Junagadh: સવારથી સાંજ સુધીમાં 4.5 ઇંચ વરસાદ ખાબકતા નરસિંહ મહેતા તળાવ છલકાયું, જનજીવન ઠપ

આનંદ પાર્ક સોસાયટીમાં એ હદે પાણી ભરાયા જે પાણીના નિકાલ માટે દિવાલ તોડવામાં આવી હતી. તો ઝાંઝરડા અંડરબ્રિજ પણ બંધ થયો હતો. આ તરફ જૂનાગઢનો સૌથી મોટો હસનાપુર ડેમ ઓવરફ્લો (Dam Overflow) થતા નીચાણવાળા ગામોને એલર્ટના (Alert) આદેશ અપાયા છે.

Junagadh: સવારથી સાંજ સુધીમાં 4.5 ઇંચ વરસાદ ખાબકતા નરસિંહ મહેતા તળાવ છલકાયું, જનજીવન ઠપ
Junagadh: Narsingh Mehta lake overflowed
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 17, 2022 | 7:15 PM

જૂનાગઢ (Junagadh) જિલ્લામાં જાણે કે બારે મેઘ ખાંગા થયા છે. શહેરમાં સવારે 6થી બપોરે 4 વાગ્યા દરમિયાન સાડા ચાર ઈંચ વરસાદ ખાબકતાં (Heavy Rain) અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. ધોધમાર વરસાદને પગલે નરસિંહ મહેતા સરોવર ઓવરફ્લો થતાં આસપાસના વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાયાં હતાં અનેક સોસાયટીઓમાં ઘરની અંદર પાણી ઘૂસી જતા લોકો મુશ્કેલીમાં મૂકાયા છે. જૂનાગઢ તાલુકામાં સાડા ચાર ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે ત્યારે ઠેર ઠેર આકાશી આફતના દ્રશ્યો જોવા મળ્યા. તો શહેરમાં પણ રસ્તા સહિત લોકોના ઘર પાણીમાં ડૂબી જતા જનજીવન ઠપ જોવા મળ્યું.

તો બીજી બાજુ નરસિંહ મહેતા સરોવર ઓવરફ્લો થતા ઠેર ઠેર પાણી ભરાયા હતા. જ્યાં આનંદ પાર્ક સોસાયટીમાં એ હદે પાણી ભરાયા જે પાણીના નિકાલ માટે દિવાલ તોડવામાં આવી હતી. તો ઝાંઝરડા અંડરબ્રિજ પણ બંધ થયો હતો. આ તરફ જૂનાગઢનો સૌથી મોટો  હસનાપુર ડેમ ઓવરફ્લો (Dam Overflow) થતા નીચાણવાળા ગામોને એલર્ટના (Alert) આદેશ અપાયા છે. તો માણાવદરમાં ધોધમાર વરસાદ પડતાં રસાલા ડેમ ઓવરફ્લો થયો છે.

ઉબેણ નદીમાં આવ્યું  ઘોડાપૂર

ગિરનાર પર્વત અને દાતાર ઉપર ધોધમાર વરસાદને લીધે પાણીનો પ્રવાહ વધી ગયો છે. સતત વરસાદમાં ગીરનાર તથા દાતાર વાદળોથી ઘેરાયો છે. ગિરનાર ઉપર બે ઈંચથી પણ વધુ વરસાદ વરસતા સીડીઓ ઉપર પણ પાણી ફરી વળ્યા છે. છેલ્લા 24 કલાકથી વરસાદ સતત વરસી રહ્યો છે જેના લીધે સ્થાનિકો પણ હેરાન પરેશાન થઈ ચૂક્યા છે. બીજી તરફ ઉપરવાસમાં વધુ વરસાદ પડતાં ઊબેણ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ધંધુસર ગામના પુલ પર પાણી ફરી વળતા ધંધુસર ગામ અને જૂનાગઢને જોડતો રસ્તો થયો બંધ થઈ ગયો હતો. એટલે કે અહિંથી જૂનાગઢ આવવા માટે પાણી ઓસર્યા બાદ જ રસ્તો ખુલ્લો થઈ શકે છે તે સિવાય અન્ય કોઈ વિકલ્પ બાકી રહેતો નથી. ધંધુસર ગામમાં સૌથી મોટું દૂધનું ઉત્પાદન કરે છે.

ફાયરના જવાનોએ લકવાગ્રસ્ત મહિલાનું કર્યું  રેસ્કયૂ

તો વળી એક વિસ્તારમાં તો ફાયર બ્રિગેડના જવાનોની સરાહનીય કામગીરી પણ જોવા મળી હતી. અહિં ફાયરના જવાનોએ 500 મીટર પાણીમાં લકવાગ્રસ્ત મહિલાનું કરાયું રેસ્ક્યુ કર્યુ હતુ. વરસાદમાં જવાનોએ મહિલાને ઊંચકીને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડી હતી અને તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તો સૌથી મોટો હસનાપુર ડેમ પણ ઓવરફ્લો થયો છે.

છેલ્લા બે દિવસથી ગિરનાર જંગલમાં અનરાધાર વરસાદ પડી રહ્યો છે. જેના કારણે જૂનાગઢ શહેરને પાણી પૂરું પાડતો હસનાપુર ડેમ છલોછલ થઈ ગયો છે. ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. વહીવટી તંત્ર દ્વારા  ગલીયાવાડ, સાબલપુર, સરગવાળા, બામણગામ અને દેરવાણ સહિતના ગામોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">