AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

International Yoga day 2021: કોરોનાકાળમાં યોગ કરનારા લોકોની સંખ્યામાં વધારો, યોગ બન્યુ આશાનું કિરણ

International Yoga day 2021 : વિશ્વ યોગ દિવસના દિવસે પીએમ મોદીએ જણાવ્યુ કે જ્યારે સંપૂર્ણ વિશ્વ કોરોના મહામારીનો સામનો કરી રહ્યુ છે ત્યારે યોગ આશાનું કિરણ છે.કોરોનાના સમયમાં એક સર્વે હાથ ધરવામાં આવ્યો છે. સર્વેમાં સામે આવ્યુ છે કે કોરોનાકાળમાં એક વર્ષમાં 42. 77 ટકા લોકોએ યોગ શરુ કર્યા છે.

International Yoga day 2021: કોરોનાકાળમાં યોગ કરનારા લોકોની સંખ્યામાં વધારો, યોગ બન્યુ આશાનું કિરણ
સાંકેતિક તસ્વીર
Niyati Trivedi
| Edited By: | Updated on: Jun 21, 2021 | 1:06 PM
Share

International Yoga day 2021 : 21 મી જૂન એટલે વિશ્વ યોગ (Yoga) દિવસ. આજે દેશના અલગ-અલગ ભાગમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે વિશ્વ યોગ દિવસના દિવસે પીએમ મોદીએ જણાવ્યુ કે જ્યારે સંપૂર્ણ વિશ્વ કોરોના (Corona) મહામારીનો સામનો કરી રહ્યુ છે ત્યારે યોગ આશાનું કિરણ બન્યુ છે. કોરોનાના સમયમાં એક સર્વે હાથ ધરવામાં આવ્યો છે. સર્વેમાં સામે આવ્યુ છે કે કોરોનાકાળમાં એક વર્ષમાં 42. 77 ટકા લોકોએ યોગ શરુ કર્યા છે.

આપને જણાવી દઇએ કે એક ફિઝિયોથેરાપી ઇન્સ્ટીટ્યૂટ દ્વારા રાજ્યમાં યોગ અભ્યાસ અંગેની સમજનું વિશ્લેષણ શિર્ષક હેઠળ એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.આ સર્વેમાં યોગ અભ્યાસના લાભ, યોગ વિશેની માન્યતા, યોગની પ્રેરણા આપતા અને અવરોધક પરિબળ એમ કુલ 10 પ્રશ્નો 1034 લોકોને પૂછવામાં આવેલા.આ સર્વેમાં 67. 24 ટકા લોકો અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારમાંથી હતા સર્વે પ્રમાણે 60.78 લોકો યોગ કરે છે.

છેલ્લા 1 વર્ષમાં 42.77 ટકા લોકોએ યોગ કરવાનું શરુ કર્યુ છે. કોરોના તેમજ અન્ય સમસ્યાઓના નિવારણ માટે લોકો યોગ તરફ આગળ વધ્યા છે.42.86 ટકા લોકોનું માનવું છે કે યોગ કરવાથી માનસિક શાંતિ મળે છે તેમજ શારિરિક હળવાશનો અનુભવ થાય છે.

આ ઉપરાંત 29.18 ટકા લોકોએ પ્રાણાયમને મહત્વ આપ્યુ છે. જેના થકી કોવિડ-19 પછી ફેફસા પર થતી ખરાબ અસરને દૂર કરી શકાય છે. આ સાથે જ 23. 5 ટકા લોકોએ આસનોને મહત્વ આપ્યુ છે. 39.01 ટકા લોકોનું કહેવુ છે કે માનસિક અને શારીરિક રીતે શરીરને સ્વસ્થ રાખવા યોગ મહત્વપૂર્ણ છે.

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">