Junagadh: વિસાવદરના ખેડૂતોએ ખેત ઉત્પાદક સહકારી મંડળીની કરી સ્થાપના, 306 ખેડૂતો 4 હજાર વિઘામાં તૈયાર પાકનું કરશે વેચાણ

|

Apr 27, 2022 | 7:13 PM

સિઝનમાં ભાવ તોડવાની વેપારીઓની રમત સામે જુનાગઢના (Junagadh) વિસાવદરના 306 ખેડૂતોએ ખેત ઉત્પાદક સહકારી મંડળી બનાવી છે. જેમાં ચાર હજાર વિઘા જમીનમાં ખેતી કરીને પોતાની ઉપજનો પોતે જ વેપાર કરશે અને ખેડૂતો તેમજ ગ્રાહકને થશે.

Junagadh: વિસાવદરના ખેડૂતોએ ખેત ઉત્પાદક સહકારી મંડળીની કરી સ્થાપના, 306 ખેડૂતો 4 હજાર વિઘામાં તૈયાર પાકનું કરશે વેચાણ
junagadh: Visavadar farmers set up farm producer co-operative society

Follow us on

જૂનાગઢ (Junagadh) જિલ્લાના વિસાવદર તાલુકાના 306 ખેડૂતોએ (Farmers) મળીને ખેત ઉત્પાદક સહકારી મંડળીની સ્થાપના કરી છે. મંડળીનો ઉદ્દેશ છે કે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે અને ગ્રાહકોને વાજબી ભાવે ખેત ઉત્પાદન વસ્તું મળે. વિસાવદર (Visavadar) પંથકના 306 ખેડૂતો 4 હજાર વિઘા જમીનમાં ખેતી કરીને પાકનું વેચાણ પણ પોતાની જ મંડળી દ્વારા કરશે. યાર્ડમાં વચેટિયાઓ ખેડૂતો અને ગ્રાહકોનો નફો હજમ કરી જાય છે. વેપારીઓની સંગ્રહખોરી અને નફાખોરીથી બચવા માટે પણ આ મંડળી પોતાની રીતે પોતાની જણસ સીધી જ બજારમાં જ વેચશે.

સીઝનમાં ભાવ તોડવાની વેપારીઓની રમત સામે જુનાગઢના વિસાવદરના 306 ખેડૂતોએ ખેત ઉત્પાદક સહકારી મંડળી બનાવી છે. જેમાં ચાર હજાર વિઘા જમીનમાં ખેતી કરીને પોતાની ઉપજનો પોતે જ વેપાર કરશે અને ખેડૂતો તેમજ ગ્રાહકને થશે. ફાયદારૂપ આ ખેત ઉત્પાદક સહકારી મંડળીના ચેરમેન નાગજીભાઈ ભાયાણીએ જણાવ્યું હતું કે ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા સહિયારી ખેતી અને સહિયારો વેપાર કરવાના ઈરાદા સાથે ખેડૂતો દ્વારા જ પોતાની મંડળી બનાવવામાં આવી છે. કારણ કે હાલના સમયમાં ખેડૂતો તેમજ ગ્રાહકને લૂંટવામાં આવે છે. વચેટિયા ખેડૂતો તેમજ ગ્રાહકનો નફો પોતે જ હજમ કરી જાય છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

ખેત ઉત્પાદક સહકારી મંડળીના ચેરમેન નાગજીભાઈ ભાયાણીએ વધુમાં જણાવ્યું કે વિસાવદર તાલુકા ખેત સહકારી મંડળી લિમિટેડ નામથી કંપનીની સ્થાપના કરવામાં આવી છે. 306 ખેડૂતોને આ કંપનીના સભાસદ એટલે કે શેરહોલ્ડર બનાવવામાં આવ્યા છે. છ મહિના રાતદિવસ એક કરનારા ખેડૂતોને હવે વચેટિયા છેતરી ના જાય. વેપારીઓની સંગ્રહખોરી અને નફાખોરીથી બચવા માટે પણ આ મંડળી પોતાની રીતે સીધો બજારમાં જ વેપાર કરશે.

ખેત ઉત્પાદક સહકારી મંડળી દ્વારા પાકનું શોર્ટિંગ, કલીનીંગ અને ગ્રેડિંગ તથા પેકિંગ કરવાની કામગીરી કરાશે. તેમજ બ્રાન્ડિંગનું આયોજન કરી વેલ્યુએડિશન પણ કરવામાં આવશે. 306 ખેડૂતોની જમીનમાં જુદા-જુદા એકમો અને પેકિંગ માટેના શેડ તૈયાર કરાશે. આ માટે સેલ્સ એક્ઝિક્યુટીવ્સની ટીમ પણ તૈયાર કરાશે. આમ આ મંડળી ખેડૂતોની જણસના વેચાણનું પુરી રીતે માર્કેટિંગ પણ કરશે.

નાગજી ભાયાણીનું કહેવું છે કે નવી સ્થપાયેલી કંપની તેમના દરેક ખેડૂતોનો માલ લઈને માલને વેરહાઉસમાં પણ મૂકશે. સાથે જ ખેડૂતોને મદદરૂપ થવા અને મંડળીને સહાયતા બનવા માટે સરકાર દ્વારા પણ જે આર્થિક મદદ કરવામાં આવી છે તે બાબતે નાગજીભાઈ ભાયાણીએ સરકારનો આભાર માન્યો હતો.

આ પણ વાંચોઃ Kheda: ગોબલજ ગામમાં દલિતોને મંદિરમાં પ્રવેશ ન કરવાની ધમકી, 4 સામે એટ્રોસિટીની ફરિયાદ

આ પણ વાંચોઃ ગરમીની અસર : સુરત રેલવે સ્ટેશન પર રેલ નીરની ડિમાન્ડ વધી, રોજની 2 હજાર કરતા વધુ બોટલોની સપ્લાય પણ પડી રહી છે ઓછી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article