JAMNAGAR : મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતમાં ભૂચર મોરી ખાતે શૌર્ય કથા સપ્તાહનું આયોજન

Shaurya katha at Bhuchar Mori : કેન્દ્રીય રાજ્ય મંત્રી ડો.મહેન્દ્રભાઈ મુંજપરાએ જણાવ્યું હતું કે શૌર્ય કથા સપ્તાહનું આ આયોજન ન ભૂતો ન ભવિષ્યતિ છે.

JAMNAGAR : મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતમાં ભૂચર મોરી ખાતે શૌર્ય કથા સપ્તાહનું આયોજન
Shaurya katha saptah Started at Bhuchar Mori in Jamnagar
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 25, 2021 | 11:03 PM

JAMNAGAR : અખિલ ગુજરાત રાજપુત યુવા સંઘ દ્વારા ભૂચર મોરી ખાતે ક્ષત્રિય સમાજના શહિદો તેમજ વિર પુરૂષોની શૌર્ય ગાથાને ઉજાગર કરવા શૌર્ય કથા સપ્તાહનુ આયોજન કરવામાં આવેલ છે. જેમાં કેન્દ્રીય મંત્રીશ્રી ડો.મહેન્દ્રભાઈ મુંજપરા, મંત્રી રાઘવજીભાઈ પટેલ તથા કિરીટસિંહ રાણાની પ્રેરક ઉપસ્થિતી રહી હતી.

આ પ્રસંગે કેન્દ્રીય રાજ્ય મંત્રી ડો.મહેન્દ્રભાઈ મુંજપરાએ જણાવ્યું હતું કે શૌર્ય કથા સપ્તાહનું આ આયોજન ન ભૂતો ન ભવિષ્યતિ છે. આવા કાર્યક્રમો થકી ઇતિહાસના વીરપુરુષોનું ગૌરવ જળવાશે અને લોકો સુધી આ વીરપુરુષોની શૌર્ય ગાથા પહોંચશે.તેમણે જામ રાવલ, જામ સતાજી, જામ દિગ્વિજયસિંહજી, જામ અબડા વગેરેએ બજાવેલા શરણાગતિના ધર્મને યાદ કરી વિરપુરૂષોને આદરાંજલિ અર્પણ કરી હતી. તેમજ આ પ્રકારના વિશિષ્ટ આયોજન બદલ ડો.જયેન્દ્રસિંહ જાડેજા તેમજ અખિલ ગુજરાત રાજપુત યુવા સંઘને અભીનંદન પાઠવ્યા હતા.

કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે હિંદુ ધર્મ અને સંસ્કૃતિને બચાવવા માટે ક્ષત્રિયોનું બલિદાન અભૂતપૂર્વ છે. ભગવાન શ્રી રામ, ભગવાન શ્રી કૃષ્ણ, હમીરજી ગોહિલ, મહારાણા પ્રતાપ, કૃષ્ણકુમારસિંહજી ગોહીલ, જામસાહેબ, ધ્રોલ ઠાકોર સાહેબ મનોહરસિંહ જાડેજા, દોલત બાપુ, અજય જાડેજા, રવિન્દ્ર જાડેજા તે ક્ષત્રિય સમાજના જ નહીં પરંતુ સમગ્ર દેશના ઘરેણા છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

ધર્મ અને સંસ્કૃતિને ટકાવવા ક્ષત્રિય સમાજનો ફાળો અમૂલ્ય છે અન્યાય અને અત્યાચારનો સામનો કરવા, શરણાગતની રક્ષા કરવા, અબળાની લાજ બચાવવા તેમજ ગૌ રક્ષા માટેનુ ક્ષત્રિયોનું બલિદાન ઈતીહાસના પાનામાં અમર છે. ત્યારે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘની શૌર્ય કથા કાર્યક્રમની આગવી પહેલને બિરદાવી અભીનદન પાઠવ્યા હતા.

વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાએ પ્રાસંગીક ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે આવનારી પેઢી માટે આ કાર્યક્રમ પ્રેરણારૂપ બનશે. રાજવીઓએ પોતાના ૫૬૨ રજવાડા દેશની એકતા માટે સમર્પિત કરી રાષ્ટ્રભક્તિ અને ત્યાગનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આજનો સમય તલવાર નહીં પરંતુ કલમનો છે ત્યારે રાજપૂત યુવા સંઘ બન્નેને સાથે લઈને ચાલી રહ્યો છે જે ખુબ આનંદની વાત છે.

ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યુ હતુ કે અખિલ ગુજરાત રાજપુત યુવા સંઘની પ્રેરણાથી અંહી ઐતીહાસીક એવો શૌર્ય કથાનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે જે જન-જન સુધી રાજપુતોનો ઈતીહાસ પહોંચતો કરશે. મહાનુભાવોએ શહીદ વનની મુલાકાત લીધી હતી અને ભૂચર મોરી શહીદ વીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

આ પ્રસંગે ધારાસભ્ય ગીતાબા જાડેજા, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, વાંકાનેર યુવરાજ કેસરીદેવસિંહ ઝાલા, દેવ સોલ્ટના ચેરમેન દેવેન્દ્રસિંહ ઝાલા, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા, હાપા યાર્ડના ચેરમેન પ્રવિણસીંહ ઝાલા, ગીતા એન્જિનિયરિંગના સરદારસિંહ જાડેજા, ગોવુભા જાડેજા, નરેશદાન રત્નું, પીજીવીસીએલના એમ.બી.જાડેજા, નરેન્દ્રસિંહ જાડેજા, નગરપાલિકા પ્રમુખ મનસુખભાઈ પરમાર, તાલુકા પંચાયત પ્રમુખ ગીતાબા જાડેજા, પોલુભા જાડેજા, દશરથબા પરમાર, જયશ્રીબા જાડેજા, શારદાબા જાડેજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : PM MODIએ કરી જાહેરાત, ભારતમાં 3 જાન્યુઆરીથી 15 થી 18 વર્ષના બાળકોનું રસીકરણ શરૂ થશે

આ પણ વાંચો : Covaxin : દેશમાં 12થી 18 વર્ષના બાળકોની રસીની મંજૂરી, DCGIએ કોવેક્સીન રસીને આપી ઇમરજન્સી મંજૂરી

Latest News Updates

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
g clip-path="url(#clip0_868_265)">