Junagadh: વંથલીની ટીનમસ સ્કૂલનું ભવિષ્ય અંધારામાં, ખંડેર શાળાની ગ્રાન્ટ પણ થઈ ગઈ છે બંધ

Junagadh News: 1986માં કાર્યરત થયેલી શ્રી આદર્શ વિદ્યા વિનય મંદિર અર્ધ સરકારી ગ્રાન્ટેબલ સ્કૂલ છે, પણ તે સ્કૂલ ઓછી અને ખંડેર વધુ લાગી રહી છે. કારણ કે, વર્ષોથી શાળાના ઓરડાઓ જર્જરિત છે. અહીં પહેલા ધોરણ 8, 9, અને 10નો અભ્યાસ કરાવવામાં આવતો હતો.

Junagadh: વંથલીની ટીનમસ સ્કૂલનું ભવિષ્ય અંધારામાં, ખંડેર શાળાની ગ્રાન્ટ પણ થઈ ગઈ છે બંધ
વંથલીની ટીનમસ સ્કૂલ જર્જરિત હાલતમાં
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 27, 2023 | 11:02 AM

એક તરફ સરકાર અભ્યાસ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટો ફાળવે છે. પરંતુ બીજી તરફ તેનો ફાયદો બાળકોને તો મળી જ નથી રહ્યો. જૂનાગઢના વંથલી તાલુકામાં આવેલી શાળામાં વિદ્યાર્થીઓ જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે પણ તંત્ર છે કે જાગતું જ નથી. જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ટીનમસ ગામની શાળા છે. નામ તો એનું આદર્શ વિદ્યા વિનય મંદિર છે પણ આવી શાળાને આદર્શ કેવી રીતે કહેવી? જેમાં શિયાળો, ઉનાળો કે ચોમાસું હોય પણ સ્કૂલ અને ક્લાસની બહાર બેસીને જ અભ્યાસ કરવો પડે છે.

1986માં કાર્યરત થયેલી શ્રી આદર્શ વિદ્યા વિનય મંદિર અર્ધ સરકારી ગ્રાન્ટેબલ સ્કૂલ છે પણ તે સ્કૂલ ઓછી અને ખંડેર વધુ લાગી રહી છે. કારણ કે, વર્ષોથી શાળાના ઓરડાઓ જર્જરિત છે. અહીં પહેલા ધોરણ 8, 9, અને 10નો અભ્યાસ કરાવવામાં આવતો હતો, પરંતુ ધોરણ 8 પ્રાથમિક વિભાગમાં જતુ રહેતા હવે ધો. 9 અને 10ના બે જ વર્ગો ચાલે છે. તેમાં પણ બંને વર્ગમાં 19-19 એટલે કુલ 38 વિદ્યાર્થીઓ છે. શાળા જ્યારથી જર્જરિત બની છે. ત્યારથી વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઓછી થઈ ગઈ છે. આવી હાલત છતાં સરકારી તંત્રની આંખો ઉઘડતી નથી.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ટિનમસ ગામની આ શાળા એવી છે કે જ્યાં વિદ્યાર્થીઓ જીવના જોખમે અને મજબૂરીથી અભ્યાસ કરી રહ્યા છે. ગામની વસ્તી આશરે 4500ની આસપાસ છે, જેમાં 95 ટકા લોકો સામાજિક અને આર્થિક રીતે પછાત છે, પરિણામે આ પરિવારના બાળકો ગામની બહાર જૂનાગઢ શહેર સુધી પહોંચી શકતા નથી અને અહીંની શાળા તો ખંડેર હાલતમાં છે. ગામના લોકોની માગ છે કે આ ગામની આ શાળાનું રીનોવેશન કરવામાં આવે અને શાળામાં શિક્ષકોની ભરતી થાય તો વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળી શકે.

શાળામાં 38 વિદ્યાર્થીઓની સામે હાલ તેઓ ઈન્ચાર્જ પ્રિન્સીપાલ સાથે એક જ શિક્ષક છે અને તેમને ફરજીયાત તમામ વિષયોનું જ્ઞાન વિદ્યાર્થીઓને આપવું પડે છે. સમયાંતરે શાળાના અન્ય શિક્ષકો નિવૃત થયા બાદ કોઈ ભરતી કરવામાં આવી નથી. પરિણામે શાળામાં હાલ એક ઇન્ચાર્જ આચાર્ય, એક ક્લાર્ક અને એક પ્યુન ફરજ બજાવે છે. છેલ્લા ઘણા વર્ષોથી આ શાળાની ગ્રાન્ટ પણ બંધ થઈ છે જેને કારણે શાળાનો વિકાસ થઈ શક્યો નથી. શાળાના આચાર્યનું દર્દ તેમની વાતમાં છલકાય છે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">