AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jamnagar : ધાર્મિક સંસ્થા દ્વારા વરસાદી પાણીને જમીનમાં ઉતારી જળસંચય કરવાનો પ્રોજેકટ કરાયો શરૂ

4 હજાર ચોરસ ફુટ જગ્યામાં આવતા વરસાદી પાણીને 10 એમ.એમ.ના બે પાઈપ દ્વારા કુવામાં ઉતારવામાં આવશે. સીઝનનો સામાન્ય વરસાદ થાય તો અંદાજીત 2 લાખ લીટર પાણીને જમીનમાં ઉતારી શકાશે.

Jamnagar : ધાર્મિક સંસ્થા દ્વારા વરસાદી પાણીને જમીનમાં ઉતારી જળસંચય કરવાનો પ્રોજેકટ કરાયો શરૂ
Rain Water Harvesting Project
Divyesh Vayeda
| Edited By: | Updated on: Jul 31, 2021 | 2:45 PM
Share

જામનગરના એક ધાર્મિક સ્થાન પર વરસાદી પાણીને (Rain Water) જમીનમાં ઉતારવા માટેનો પ્રોજેકટ અમલી કરવામાં આવ્યો છે. વરસાદી પાણીને જમીનમાં ઉતારવા માટે મસ્જીદની છતમાં એકઠા થતા પાણીને કુવામાં ઉતારવા માટે પ્રોજેકટ બનાવ્યો છે. જામનગરની સૈફી મસ્જીદમાં વોટર હાર્વેસ્ટીંગ પ્રોજેકટ (Water Harvest Project) અમલી કર્યો.

“પ્રોજેક્ટ રાઇઝ” એ ​​દાઉદી બોહરા સમુદાય દ્વારા શરૂ કરાયેલ એક પરોપકારી પ્રયાસ છે જેનો અમલ વિશ્વભરમાં જ્યાં પણ દાઉદી બોહરા સમુદાય વસે છે ત્યાં અમલ કરવામાં આવી રહ્યો છે, “પ્રોજેક્ટ રાઇઝ” અંતર્ગત તેમજ સાથી સંસ્થા બુરહાની ફાઉન્ડેશન ઈન્ડિયા તથા રોટરી કલબ ઓફ ઈમેજીકાના માર્ગદર્શન મેળવી દાઉદી વોરા સમાજ દ્વારા અમલી કરાયો.

મસ્જીદની કુલ 10 હજાર ચોરસ ફુટ જગ્યામાંથી 4 હજાર ચોરસ ફુટ જગ્યામાં આવતા વરસાદી પાણીને 10 એમ.એમ.ના બે પાઈપ દ્વારા કુવામાં ઉતારવામાં આવશે. સીઝનનો સામાન્ય વરસાદ થાય તો અંદાજીત 2 લાખ લીટર પાણીને જમીનમાં ઉતારી શકાશે. જેનાથી વરસાદી પાણીને ભુગર્ભમાં ઉતારી જળસંચય કરી શકાશે. જે વરસાદી પાણી કુવામાં ઉતરે તે પહેલા તેને શુધ્ધ કરવા માટે ફીલ્ટર પણ મુકવામાં આવ્યુ છે.

આ પ્રોજેકટ માટે કુલ અંદાજીત 30 હજાર રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. જે વરસાદી પાણીનો છત પર અકઠુ થયા બાદ વેડફાટ થતો હતો, તે પાણીને એકઠુ કરીને ભુગર્ભમાં ઉતારી સંગ્રહ કરવામાં આવશે. ધાર્મિક સ્થાનો કે જાહેર જગ્યાઓ પર આ પ્રકારના પ્રોજેકટ અમલી કરવામા આવે તો જળસંચય માટે ઉપયોગ સાબિત થઈ શકે છે.

જાહેર સ્થળોમાં વિશાળ છત હોવાથી વરસાદી પાણીને એકઠુ વધુ માત્રામાં કરવુ સરળ બને છે. હાલ સુધી જે પાણીનો બગાડ થતો તે વરસાદી પાણીને હવેથી જમીનમાં ઉતારવામાં આવશે. જે પ્રોજેકટને અમલ કર્યા બાદ અન્ય સંસ્થાઓ પણ પ્રેરણા મેળવે તે માટે પણ સંસ્થા દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા છે.

આ પ્રોજેક્ટ માટે પુરૂ માર્ગદર્શન માહિતી અને સહયોગ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. વધુ સંસ્થાઓ દ્વારા આ રીતે પ્રોજેકટ અમલી કરવામાં આવે તો સરળતાથી જળસંચય કરી શકાય છે. હાલ જ્યારે પાણીની અછત વર્તાઈ રહી છે ત્યારે આ પ્રકારના જળસંચયના પ્રોજેક્ટ દ્વારા ભૂગર્ભ જળના તળ ઉંચા લાવી શકાય છે.

આ પણ વાંચો : Gujarat Education: રાજ્યમાં પ્રાથમિક શાળાઓ શરૂ થવાના સંકેત,જાણો શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ શું આપ્યું નિવેદન

આ પણ વાંચો : Gandhinagar : અપુરતા ઇવીએમના પગલે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બેલેટ પેપરનો ઉપયોગ કરાશે

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">