ગુજરાતમાં મીઠાઇમાં પણ મોંઘવારીની અસર, ખરીદીના માહોલ વચ્ચે 10 ટકાનો ભાવ વધારો

ગુજરાતમાં મીઠાઇના ભાવ અંગે તેમણે જણાવ્યું હતું કે ઓવરઓલ બજારમાં અનેક ચીજ વસ્તુઓ જેવી કે પેટ્રોલ -ડીઝલ અને રો- મટીરિયલ્સ અને મજૂરીના ભાવમાં વધારાની અસર મીઠાઇના ભાવ પર જોવા મળી છે.

ગુજરાતમાં મીઠાઇમાં પણ મોંઘવારીની અસર, ખરીદીના માહોલ વચ્ચે 10 ટકાનો ભાવ વધારો
Inflation also affects sweets Price in Gujarat (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 30, 2021 | 2:10 PM

ગુજરાતમાં(Gujarat)કોરોનાની ત્રીજી લહેરની નહિવત દહેશત વચ્ચે સમગ્ર રાજ્યમાં દિવાળીના(Diwali)તહેવારોને લઇને ઉત્સાહનો માહોલ છે. જેમાં પણ આ વખતે દિવાળી પૂર્વે જ બજારોમાં ઘરાકીનો માહોલ જોવા મળી રહ્યો છે. તેમજ જેના પગલે હવે દિવાળી અને નવા વર્ષમાં મહેમાનોને મોં મીઠું કરાવવા અને ભેટ માટે વપરાતી મીઠાઇના(Sweet)વેચાણ અને ઓર્ડરમાં પણ આ વર્ષે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

જો કે આ વર્ષે મીઠાઇના વેચાણમાં ગત વર્ષની સરખામણીએ વધારો થવાની સાથે સાથે તેના ભાવમાં પણ સરેરાશ 10 ટકાનો વધારો(Price Hike)નોંધાયો છે. જેમાં પણ ડ્રાય-ફૂટના(Dry Fruit)ભાવમાં વધારાના પગલે ડ્રાયફ્રૂટ મીઠાઇના પણ ભાવ વધારો જોવા મળી રહ્યો છે. મીઠાઇમાં સૌથી મોટા ગણાતા માર્કેટ અમદાવાદમાં મીઠાઇના મોટા વેપારીઓને ત્યાં કોર્પોરેટ બુકિંગ થઈને છૂટક વેચાણનો માહોલ આ વર્ષે જામ્યો છે.

અમદાવાદની જાણીતી બ્રાન્ડના મીઠાઇના વેપારી જય શર્માએ ટીવીનાઈન સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ” આ વર્ષે મીઠાઇના બજારમાં ઉત્સાહનો માહોલ છે. તેમજ લોકો ગત વર્ષની સરખામણીએ ખૂલીને ખરીદી કરી રહ્યા છે. જેના પગલે આ વર્ષે મીઠાઇના વેચાણના વોલ્યુમમાં વધારો થશે તે ચોક્કસ છે. ”

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

જ્યારે મીઠાઇના ભાવ અંગે તેમણે જણાવ્યું હતું કે ઓવરઓલ બજારમાં અનેક ચીજ વસ્તુઓ જેવી કે પેટ્રોલ -ડીઝલ અને રો- મટીરિયલ્સ અને મજૂરીના ભાવમાં વધારાની અસર મીઠાઇના ભાવ પર જોવા મળી છે. જેમાં મીઠાઇના ભાવના તેની વેરાઇટી પ્રમાણે 5 થી 10 ટકાનો વધારો થયો છે. તેમ છતાં હાલ બજારના માહોલ સારો છે અને દિવાળી સુધી આ સતત રહે તેવી આશા છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગત વર્ષે કાજુ કતરીનો ભાવ 860 રૂપિયા કિલો હતો જે આ વર્ષે વધીને 920 રૂપિયા કિલોએ પહોંચી છે. એવી જ રીતે અલગ અલગ મીઠાઇમાં 40 થી 60 રૂપિયા સુધીનો વધારો જોવા મળ્યો છે.આ ઉપરાંત આ વર્ષે  મીઠાઈના વેચાણમાં ખૂબ સારો વધારો થયો છે. ડ્રાયફ્રુટ્સ મીઠાઈ, માવાની મીઠાઈ ગિફ્ટ બોક્સ અને કોર્પોરેટ કંપનીમાં આપવા માટે મીઠાઈનું વેચાણ ડબલ જોવા મળ્યું છે. જયારે શુગર ફ્રી મીઠાઈનું પણ વેચાણ વધી રહ્યું છે.

આ પણ વાંચો : ગુજરાતના કપડવંજમાં ખેડૂતો છેતરાયા, નકલી બિયારણથી નુકશાનની ભીતિ

આ પણ વાંચો : દાદરા નગર હવેલી લોકસભા બેઠકની પેટાચૂંટણી માટે મતદાન શરૂ, ભાજપના ઉમેદવારે જીતનો આશાવાદ વ્યક્ત કર્યો

Latest News Updates

આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">