AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jamnagar: રિવરફ્રન્ટ પ્રોજેકટ અમલી કરવા ધારાસભ્ય રીવાબા જાડેજાની મુખ્યમંત્રીને રજુઆત

જામનગર મહાનગર પાલિકા દ્રારા રિવરફ્રન્ટ પ્રોજેકટ માટે વર્ષો પહેલા બ્લુ પ્રીન્ટ અને પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. કન્સલ્ટન્ટને કામ આપીને સર્વે રીપોર્ટ પણ તૈયાર કરવામાં આવ્યો છે. કુલ અંદાજી 700 કરોડના ખર્ચે રિવરફ્રન્ટ પ્રોજેકટ પુર્ણ થશે.

Jamnagar: રિવરફ્રન્ટ પ્રોજેકટ અમલી કરવા ધારાસભ્ય રીવાબા જાડેજાની મુખ્યમંત્રીને રજુઆત
Jamnagar Riverfront
Divyesh Vayeda
| Edited By: | Updated on: Jul 16, 2023 | 5:43 PM
Share

Jamnagar: રંગમતી-નાગમતી નદીના કાંઠે વસેલુ નવાનગર, હાલનુ જામનગર શહેર. જે શહેરની જુની નદી કાંઠાની ઓળખ આપવા તેમજ શહેરમાં નવુ નજરાણુ આપવા માટે રિવર ફ્રન્ટ(Riverfront)પ્રોજેકટને અમલી કરવાની જામનગર ઉત્તર બેઠકના ધારાસભ્ય રીવાબા જાડેજાએ(Rivaba Jadeja) મુખ્યમંત્રીને રજુઆત કરી છે. જેની માટે કુલ અંદાજીત ખર્ચ 700 કરોડનો થાય છે. જે માટે સરકાર દ્રારા જામનગરને ગ્રાન્ટ આપવા રજુઆત કરવામાં આવી છે.

જામનગર શહેર રંગમતી તથા નાગમતી નદીઓના કિનારે વસેલુ છે

જેમાં ધારાસભ્ય રીવાબા જાડેજાએ શહેરમાં વિકાસના કાર્ય મળે તે માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લેખીત અને રૂબરૂ રજુઆત કરી છે. 128.40 ચો.કી.મી અને અંદાજીત 7.50 લાખની વસ્તી ધરાવતુ શહેર જામનગર છે. જે ઐતિહાસકિ રીતે નવાનગર તરીકે ઓળખ છે. જામનગર શહેર રંગમતી તથા નાગમતી નદીઓના કિનારે વસેલુ છે. જેમા ચોમાસામાં ભારે વરસાદ, ઉપરવાસમાં આવેલ રંગમતી ડેમ તથા રણજીતસાગર ડેમ ઓવરફલો થવા તથા નજીકમાં આવેલા દરીયા-ખાડીમાં ભરતી આવવાના સંજોગોમાં નદી-કાંઠાના વિસ્તારોમાં પાણી ફરી વળે છે.

700 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવે તેવી માંગ

ત્યાં વસતા લોકોના જાનમાલને ભારે નુકસાન થાય છે. આ નદીઓના કાંઠા કાચા હોય,જેમાં સમયાંતરે ધોવાણ, કાઠાની આસપાસની જગ્યામાં દબાણો તથા નદીઓમાં ગંદકીનુ પ્રમાણ વધતુ જાય છે. આ સમગ્ર સમસ્યાના કાયમી હલ માટે નદીઓના બંને કાંઠા આર.સી.સી દીવાલથી મજબુત કરી, નદીના વહેણને ચોખ્ખા અને પહોળા કરવા,રિવરફ્રન્ટ પ્રોજેકટ માટે કુલ 700 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

આ પ્રોજેકટ પુર્ણ થાય તો શહેરને નવું નજરાણુ અને પ્રવાસન સ્થળ મળશે. જેનુ વાસ્તવિક સ્વરૂપ મળે તે માટે સરકાર દ્રારા ગ્રાન્ટ આપવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી છે. સરકાર દ્રારા આ પ્રોજેકટ માટે 150 કરોડની ગ્રાન્ટ પ્રતિ વર્ષ તબક્કાવાર આપવામાં આવે તો પ્રોજેકટને અમલી કરીને શહેરને નવા નજરાણાની સાથે વરસાદી પાણીના નિકાલની સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે. વરસાદ બાદ ભરાતા પાણીથી લોકોને મુશેકલી ઓછી થઈ શકે. તેમજ શહેરને પુન નદી કાંઠે વસેલા શહેરનુ ઓળખ મળી શકે.

જામનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
g clip-path="url(#clip0_868_265)">