AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jamnagar: બાળકો સહિત તબીબોમાં વધ્યા વાયરલ તાવના કેસ, ઓરીની સારવાર માટે સ્પેશિયલ વોર્ડ કરાયો કાર્યરત

બેડની સાથે જ નર્સિંગ સ્ટાફની પણ અછત સર્જાઈ છે. બાળ વિભાગના તબીબોએ નવા વોર્ડ અને સ્ટાફની માગણી કરી છે. આ વોર્ડમાં એક બાળકના માતા અને ઈન્ટર્ન તબીબને પણ ઓરીની અસર થઈ છે. તો સાત તબીબો પણ વાયરલની ઝપેટમાં આવ્યા છે . 

Jamnagar:  બાળકો સહિત તબીબોમાં વધ્યા વાયરલ તાવના કેસ, ઓરીની સારવાર માટે સ્પેશિયલ વોર્ડ કરાયો કાર્યરત
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 22, 2023 | 12:20 PM
Share

જામનગરની સર જી.જી હોસ્પિટલમાં હાલમાં બાળ દર્દીઓનું પ્રમાણ વધી ગયું છે. હાલમાં શરદી અને તાવ સાથે ઓરીના કેસમાં પણ વધારો થયો છે અને ઓરીના એકસાથે 12 બાળ દર્દીઓ સારવાર હેઠળ છે. જેથી ઓરી દર્દીઓ માટે 15 બેડનો ખાસ વોર્ડ કાર્યરત કરાયો છે.

નોંધનીય છે કે સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી જામનગરની સરકારી જી. જી. હોસ્પિટલના બાળકોના વોર્ડમાં 140 બેડ છે અને 300 બાળ દર્દીઓ હાલમાં સારવાર હેઠળ છે અને બાળકોના વોર્ડમાં ખાટલા ખૂટી પડતા એક બેડમાં એકથી વધુ બાળકોને સારવાર આપવામાં આવી રહી છે.

બેડની સાથે  સ્ટાફની પણ અછત

આ બેડની સાથે જ નર્સિંગ સ્ટાફની પણ અછત સર્જાઈ છે. બાળ વિભાગના તબીબોએ નવા વોર્ડ અને સ્ટાફની માગણી કરી છે. આ વોર્ડમાં એક બાળકના માતા અને ઈન્ટર્ન તબીબને પણ ઓરીની અસર થઈ છે. તો સાત તબીબો પણ વાયરલની ઝપેટમાં આવ્યા છે .

બદલાતી સિઝન અને બેવડી ઋતુના મારથી બાળકોની  બિમારી વધી

હાલ તો  એક સ્પેશિયલ વોર્ડ કાર્યરત કરાતા  સારવાર માટે રાહત પ્રવર્તશે તેવું તબીબો તથા બાળકોના વાલીઓનુું માનવું છે. ડોક્ટરના  જણાવ્યા પ્રમાણે  જી.જી. હોસ્પિટલમાં બાળકોના દર્દીઓની સંખ્યામાં ભારે વધારો જોવા મળ્યો છે, જેમાં પાંચ વોર્ડમાં કુલ 350 જેટલા બાળકો હાલ દાખલ છે અને  તબીબો યુદ્ધના ધોરણે બાળકોને સારવાર આપવામાં વ્યસ્ત છે. નોંધનીય છે કે હાલમાં વાતાવરણમાં મોટો ફરક જોવા મળ્યો છે  જેના કારણે એક દિવસ ઠંડી તો એક દિવસ ગરમી અનુભવાઈ રહી  છે તો ક્યારેક વહેલી સવારે અને રાત્રે ઠંડી અનુભવાય છે તેમજ  દિવસ દરમિયાન  તાપમાન વધતા ગરમીનો અનુભવ થઈ રહ્યો છે  આ ફેરબદલની અસર શરીર પર થતા બાળકો સૌથી વધુ બીમાર થઈ રહ્યા છે.

Follow Us
આજનું રાશિફળ: આજે વિદ્યાર્થીઓને મળશે સફળતાના સંકેત, જાણો તમારું રાશિફળ
આજનું રાશિફળ: આજે વિદ્યાર્થીઓને મળશે સફળતાના સંકેત, જાણો તમારું રાશિફળ
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
g clip-path="url(#clip0_868_265)">