Jamnagar: ચોમાસામાં દરીયામાં માછીમારી પર પ્રતિબંધ, માછીમારોએ વિવિધ પ્રશ્નો અંગે મંત્રીને કરી રજુઆત

દરીયામાં જવાના જોખમ સામે નાની બોટને થોડા સમય માટે માછીમારીની (Fishing) છુટ આપવાની રજુઆત માછીમારો કરી. જો નાની બોટના માલિકને માછીમારીની છુટ આપવામાં તો તેની આર્થિક મુશ્કેલી ઓછી થાય.

Jamnagar: ચોમાસામાં દરીયામાં માછીમારી પર પ્રતિબંધ, માછીમારોએ વિવિધ પ્રશ્નો અંગે મંત્રીને કરી રજુઆત
માછીમારોએ મંત્રીને કરી રજુઆત
Follow Us:
Divyesh Vayeda
| Edited By: | Updated on: May 26, 2022 | 5:58 PM

દરીયામાં બોટ લઈને માછીમારો માછલી પકડવા માટે જતા હોય છે. જો કે,  ચોમાસામાં માછીમારો માટે દરીયો ખેડવો જોખમી હોય તેથી સરકાર દ્વારા (Jamnagar News) દરીયામાં જવા પર પ્રતિબંધ મુકવામાં આવતો હોય છે. આ વખતે 1 જુનથી દરીયો ખેડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જે દર વર્ષે 15 જુનથી લાદવામાં આવતો હોય છે. સરકાર દ્વારા યાંત્રિક બોટ દ્વારા માછીમારી કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પડાયુ છે. આગામી તારીખ 1 જૂન થી 31 જુલાઇ સુધી આંતરદેશીય તથા દરિયાકાંઠાના પ્રાદેશિક જળ વિસ્તારોમાં આ જાહેરનામું લાગુ રહેશે.

ભારત સરકારના મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય આધારિત હુકમથી જામનગર જિલ્લાના આંતરદેશીય તથા દરિયાકાંઠાના પ્રાદેશિક જળ વિસ્તારમાં તારીખ 01-06-2022 થી તારીખ 31-07-2022 સુધી યાંત્રિક બોટો દ્વારા થતી માછીમારી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જામનગર જિલ્લામાં આ પ્રતિબંધમાંથી નોન મોટરાઈઝડ ક્રાફ્ટ (લાકડાની બિન યાંત્રિક એક લાકડાની અને શઢવાળી હોડી) તથા પગડિયા માછીમારોને બાકાત રાખવામાં આવે છે.

માછીમારી કરી રહેલ તમામ બોટોએ તારીખ 31-05-2022 સુધીમાં પોતાના બંદર ખાતે પરત ફરી તમામ બોટોની આવકની નોંધ ઓનલાઈન સોફ્ટવેરમાં ફરજિયાત કરવાની રહેશે. આદેશ ભંગ કરનાર સામે ગુજરાત મત્સ્યઉદ્યોગ કાયદો 2003-કલમ 6/1(ટ)ના ભંગ બદલ કલમ-21/1(ચ) મુજબ દંડને પાત્ર થશે તેમ મદદનીશ મત્સ્યઉધોગ નિયામક જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

માછીમારોએ વિવિધ પ્રશ્નો અંગે મંત્રીને કરી રજુઆત

જામનગર જીલ્લા બેડી, સચાણા, સિકકા સહીતના માછીમાર આગેવાનો અને માછીમારે વિવિધ પ્રશ્ને કૃષિમંત્રીને રજુઆત કરી. અગાઉ કોરોના કારણે લાંબો સમય માછીમારી બંધ રહેતા અનેક માછીમાર પરીવારને મુશ્કેલી થઈ છે. તેમજ લાંબા સમય માટે દરીયામાં પ્રતિબંધ લાગવામાં આવે તો નાના માછીમારોની મુશ્કેલી વધે શકે. દરીયામાં જવાના જોખમ સામે નાની બોટને થોડા સમય માટે માછીમારીની છુટ આપવાની રજુઆત માછીમારો કરી. જો નાની બોટના માલિકને માછીમારીની છુટ આપવામાં તો તેની આર્થિક મુશ્કેલી ઓછી થાય. જે લાંબા સમય સુધી દરીયામાં ન જાય તો તેમની મુશ્કેલી વધી શકે છે.

આ સાથે જ જેવી રીતે ખેડૂતોને કિસાન ક્રેડીક કાર્ડ આપવમાં આવે છે. તેવી રીતે સાગર-ખેડૂને પણ કિશાન ક્રેકીડ કાર્ડના લાભ મળવા જોઈએ. આ ઉપરાંત બોટની મંજુરી, લાયન્સ, જેટી, પીવાના પાણી સહીતના અનેક પ્રશ્નો અંગે માછીમારોએ જામનગર ગ્રામ્યના ધારાસભ્ય અને કૃષિમંત્રી રાઘવજી પટેલને વિસ્તૃત રજુઆત કરી હતી. તો સામે પક્ષે રાઘવજી પટેલે તેમની રજુઆત યોગ્ય હોવાનુ જણાવી, મત્સ્યોદ્યોગ મંત્રીને આ બાબતે યોગ્ય નિર્ણય કરવા ભલામણ કરવાની ખાતરી આપી હતી.

Latest News Updates

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
g clip-path="url(#clip0_868_265)">