AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jamnagar : ધાર્મિક સંસ્થા દ્વારા વરસાદી પાણીને જમીનમાં ઉતારી જળસંચય કરવાનો પ્રોજેકટ કરાયો શરૂ

4 હજાર ચોરસ ફુટ જગ્યામાં આવતા વરસાદી પાણીને 10 એમ.એમ.ના બે પાઈપ દ્વારા કુવામાં ઉતારવામાં આવશે. સીઝનનો સામાન્ય વરસાદ થાય તો અંદાજીત 2 લાખ લીટર પાણીને જમીનમાં ઉતારી શકાશે.

Jamnagar : ધાર્મિક સંસ્થા દ્વારા વરસાદી પાણીને જમીનમાં ઉતારી જળસંચય કરવાનો પ્રોજેકટ કરાયો શરૂ
Rain Water Harvesting Project
Divyesh Vayeda
| Edited By: | Updated on: Jul 31, 2021 | 2:45 PM
Share

જામનગરના એક ધાર્મિક સ્થાન પર વરસાદી પાણીને (Rain Water) જમીનમાં ઉતારવા માટેનો પ્રોજેકટ અમલી કરવામાં આવ્યો છે. વરસાદી પાણીને જમીનમાં ઉતારવા માટે મસ્જીદની છતમાં એકઠા થતા પાણીને કુવામાં ઉતારવા માટે પ્રોજેકટ બનાવ્યો છે. જામનગરની સૈફી મસ્જીદમાં વોટર હાર્વેસ્ટીંગ પ્રોજેકટ (Water Harvest Project) અમલી કર્યો.

“પ્રોજેક્ટ રાઇઝ” એ ​​દાઉદી બોહરા સમુદાય દ્વારા શરૂ કરાયેલ એક પરોપકારી પ્રયાસ છે જેનો અમલ વિશ્વભરમાં જ્યાં પણ દાઉદી બોહરા સમુદાય વસે છે ત્યાં અમલ કરવામાં આવી રહ્યો છે, “પ્રોજેક્ટ રાઇઝ” અંતર્ગત તેમજ સાથી સંસ્થા બુરહાની ફાઉન્ડેશન ઈન્ડિયા તથા રોટરી કલબ ઓફ ઈમેજીકાના માર્ગદર્શન મેળવી દાઉદી વોરા સમાજ દ્વારા અમલી કરાયો.

મસ્જીદની કુલ 10 હજાર ચોરસ ફુટ જગ્યામાંથી 4 હજાર ચોરસ ફુટ જગ્યામાં આવતા વરસાદી પાણીને 10 એમ.એમ.ના બે પાઈપ દ્વારા કુવામાં ઉતારવામાં આવશે. સીઝનનો સામાન્ય વરસાદ થાય તો અંદાજીત 2 લાખ લીટર પાણીને જમીનમાં ઉતારી શકાશે. જેનાથી વરસાદી પાણીને ભુગર્ભમાં ઉતારી જળસંચય કરી શકાશે. જે વરસાદી પાણી કુવામાં ઉતરે તે પહેલા તેને શુધ્ધ કરવા માટે ફીલ્ટર પણ મુકવામાં આવ્યુ છે.

આ પ્રોજેકટ માટે કુલ અંદાજીત 30 હજાર રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. જે વરસાદી પાણીનો છત પર અકઠુ થયા બાદ વેડફાટ થતો હતો, તે પાણીને એકઠુ કરીને ભુગર્ભમાં ઉતારી સંગ્રહ કરવામાં આવશે. ધાર્મિક સ્થાનો કે જાહેર જગ્યાઓ પર આ પ્રકારના પ્રોજેકટ અમલી કરવામા આવે તો જળસંચય માટે ઉપયોગ સાબિત થઈ શકે છે.

જાહેર સ્થળોમાં વિશાળ છત હોવાથી વરસાદી પાણીને એકઠુ વધુ માત્રામાં કરવુ સરળ બને છે. હાલ સુધી જે પાણીનો બગાડ થતો તે વરસાદી પાણીને હવેથી જમીનમાં ઉતારવામાં આવશે. જે પ્રોજેકટને અમલ કર્યા બાદ અન્ય સંસ્થાઓ પણ પ્રેરણા મેળવે તે માટે પણ સંસ્થા દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા છે.

આ પ્રોજેક્ટ માટે પુરૂ માર્ગદર્શન માહિતી અને સહયોગ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. વધુ સંસ્થાઓ દ્વારા આ રીતે પ્રોજેકટ અમલી કરવામાં આવે તો સરળતાથી જળસંચય કરી શકાય છે. હાલ જ્યારે પાણીની અછત વર્તાઈ રહી છે ત્યારે આ પ્રકારના જળસંચયના પ્રોજેક્ટ દ્વારા ભૂગર્ભ જળના તળ ઉંચા લાવી શકાય છે.

આ પણ વાંચો : Gujarat Education: રાજ્યમાં પ્રાથમિક શાળાઓ શરૂ થવાના સંકેત,જાણો શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ શું આપ્યું નિવેદન

આ પણ વાંચો : Gandhinagar : અપુરતા ઇવીએમના પગલે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બેલેટ પેપરનો ઉપયોગ કરાશે

Follow Us
અમદાવાદની ITC નર્મદા હોટલની સેન્ડવીચમાંથી જીવાત નીકળી
અમદાવાદની ITC નર્મદા હોટલની સેન્ડવીચમાંથી જીવાત નીકળી
હીટવેવના પગલે આરોગ્ય તંત્ર એક્શનમાં, જુઓ વીડિયો
હીટવેવના પગલે આરોગ્ય તંત્ર એક્શનમાં, જુઓ વીડિયો
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">