2006માં સરકારે જાહેરાત કરી હતી કે કચ્છને વધારાનુ એક મિલીયન ફીટ પાણી મળશે પરંતુ આજે આટલા વર્ષો બાદ આ જાહેરાત પુર્ણ કરાઇ નથી.

ભુજના ટીનસીટી ગ્રાઉન્ડમા કચ્છ ભરના ખેડુતોએ ધરણા યોજ્યા

જો કે 2021 માં કચ્છના ખેડુતોએ(Farmers)  વાંરવારની રજુઆત પછી વડાપ્રધાન સમક્ષ નર્મદાના વધારાના પાણીની યોજના ઝડપી શરૂ કરી પુર્ણ કરવા માંગ કરી હતી. જે અંગે કોઇ હકારાત્મક પરિણામ ન આવતા કચ્છના કિસાનોએ વિરોધ શરૂ કર્યો છે. અનેક રજુઆત અને ધરણા પછી મંગળવારે ભુજના ટીનસીટી ગ્રાઉન્ડમા કચ્છ ભરના ખેડુતોએ ધરણા યોજવા સાથે 20 તારીખ સુધી લેખીતમાં મંજુર થયેલા 3500 કરોડના કામો ઝડપથી વહીવટી મંજુરી આપી શરૂ કરે નહી તો 21 તારીખથી લડત વધુ ઉગ્ર બનશે

કચ્છભરમાંથી ખેડુતોને સમર્થન

ખેતી અને પશુપાલન આધારીત કચ્છ જીલ્લામાં વારંવરા દુકાળ વચ્ચે અહીના લોકો પાણીનુ મહત્વ સમજે છે અને તેથીજ કચ્છ માટે નર્મદાના પાણી કેટલા જરૂરી છે. તે દરેક લોકો સમજે છે. ખેડુતોએ નર્મદાના વધારાના પાણી મુદ્દે શરૂ કરેલી લડતને કચ્છમાંથી અનેક ધાર્મીક સંસ્થાના સંતો અને સામાજીક સંસ્થાઓએ સમર્થન આપ્યુ છે.

IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ

કચ્છના વિવિધ સમાજ,ઓદ્યોગીક સંસ્થાને પણ ટેકો જાહેર કર્યો

જેમાં ભુજ સ્વામીનારાયણ મંદિરના સંતો સહિત અનેક મહંતો પણ વિરોધમાં જોડાયા હતા અને ખેડુતોને ટેકો જાહેર કર્યો હતો. તો કચ્છના વિવિધ સમાજ,ઓદ્યોગીક સંસ્થાને પણ ટેકો જાહેર કર્યો હતો. ખેડુતોને દાવો છે કે વિવિધ ગ્રામ પંચાયત સહિત અત્યાર સુધી 600થી વધુ સંસ્થાન પંચાયતે ટેકો જાહેર કર્યો છે.

ખેડુતો વિરોધ ચાલુ રાખશે

તેમજ હવે આશ્વાસન નહી સરકાર જ્યા સુધી નક્કર લેખીત જવાબ નહી આપે ત્યા સુધી ખેડુતો વિરોધ ચાલુ રાખશે જેથી 20 તારીખ પહેલા કચ્છ માટે સરકાર કાઇ નક્કર વિચારે નહી તો 21 તારીખથી કચ્છના સાંસદ-ધારાસભ્યને ધેરાવ તથા સરકારી કાર્યક્રમના બહિષ્કાર અને ચક્કાજામ સહિત કચ્છ બંધનુ એલાન પણ ખેડુતો આપશે તેવી જાહેરાત ધરણા સ્થળેથી ખેડુતોએ કરી હતી.

યોજનાથી કચ્છને મોટો ફાયદો

કચ્છમાં પીવાના પાણીની જરૂરીયાત નર્મદાનુ પાણી મળતા હળવી બની છે. પરંતુ હજુ પણ કચ્છમાં સિચાઇ માટેના પાણી પુરતા મળતા નથી તેવામા નર્મદા ડેમમાંથી જે રીતે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતને લાભ મળી રહ્યા છે તે પાણી કચ્છને મળવાનુ હતુ 2006માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આ માટે જાહેરાત કરી કચ્છને વધારાના 1 મીલીયન ફીટ પાણી આપવાની જાહેરાત કરાઇ હતી ત્યાર બાદ વિજય રૂપાણી સરકારમાં નર્મદાના કામ માટે બજેટમાં 3500 કરોડ રૂપીયાની જાહેરાત કરાઇ હતી.

2006 થી કામ વિલબીંત

પરંતુ 2006 થી કામ વિલબીંત છે. ખરેખર નર્મદાથી-નારાયણ સરોવર સુધી પાણી પહોંચે તેવુ આયોજન હતુ પરંતુ 2014 માં કચ્છના ભચાઉ અને ત્યાર બાદ પીવા તથા સિંચાઇ માટે અંજાર સુધી પાણી પહોચ્યુ છે. પરંતુ જો નર્મદાનુ પુરૂતુ પાણી કચ્છને મળે તો ખેતી-પશુપાલન સહિત અનેક ફાયદો કચ્છને મળે તેમ છે. સાથે સરહદી વિસ્તારોમાંથી થઇ રહેલી હિજરત પણ નર્મદાના પાણીથી બંધ થશે

નર્મદા મુદ્દે સરકાર નક્કર જાહેરાત કરે

કચ્છને નર્મદાના પાણી મળવાની આશાએ અનેક આંખો કાયમ માટે બંધ થઇ ગઇ છે. જો કે કચ્છમાં નર્મદાનુ પાણી અવતરણ થતા કચ્છને એક મોટી આશ બંધાઇ હતી પરંતુ દોઢ દાયકાથી કામ અટકી જતા હવે ખેતી-પશુપાલન ટકાવવુ મુશ્કેલ બન્યુ છે ઉંડા જતા પાણીના સ્તર અને નિયમિત વરસાદ વચ્ચે હવે જો નર્મદા મુદ્દે સરકાર નક્કર જાહેરાત નહી કરે તો 21 તારીખ પછી કચ્છથી લઇ ગાંધીનગર સુધી લડાઇની ખેડુતોએ તૈયારી કરી છે, જેને મોટુ જન સમર્થન મળ્યુ છે.હાલ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતને યોગ્ય પાણી મળી રહ્યુ છે પણ કચ્છને નહી

આ પણ વાંચો : Ahmedabad : પતંગ પકડવા જતાં 9 વર્ષના બાળકને 11,000 કિલોવોટનો કરંટ લાગ્યો, જીવ બચાવી લેવાયો

આ પણ વાંચો :  Surat: પતંગ રસિક અજય રાણાએ જાગૃતિ ફેલાવવા બનાવી અનોખી પતંગ, ‘ઓમિક્રોન’ અને ‘STOP રેપ’ થીમ પર બનાવી પતંગો

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">