AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jamnagar : 57 વિવિધ સરકારી યોજનાની કામગીરી એક સ્થળ પર, મોટી સંખ્યામાં લોકોએ લાભ મેળવ્યો

જામનગરમાં 57 વિવિધ સરકારી યોજનાની કામગીરી એક સ્થળ પર જ થઇ શકશે. જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ મેળવ્યો હતો.

Jamnagar : 57 વિવિધ સરકારી યોજનાની કામગીરી એક સ્થળ પર, મોટી સંખ્યામાં લોકોએ લાભ મેળવ્યો
jamnagar
Divyesh Vayeda
| Edited By: | Updated on: Aug 02, 2021 | 8:48 PM
Share

સરકારી યોજનાના (government scheme) લાભ મેળવવા માટે લાભાર્થીઓને કચેરીના ધકકા ખાવા પડતા હોય છે. તો વિવિધ સરકારી કામ માટે અલગ-અલગ કચેરીમાં જવુ પડે છે. પરંતુ એક સાથે 57 જેટલી યોજનાઓનો લાભ એક જ સ્થળે લોકોને મળી શકે તેવા હેતુથી સેવાસેતુ કાર્યકમ યોજવામાં આવે છે. જયાં સરકારી વિવિધ કામગીરી માટે લાભાર્થીને એક જ સ્થળ પર સરળતાથી કરી શકે.

રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીના જન્મદિવસની દિવસે એક સાથે 448 સ્થળો પર સેવાસેતુ કાર્યકમ યોજવામાં આવ્યો. રાજયસરકારને 5 વર્ષ પુર્ણ થતા વિવિધ કાર્યકમો યોજવામાં આવે છે. જેમાં આજે બીજા દિવસે સેવા સેતુનો કાર્યકમ યોજાયો . જામનગર શહેરમા ટાઉનહોલ ખાસે સેવા સેતુ કાર્યકમ યોજાયો હતો. જેમાં એક સ્થળ પર સરકારીની વિવિધ 57 યોજનાના લાભ લોકોને મળી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી. મોટી સંખ્યામાં સ્થાનિકોએ આ લાભ મેળવ્યો.

આધાર કાર્ડ, રાશન કાર્ડ, નવા નળ કનેકશન, નવા વીજકનેકશન, જન્મના દાખલા, વેરાની ભરપાઈ, બેન્ક સાથે આધારને લીંક કરવુ હોય, આવકનો દાખલો સહીતની 57 સેવાનો લાભ એક સ્થળ મળતા લોકોએ ખુશી વ્યકત કરી. સાથે આ પ્રકારના કાર્યકમ સમયાંતરે આયોજન થાય તેવી માંગ કરી. કોઈ એક કામ માટે બે ત્રણ કચેરીમાં ચકકર કાપવા પડે. જેનાથી સમયનો બગાડ થાય. તો આવા કાર્યકમથી એક જ સ્થળે વિવિધ સરકારી કામગીરી થતા લોકોને સરળતા પડે છે. લોકોને વેપાર-ધંધા કે નોકરી છોડીને દિવસભર કોઈ કામ માટે પરેશાન ના થવુ પડે.

લોકોને સરકારી કચેરીના ઘકકાના થાય અને સરકારી કર્મચારીઓનો કાફલો એક સ્થળ હોય ત્યાં વિવિધ સરકારી કામકામજ લોકો સરળતાથી કરી શકે તેવા હેતુથી આ કાર્યકમને યોજવામાં આવ્યા. જેને લોકોનો સારો એવો પ્રતિસાદ મળ્યો હતો.

ભાજપના વરીષ્ટ નેતા મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેર ધનસુખ ભંડેરી રાજય સરકારીની વિવિધ યોજનાના વખાણ કર્યા. કાર્યકમમાં મેયર બીનાબેન કોઠારી, સ્ટેડીંગ કમીટી ચેરમેન મનિષ કટારિયા, ડેપ્યુટી મેયર તપન પરમાર, શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરા, દંડક કેતન ગોસરાણી, શાસકપક્ષના નેતા કુસુમબેન પંડયા સહીતના આગેવાનો હાજર રહ્યા હતા.

આ પણ વાંચો : Rajkot: CM વિજય રૂપાણીએ જન્મદિવસે કોરોનામાં પોતાના માતા પિતા ગુમાવનાર બાળકો સાથે લીધુ ભોજન

આ પણ વાંચો : Kutch : ખાવડા નજીકથી બીએસએફના જવાનોએ પાકિસ્તાની નાગરિકને ઝડપ્યો

Follow Us
સાંજના સમયે થશે અચાનક આર્થિક લાભ, બાળકોની સિદ્ધિથી પરિવારમાં ખુશી
સાંજના સમયે થશે અચાનક આર્થિક લાભ, બાળકોની સિદ્ધિથી પરિવારમાં ખુશી
મહુવા હોસ્પિટલની બેદરકારી, દિવાલની ટાઈલ્સ તૂટીને બેડ પર પડી
મહુવા હોસ્પિટલની બેદરકારી, દિવાલની ટાઈલ્સ તૂટીને બેડ પર પડી
રાજકોટ સિવિક સેન્ટરમાં જન્મ મરણના દાખલા માટે થયો હોબાળો
રાજકોટ સિવિક સેન્ટરમાં જન્મ મરણના દાખલા માટે થયો હોબાળો
બે મહિલા પોલીસકર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ
બે મહિલા પોલીસકર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ
ટેકાના ભાવે 3500 કિલો બાજરી, 2500 કિલો મકાઈ, 1700 કિલો જુવાર ખરીદશે
ટેકાના ભાવે 3500 કિલો બાજરી, 2500 કિલો મકાઈ, 1700 કિલો જુવાર ખરીદશે
ભાજપ નેતાની 7 કરોડની જમીન ખાલસા કરવાનો કલેકટરનો આદેશ
ભાજપ નેતાની 7 કરોડની જમીન ખાલસા કરવાનો કલેકટરનો આદેશ
28 વર્ષ બાદ મમતા બેનર્જીની કોંગ્રેસમાં વાપસીની શક્યતા
28 વર્ષ બાદ મમતા બેનર્જીની કોંગ્રેસમાં વાપસીની શક્યતા
હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
g clip-path="url(#clip0_868_265)">