જામનગરમાં મગફળીના ટેકા ભાવે વેચાણમાં ખેડુતોએ નિરસતા દાખવી, અનેક મુશ્કેલીઓ જવાબદાર

જામનગર જીલ્લાના 6 તાલુકામાં કુલ 33363 ખેડુતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યુ છે. જેમાંથી હાલ સુધીમાં તંત્ર દ્રારા 9617 ખેડુતોને એસએમએસ દ્રારા જાણ કરીને નિયત દિવસે આવવા માટે આંમત્રિત કરાયા છે.

જામનગરમાં મગફળીના ટેકા ભાવે વેચાણમાં ખેડુતોએ નિરસતા દાખવી, અનેક મુશ્કેલીઓ જવાબદાર
Groundnut
Follow Us:
Divyesh Vayeda
| Edited By: | Updated on: Nov 25, 2021 | 12:51 PM

ગુજરાતમાં (Gujarat) સરકાર દ્રારા મગફળીની (Ground Nut) ખરીદી ટેકાના ભાવે (MSP) કરી રહી છે. જેમાં જામનગરમાં (Jamnagar) લાભપાંચમથી શરૂ થયેલી પ્રક્રિયામાં હાલ સુધી ખેડુતોની નિરસતા જોવા મળી રહી છે. ખેડુતો મગફળીને ટેકા ભાવે સરકારને વેચાણ કરવા માટે જેટલા ખેડુતોએ રજીસ્ટ્રેશન કરાવ્યુ તેટલા પણ ખેડુતો વેચાણ માટે આવતા નથી.

ખેડુતો પાસેથી રાજયસરકાર મગફળીની ખરીદી મણના 1110 રૂપિયાના ભાવે ખરીદી કરે છે. પરંતુ ખેડુતો અનેક કારણે ટેકાભાવે ખરીદી કરવા તૈયાર થતા નથી. ટેકાભાવે વેચાણ માટે ખેડુતોને અનેક મુશકેલી પડતી હોય છે. જેના કારણે ખેડુતો ટેકાભાવે મગફળી વેચાણ માટે નિરસતા દાખવી રહ્યા છે. બીજી તરફ ખુલ્લા બજારમાં યાર્ડ ઉભરાય રહ્યા છે.

ખેડુતોને ટેકાભાવે મગફળીના વેચાણ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું ફરજીયાત હતું. જે માટે એક માસનો સમય આપવામાં આવ્યો હતો. જેમાં ખેડુતોને ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે મુશ્કેલી પડતી હોય તેથી અનેક ખેડુત પ્રક્રિયા દુર રહેતા હોય છે. ગ્રામ્ય વિસ્તારોમાં ઈન્ટરનેટની કનેટીવીટી, સર્વર સહીતની સમસ્યા થતી રહે છે. તેમજ અભણ ખેડુત કે ટેકનોલોજીથી અજાણ ખેડુતને રજીસ્ટ્રેશન માટે મુશ્કેલી થતી હોય છે.તેમજ કોમ્પયુટર ઓપરેટરોની મદદથી ખેડુતો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવતા હોય છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

જામનગર જીલ્લાના 6 તાલુકામાં કુલ 33363 ખેડુતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યુ છે. જેમાંથી હાલ સુધીમાં તંત્ર દ્રારા 9617 ખેડુતોને એસએમએસ દ્રારા જાણ કરીને નિયત દિવસે આવવા માટે આંમત્રિત કરાયા છે. પરંતુ જે પૈકી માત્ર 1176 ખેડુતો પોતાની મગફળીને લઈને યાર્ડ સુધી પહોચ્યા છે જેમાં 91 થી વધુ ખેડુતોની મગફળીને રીજેક્ટ કરવામાં આવી છે.

ઓનલાઈન રજીસ્ટ્રેશન બાદ સ્થાનિક તંત્ર દ્રારા એસએમએસ કરીને ખેડુતોને જાણ કરવામાં આવે છે. પરંતુ અનેક ખેડુતોની જે સમયે જાણ થાય તે સમય ઓછો મળે છે. તેથી મગફળી સાથે ખેડુતો નિયત સમયે પહોચી શકતા નથી. તો મગફળી લઈને પહોચ્યા બાદ મગફળી રીજેક્ટ થવાની શકયતા રહે છે અને બાદમાં નાણા પણ ખાતા કયારે આવે તે નિયત સમય ના હોવાથી તેથી ખેડુતો ખુલ્લા બજારમાં જવાનુ વધુ પસંદ કરે છે.

આ ઉપરાંત ખેડૂતોન જ્યાં રોકડ નાણાં અને સારો ભાવ મળે તે રીતે ખુલ્લા બજારમાં મગફળી વેચી રહ્યા છે. જેના લીધે ખેડુતો મગફળીને ટેકાના ભાવ વેચાણમાં નિરસતા દાખવે છે. જયારે ખુલ્લા બજારમાં માર્કેટ ઉભરાય છે.

આ પણ વાંચો : અમદાવાદ એરપોર્ટ પર વાઈબ્રન્ટ સમિટની તૈયારી, ચાર્ટર્ડ એરક્રાફ્ટ માટે વધુ પાર્કિંગ પ્લોટ વધારાયા

આ પણ વાંચો :  ગુજરાતના સાબરકાંઠામાં પોલીસ કર્મી અને પુત્ર જ દારૂ બનાવતા ઝડપાયા

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">