AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

International Yoga day 2021: કોરોનાકાળમાં યોગ કરનારા લોકોની સંખ્યામાં વધારો, યોગ બન્યુ આશાનું કિરણ

International Yoga day 2021 : વિશ્વ યોગ દિવસના દિવસે પીએમ મોદીએ જણાવ્યુ કે જ્યારે સંપૂર્ણ વિશ્વ કોરોના મહામારીનો સામનો કરી રહ્યુ છે ત્યારે યોગ આશાનું કિરણ છે.કોરોનાના સમયમાં એક સર્વે હાથ ધરવામાં આવ્યો છે. સર્વેમાં સામે આવ્યુ છે કે કોરોનાકાળમાં એક વર્ષમાં 42. 77 ટકા લોકોએ યોગ શરુ કર્યા છે.

International Yoga day 2021: કોરોનાકાળમાં યોગ કરનારા લોકોની સંખ્યામાં વધારો, યોગ બન્યુ આશાનું કિરણ
સાંકેતિક તસ્વીર
Niyati Trivedi
| Edited By: | Updated on: Jun 21, 2021 | 1:06 PM
Share

International Yoga day 2021 : 21 મી જૂન એટલે વિશ્વ યોગ (Yoga) દિવસ. આજે દેશના અલગ-અલગ ભાગમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે વિશ્વ યોગ દિવસના દિવસે પીએમ મોદીએ જણાવ્યુ કે જ્યારે સંપૂર્ણ વિશ્વ કોરોના (Corona) મહામારીનો સામનો કરી રહ્યુ છે ત્યારે યોગ આશાનું કિરણ બન્યુ છે. કોરોનાના સમયમાં એક સર્વે હાથ ધરવામાં આવ્યો છે. સર્વેમાં સામે આવ્યુ છે કે કોરોનાકાળમાં એક વર્ષમાં 42. 77 ટકા લોકોએ યોગ શરુ કર્યા છે.

આપને જણાવી દઇએ કે એક ફિઝિયોથેરાપી ઇન્સ્ટીટ્યૂટ દ્વારા રાજ્યમાં યોગ અભ્યાસ અંગેની સમજનું વિશ્લેષણ શિર્ષક હેઠળ એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.આ સર્વેમાં યોગ અભ્યાસના લાભ, યોગ વિશેની માન્યતા, યોગની પ્રેરણા આપતા અને અવરોધક પરિબળ એમ કુલ 10 પ્રશ્નો 1034 લોકોને પૂછવામાં આવેલા.આ સર્વેમાં 67. 24 ટકા લોકો અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારમાંથી હતા સર્વે પ્રમાણે 60.78 લોકો યોગ કરે છે.

છેલ્લા 1 વર્ષમાં 42.77 ટકા લોકોએ યોગ કરવાનું શરુ કર્યુ છે. કોરોના તેમજ અન્ય સમસ્યાઓના નિવારણ માટે લોકો યોગ તરફ આગળ વધ્યા છે.42.86 ટકા લોકોનું માનવું છે કે યોગ કરવાથી માનસિક શાંતિ મળે છે તેમજ શારિરિક હળવાશનો અનુભવ થાય છે.

આ ઉપરાંત 29.18 ટકા લોકોએ પ્રાણાયમને મહત્વ આપ્યુ છે. જેના થકી કોવિડ-19 પછી ફેફસા પર થતી ખરાબ અસરને દૂર કરી શકાય છે. આ સાથે જ 23. 5 ટકા લોકોએ આસનોને મહત્વ આપ્યુ છે. 39.01 ટકા લોકોનું કહેવુ છે કે માનસિક અને શારીરિક રીતે શરીરને સ્વસ્થ રાખવા યોગ મહત્વપૂર્ણ છે.

Follow Us
જામનગરમાં અપહરણ કરી યુવકને ટોર્ચર કરનારા '5 આરોપી' પોલીસના સકંજામાં
જામનગરમાં અપહરણ કરી યુવકને ટોર્ચર કરનારા '5 આરોપી' પોલીસના સકંજામાં
સુરતથી બંગાળ: પરિવર્તનની આશા સાથે હજારો મતદારો વતન રવાના
સુરતથી બંગાળ: પરિવર્તનની આશા સાથે હજારો મતદારો વતન રવાના
સરકારી વાહનો હોવા છતાં ખાનગી ગાડીમાં 'EVM' કઈ રીતે પહોંચ્યા?
સરકારી વાહનો હોવા છતાં ખાનગી ગાડીમાં 'EVM' કઈ રીતે પહોંચ્યા?
અમદાવાદની ITC નર્મદા હોટલની સેન્ડવીચમાંથી જીવાત નીકળી
અમદાવાદની ITC નર્મદા હોટલની સેન્ડવીચમાંથી જીવાત નીકળી
હીટવેવના પગલે આરોગ્ય તંત્ર એક્શનમાં, જુઓ વીડિયો
હીટવેવના પગલે આરોગ્ય તંત્ર એક્શનમાં, જુઓ વીડિયો
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
g clip-path="url(#clip0_868_265)">