Junagadh: ભર ઉનાળે કમોસમી વરસાદ પડતાં ખેતી પાકોને ભારે નુકસાન

આ વરસાદથી કેરીનો પાક વધુ ખરી પડ્યો છે. જેથી આ વખતે કેરીના બગીચા ધરાવતા ખેડૂતોને પણ મોટા નુકસાનની શક્યતા છે. બીજી તરફ મગ અને તલનો પાક પણ નિષ્ફળ જાય તેવી સ્થિતિ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 22, 2022 | 10:15 AM

આ વખતે ખેડૂતોને તો જાણે 12એ મહિના ચોમાસુ રહ્યું હોય એવી સ્થિતિ છે. ભર ઉનાળે પણ જૂનાગઢ (Junagadh) પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ (Unseasonal rain) વરસ્યો અને ખેડૂતો (Farmer)  માટે આફત લઈને આવ્યો. અહીંના ખેડૂતોએ વાવેલા તલ, મગ, અડદ ઉપરાંત આંબાના બગીચામાં વણનોતર્યા મહેમાનની જેમ અચાનક આવી પડેલા વરસાદે ભારે નુકસાની કરાવી. વાતાવરણ વેરી બનતાં ફરી એકવાર ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો છે. અચાનક આવી પડેલી આફતને જોતાં કિસાન સંઘ ખેડૂતોની પડખે આવ્યું છે અને માગણી કરી છે કે ખેડૂતોને યોગ્ય વળતર ચુકવવામાં આવે.

ખેડૂતોનું કહેવું છે કે, કેરીના પાકમાં હિટવેવ અને ઝાકળના કારણે પહેલાંથી જ નુકસાન હતું. કેરીનો પાક પણ 50 ટકા ઓછો હતો. હવે એમાં કમોસમી વરસાદે ઓર ઝટકો આપ્યો છે. આ વરસાદથી કેરીનો પાક વધુ ખરી પડ્યો છે. જેથી આ વખતે કેરીના બગીચા ધરાવતા ખેડૂતોને પણ મોટા નુકસાનની શક્યતા છે. બીજી તરફ મગ અને તલનો પાક પણ નિષ્ફળ જાય તેવી સ્થિતિ છે.

ખેડૂતો માટે તો એક સાંધે ત્યાં તેર તૂટે જેવી હાલત છે. તાઉતેમાંથી બેઠા થયા તો હીટવેવ અને ઝાકળે નુકસાન પહોંચાડ્યું અને હવે માવઠાએ તેમાં વધારો કર્યો છે. ત્યારે આ ખેડૂતોની માગ છે કે સરકાર તેમના માટે વળતરનું વિચારે. નહીં તો ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડશે.

આ પણ વાંચોઃ Surat : નાનપુરામાં મચ્છી માર્કેટના પ્રોજેક્ટને કેન્દ્ર સરકારની મંજૂરી

આ પણ વાંચોઃ Surat : પુણા વિસ્તારમાં તૈયાર થયેલા લેક ગાર્ડનના ઉદ્ઘાટન માટે મુહૂર્તની જોવાતી રાહ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">