જામનગરઃ જમીન રીસર્વે રદ કરવાની માંગ કરતા ભાજપના નેતા, પુર્વ સાંસદ ચંદ્રેશ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખીને કરી રજુઆત

જામનગરના ભાજપના નેતાઓ દ્વારા આ મુદે અગાઉ પણ સરકારને રૂબરૂ રજુઆત કરવામાં આવી હતી. આ અંગે તત્કાલીન મુખ્યમંત્રી અને મહેસુલ મંત્રીને રજૂઆત કરવામાં આવેલ. મુખ્યમંત્રી અને મહેસુલ મંત્રી દ્વારા જિલ્લા સ્તરે બેઠક કરવામાં આવેલ.

જામનગરઃ જમીન રીસર્વે રદ કરવાની માંગ કરતા ભાજપના નેતા, પુર્વ સાંસદ ચંદ્રેશ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખીને કરી રજુઆત
Jamnagar: BJP leader demanding cancellation of land reserve
Follow Us:
Divyesh Vayeda
| Edited By: | Updated on: Feb 12, 2022 | 3:22 PM

જામનગરમાં (JAMNAGAR) અંદાજે પાંચ વર્ષ પહેલા જામનગર જિલ્લામાં પાયલોટ પ્રોજેકટ તરીકે જમીન માપણી (Land measurement)કરવામાં આવેલ હતી. આ માપણીમાં જિલ્લાના હજારો ખેડૂતોની ફરીયાદો આવેલ છે કે એકબીજા ખેડૂતોના જમીનના નકશામાં ફેરફાર આવેલ છે. તેમજ જમીનના ક્ષેત્રફળમાં ફેર આવેલ છે. સરકારી કચેરીમાં ખેડુતોની અરજીઓના ઢગલા પડયા છે. અને હજારોની સંખ્યામાં આવેલી અરજીનો નિકાલ થતો નથી. અગાઉ આ મુદે ખેડુત સંગઠનો, કોંગ્રેસ દ્વારા જમીન માપણીની પ્રક્રિયા રદ કરવાની માંગ કરવામાં આવી હતી. તો ખેડુતોને કનડગત કરતી જમીન રીસર્વેની પ્રક્રિયાને રદ કરવાની માંગ હવે ભાજપના નેતા (BJP Leader) દ્વારા પણ કરવામાં આવી છે. જામનગરના ભાજપના વરીષ્ઠ નેતા અને પુર્વ સાંસદ ચંદ્રેશ પટેલ  (Chandresh Patel) મુખ્યમંત્રીને (CM) પત્ર લખીને જમીન માપણી રદ કરવાની માંગ કરી છે.

જામનગરના ભાજપના નેતાઓ દ્વારા આ મુદે અગાઉ પણ સરકારને રૂબરૂ રજુઆત કરવામાં આવી હતી. આ અંગે તત્કાલીન મુખ્યમંત્રી અને મહેસુલ મંત્રીને રજૂઆત કરવામાં આવેલ. મુખ્યમંત્રી અને મહેસુલ મંત્રી દ્વારા જિલ્લા સ્તરે બેઠક કરવામાં આવેલ. જેમાં સાંસદ, ધારાસભ્યો અને સંગઠનના પદાધિકારીઓએ સચોટ રજૂઆત કરેલ કે 80 થી 85 % સુધી જમીનોમાં વિસંગતતા જોવા મળેલ છે. અને આ માપણી રદ કરવા ભારપૂર્વક રજૂઆત કરેલ કે જૂની માપણી માન્ય રાખવી અને નવી માપણી રદ કરવી. હાલ માપણી માત્ર ટેબલ પર બેસીને જ કરવામાં આવેલ છે. જામનગર જિલ્લામાં 20 હજાર ફાઈલો નિકાલ વગર અભેરાઈએ ચડાવી દેવામાં આવેલ છે. વિસંગગતા અંગેની ફાઈલોનો સાચો નિકાલ ખેડૂતોને વારંવાર ધકકા ખાવા છતાં આવતો નથી.

આ રીતે સેટેલાઈટથી થયેલ માપણીથી ગામડે ગામડે ભાઈ-ભાઈ તથા પડોશી-પડોશી વચ્ચે વેરઝેર થશે તેવું વાતાવરણ થઈ ચૂકયું હોવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો છે. જામનગર જિલ્લાના સંગઠન અને ચૂંટાયેલ હોદ્દેદારો ભાજપના અગ્રણીઓ રૂબરૂ ગાંધીનગર ગયા હતા છતાં હજુ આજ સુધી આ પ્રશ્નનો નિકાલ આવેલ નથી, જૂની માપણીમાં માત્ર 1 % જેટલી જ ફરીયાદો હતી. પરંતુ નવી માપણીમાં તો 100 % નારાજગી છે. જેથી જૂની માપણી માન્ય ગણવી જોઈએ, તેવી માંગ કરવામાં આવી છે. રજુઆતની સાથે અધિકારીઓ પર આક્ષેપ કરવામાં આવ્યા છે કે આ નિર્ણયથી હાલ અધિકારીઓ બેફામ લુટ ચલાવી રહેલ છે અને કે 3 વર્ષથી રજૂઆત કરનારને ન્યાય મળતો નથી અને નવા અરજદારોની ફાઈલ કલીયર કરવામાં આવે છે, જેમાં મોટી રકમના ઉઘરાણા થઈ રહેલ છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

જમીન માપણીનો પાયલોટ પ્રોજેકટ શરૂ થયો ત્યારથી ખેડુતોને નારજગી દર્શાવી હતી. બાદ અનેક ભુલો સામે આવતા ખેડુતો સંગઠનો દેખાવ, વિરોધ કરીને જમીન માપણી રદ કરવાની અનેક માંગણી કરેલ છે. તો હવે તો ભાજપના નેતા પણ ખુલ્લીને જમીન માપણી પ્રક્રિયા રદ કરવાની માંગ કરી રહ્યા છે.

આ પણ વાંચો : મહેસાણા APMCની ચૂંટણીમાં મતગણતરી પૂર્ણ, ભાજપના તમામ 10 સભ્યો વિજેતા

આ પણ વાંચો : સુરતમાં BRTS બસ બની રહી છે કાળમુખી, વધુ એક મહિલાનું થયું મોત

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">