AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

International Yoga day 2021: કોરોનાકાળમાં યોગ કરનારા લોકોની સંખ્યામાં વધારો, યોગ બન્યુ આશાનું કિરણ

International Yoga day 2021 : વિશ્વ યોગ દિવસના દિવસે પીએમ મોદીએ જણાવ્યુ કે જ્યારે સંપૂર્ણ વિશ્વ કોરોના મહામારીનો સામનો કરી રહ્યુ છે ત્યારે યોગ આશાનું કિરણ છે.કોરોનાના સમયમાં એક સર્વે હાથ ધરવામાં આવ્યો છે. સર્વેમાં સામે આવ્યુ છે કે કોરોનાકાળમાં એક વર્ષમાં 42. 77 ટકા લોકોએ યોગ શરુ કર્યા છે.

International Yoga day 2021: કોરોનાકાળમાં યોગ કરનારા લોકોની સંખ્યામાં વધારો, યોગ બન્યુ આશાનું કિરણ
સાંકેતિક તસ્વીર
Niyati Trivedi
| Edited By: | Updated on: Jun 21, 2021 | 1:06 PM
Share

International Yoga day 2021 : 21 મી જૂન એટલે વિશ્વ યોગ (Yoga) દિવસ. આજે દેશના અલગ-અલગ ભાગમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે વિશ્વ યોગ દિવસના દિવસે પીએમ મોદીએ જણાવ્યુ કે જ્યારે સંપૂર્ણ વિશ્વ કોરોના (Corona) મહામારીનો સામનો કરી રહ્યુ છે ત્યારે યોગ આશાનું કિરણ બન્યુ છે. કોરોનાના સમયમાં એક સર્વે હાથ ધરવામાં આવ્યો છે. સર્વેમાં સામે આવ્યુ છે કે કોરોનાકાળમાં એક વર્ષમાં 42. 77 ટકા લોકોએ યોગ શરુ કર્યા છે.

આપને જણાવી દઇએ કે એક ફિઝિયોથેરાપી ઇન્સ્ટીટ્યૂટ દ્વારા રાજ્યમાં યોગ અભ્યાસ અંગેની સમજનું વિશ્લેષણ શિર્ષક હેઠળ એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.આ સર્વેમાં યોગ અભ્યાસના લાભ, યોગ વિશેની માન્યતા, યોગની પ્રેરણા આપતા અને અવરોધક પરિબળ એમ કુલ 10 પ્રશ્નો 1034 લોકોને પૂછવામાં આવેલા.આ સર્વેમાં 67. 24 ટકા લોકો અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારમાંથી હતા સર્વે પ્રમાણે 60.78 લોકો યોગ કરે છે.

છેલ્લા 1 વર્ષમાં 42.77 ટકા લોકોએ યોગ કરવાનું શરુ કર્યુ છે. કોરોના તેમજ અન્ય સમસ્યાઓના નિવારણ માટે લોકો યોગ તરફ આગળ વધ્યા છે.42.86 ટકા લોકોનું માનવું છે કે યોગ કરવાથી માનસિક શાંતિ મળે છે તેમજ શારિરિક હળવાશનો અનુભવ થાય છે.

આ ઉપરાંત 29.18 ટકા લોકોએ પ્રાણાયમને મહત્વ આપ્યુ છે. જેના થકી કોવિડ-19 પછી ફેફસા પર થતી ખરાબ અસરને દૂર કરી શકાય છે. આ સાથે જ 23. 5 ટકા લોકોએ આસનોને મહત્વ આપ્યુ છે. 39.01 ટકા લોકોનું કહેવુ છે કે માનસિક અને શારીરિક રીતે શરીરને સ્વસ્થ રાખવા યોગ મહત્વપૂર્ણ છે.

Follow Us
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
g clip-path="url(#clip0_868_265)">