AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જામનગરમાં ઢોરવાડે લઈ જતા એક ગાયનું મોત, મનપા સંચાલિત ઢોરવાડામાં છેલ્લા એક મહિનામાં 27 પશુના મોત થયા

Jamnagar: રખડતા ઢોરની સમસ્યાથી લોકો પરેશાન છે. તંત્ર દ્વારા રખડતા ઢોરને પકડવાની કામગીરી તો કરવામાં આવે છે પરંતુ તેને રાખવામાં આવતા ઢોર ડબ્બામાં યોગ્ય કાળજી ન લેવાતા ઢોરના મોત થાય છે. આજે આ કામગીરી દરમિયાન એક ગાયનું મોત થતા ગૌસેવકોમાં રોષ ફેલાયો છે.

જામનગરમાં ઢોરવાડે લઈ જતા એક ગાયનું મોત, મનપા સંચાલિત ઢોરવાડામાં છેલ્લા એક મહિનામાં 27 પશુના મોત થયા
ઢોરવાડે લઈ જતા એક ગાયનું મોત
Divyesh Vayeda
| Edited By: | Updated on: Feb 09, 2023 | 6:39 PM
Share

શું જામનગર કોર્પોરેશન સંચાલિત ઢોરવાડા ઢોર માટે સુરક્ષિત નથી ? શું ઢોરવાડામાં મુકાયેલા ઢોરોના માથે મોત ભમે છે ? આ સવાલ એટલા માટે થાય કેમકે પશુપાલકોના આક્ષેપ પ્રમાણે જામનગર કોર્પોરેશન સંચાલિત ઢોરવાડામાં એક મહિનામાં 27 પશુઓના મોત થયા છે. પશુઓના મોતની વધતી સંખ્યાથી જામનગરના પશુપાલકો ચિંતામાં મુકાયા છે. પશુઓના ઢોરવાડામાં થતા મોતથી પશુપાલકો તંત્ર સામે રોષ ઠાલવી રહ્યા છે. પશુપાલકોનો આરોપ છે કે સોનલ નગર વિસ્તારમાં મનપાની બેદરકારીને કારણે ગાયનું મોત થયું છે.

ઢોર પકડવાની કામગીરી સમયે તંત્રની બેદરકારીથી ગાયનું મોત થયું છે. ઘટના બાદ રોષે ભરાયેલા ગૌસેવકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને તંત્ર સામે વિરોધ નોંધાવી રોષ ઠાલવ્યો હતો. ગૌસેવકોનો એવો પણ આરોપ છે કે સોનલ નગર વિસ્તારના ઢોરવાડામાં અંદાજે 550થી વધુ પશુ રાખવામાં આવ્યા છે. જેમાંથી છેલ્લા એક મહિનામાં જ 27 ઢોરના મોત થયા છે. ઢોરવાડામાં પશુઓને પકડીને પુરતો ખોરાક અને સારવાર ન અપાતી હોવાનો પણ આરોપ છે.

જામનગર મહાનગરપાલિકામાં રખડતા ઢોરની સમસ્યા કોઈ નવી નથી. વારંવાર કોર્ટની ફટકાર બાદ તંત્રે કામ કરવાની ફરજ પડી છે. રખડતા ઢોરના ઉકેલ માટે નિયમિત ઢોરને પકડવાની કામગીરી કરવામાં આવે છે. જે ઢોર પકડવાની કામગીરી દરમિયાન તંત્ર દ્રારા યોગ્ય કાળજી ના લેવાતા પશુઓના મોત થઈ રહ્યા છે. જેમાં આજે ટ્રેકટરમાં એક ગાયનુ મોત થયુ છે.

ટ્રેકટરમાં છાણ, પાણી હોવાથી ગાય પડી, બાદ અન્ય પકડાયેલ પશુઓ દ્વારા તેને કચડી નાખતા તેનુ મોત થયુ છે. જેની જાણ ગૌસેવકો અને પશુમાલિકોને થતા ઢોરના ડબ્બા પાસે દેખાવ અને વિરોધ વ્યકત કર્યો. સાથે તંત્રની કામગીરી સામે રોષ વ્યકત કર્યો હતો. મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થતા પોલિસની મદદ લેવામાં આવી હતી.

ગૌસેવકોએ આક્ષેપ કર્યા કે ગાયને પકડીને તેને પુરતો ખોરાક આપવામાં આવતો નથી. તેની સારવાર સમયસર થતી નથી. ખુલ્લા પ્લોટમાં રાખવામાં આવતા દિવસે તડકો અને રાત્રીના ઠંડી લાગતી હોય છે. પશુઓના મોત તંત્રની બેદરકારીથી થાય છે.

આ પણ વાંચો: મહેસાણામાં રખડતા ઢોરનો આતંક ! બાઈકચાલકને અડફેટમાં લેતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત

ઢોર પકડનારી ટીમ દ્વારા ઢોર પકડીને એક ટ્રેકટરમાં 8થી 10 ઢોર રાખવામાં આવે છે. જેમાં આજે એક સાથે 8 ઢોર હોય ત્યાં એક ગાયને ઈજા થતા તેનુ મોત થયુ છે. સોનલ નગર વિસ્તારમાં આવેલા ઢોરના ડબ્બામાં અંદાજે 550થી વધુ પશુઓ રાખવામાં આવ્યા છે. જેમાં એક માસમાં 27 ઢોરના મોત થયા છે. ગૌસેવકો ઢોરના મોત મામલે કરેલ રજુઆતના પગલે પશુઓ માટે છાયડો રહે તે માટે વ્યવસ્થા કરવાની તંત્રએ ખાતરી આપી છે.

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">