જૂનાગઢ મગફળી કૌભાંડની તપાસ LCBને સોંપાઈ, રાત્રીના સમયે નબળી ગુણવત્તાની મગફળી ભેળવવાના આક્ષેપ
જૂનાગઢ મગફળી કૌભાંડની તપાસ LCBને સોંપવામાં આવી છે. એ-ડિવિઝન પોલીસે સ્થળ પર જઈને પંચનામું કર્યું છે. કેટલાક વેપારીઓ, કર્મચારીઓ અને મજૂરોની પણ કૌભાંડમાં સંડોવણીની આશંકા છે. જેને લઈ નવા ખુલાસા થાય તેવી શક્યતા છે. તો બીજી તરફ યાર્ડમાં રહેલી અન્ય મગફળીમાં પણ ગોલમાલની શક્યતા રહેલી છે. આ પણ વાંચોઃ કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયાનો ઢોલ […]
જૂનાગઢ મગફળી કૌભાંડની તપાસ LCBને સોંપવામાં આવી છે. એ-ડિવિઝન પોલીસે સ્થળ પર જઈને પંચનામું કર્યું છે. કેટલાક વેપારીઓ, કર્મચારીઓ અને મજૂરોની પણ કૌભાંડમાં સંડોવણીની આશંકા છે. જેને લઈ નવા ખુલાસા થાય તેવી શક્યતા છે. તો બીજી તરફ યાર્ડમાં રહેલી અન્ય મગફળીમાં પણ ગોલમાલની શક્યતા રહેલી છે.
આ પણ વાંચોઃ કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયાનો ઢોલ પર બેઠા હોવાનો VIDEO સોશિયલ મીડિયામાં વાયરલ
તો આ બાજુ ભેંસાણ માર્કેટ યાર્ડમાં પણ જૂનાગઢ જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. રાત્રીના સમયે નબળી ગુણવત્તાની મગફળી ભેળવી દેવાના આક્ષેપ કરાયા છે. કેટલાક ખેડૂતો દ્વારા આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો કે, આ ઘટનાની જાણ બાદ મામલતદાર પણ માર્કેટ યાર્ડ સુધી પહોંચ્યા હતા. જે બાદ નબળી ગુણવત્તાની મગફળીને લઈ તપાસના આદેશ પણ કરાયા છે. એવી ચર્ચા પણ કરવામાં આવી રહી છે કે, જૂનાગઢ માફક ભેસાણમાં પણ મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો