AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India Pakistan War : આતંકીસ્તાનની નાપાક હરકતોના પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બોલાવી તાત્કાલિક બેઠક, જુઓ Video

ભારત-પાકિસ્તાન સરહદ પર વધી રહેલા તણાવ વચ્ચે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ખાતે એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે. આ બેઠકમાં ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

India Pakistan War : આતંકીસ્તાનની નાપાક હરકતોના પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બોલાવી તાત્કાલિક બેઠક, જુઓ Video
India Pakistan War
Follow Us:
Kinjal Mishra
| Edited By: | Updated on: May 10, 2025 | 11:11 AM

ભારત-પાકિસ્તાન સરહદ પર વધી રહેલા તણાવ વચ્ચે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ખાતે એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે. આ બેઠકમાં ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેશે. આ બેઠક પાકિસ્તાન દ્વારા ગુજરાતની સરહદ પર થઈ રહેલા સતત ઉલ્લંઘનોને કારણે બોલાવવામાં આવી છે.

છેલ્લા બે દિવસમાં કચ્છ અને બનાસકાંઠા જેવા સરહદી જિલ્લાઓમાં ડ્રોન દ્વારા હુમલાના અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે. ભારતીય સેના અને સુરક્ષા દળોની સતર્કતા અને સક્ષમતાને કારણે આ પ્રયાસો નિષ્ફળ ગયા છે અને કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ પાકિસ્તાન દ્વારા સતત થઈ રહેલા આ ઉલ્લંઘનો ગુજરાતની સુરક્ષા માટે ચિંતાનો વિષય છે.

આ ઈમરજન્સી બેઠકમાં રાજ્ય સરકાર દ્વારા સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે લેવાના પગલાંઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાત પોલીસ અને અન્ય સુરક્ષા દળો દ્વારા પેટ્રોલિંગ અને ચેકિંગ વધારવામાં આવ્યા છે. વહીવટી તંત્રને પણ વધુ સતર્ક રહેવા અને ઝડપથી કાર્યવાહી કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. પ્રભારી સચિવોને પોતાના જિલ્લાઓની મુલાકાત લેવાનું કહેવામાં આવ્યું છે અને આવતી કાલે પ્રભારી મંત્રીઓ પણ પોતાના વિસ્તારોની મુલાકાત લેશે.

આજનું રાશિફળ તારીખ : 12-05-2025
Milk : કાચું દૂધ પીવું કે નહીં, જાણી લો નહીં તો થશે નુકસાન
ન મોંઘી પ્રોડક્ટ્સ, ન ડાયેટ... આ 3 સસ્તી વસ્તુ સારા તેંડુલકરની ફિટનેસનું છે રહસ્ય
જો IPL સ્થગિત ન થયું હોત તો RCB ને થયું હોત મોટું નુકસાન
આ તે વળી કેવું? 5 યુનિવર્સિટી એલિયન્સ વિશે ભણાવે છે!
ભારતીય ક્રિકેટની 'બ્યુટી ક્વીન'નું તૂટયું દિલ !

દેશના 32 એરપોર્ટ બંધ

દેશના 32 એરપોર્ટ પર સુરક્ષાના કારણોસર ફ્લાઈટ્સ સ્થગિત કરવામાં આવી છે. આમાં ગુજરાતના કેટલાક એરપોર્ટનો પણ સમાવેશ થાય છે. આ બધા પગલાં રાજ્યની સુરક્ષાને મજબૂત કરવા અને કોઈપણ પ્રકારના હુમલાને રોકવા માટે લેવામાં આવ્યા છે. મુખ્યમંત્રી દ્વારા બોલાવવામાં આવેલી આ બેઠક ગુજરાતની સુરક્ષા પર ભાર મૂકે છે અને આગામી દિવસોમાં સરહદી વિસ્તારોની સુરક્ષાને વધુ મજબૂત બનાવવાના પગલાં લેવામાં આવશે.

g clip-path="url(#clip0_868_265)">