રાજકોટ-મોરબી જિલ્લાના ખેડૂતો માટે 0 ટકાના વ્યાજે 1 લાખની લોન જાહેર કરતી જિલ્લા બેંક, જયેશ રાદડિયાની મહત્વની જાહેરાત

ભારે વરસાદને કારણે સૌથી વધારે નુકસાન લોધિકા તાલુકામાં થયું છે.લોધિકામાં એક દિવસમાં જ 25 ઇંચ જેટલો વરસાદ પડતા ત્યાં ખેડૂતો ધોવાય ગયા છે આ ઉપરાંત મોજ નદીના કારણે ઉપલેટા તાલુકાના ખેડૂતોને પણ નુકસાન થયું છે.

રાજકોટ-મોરબી જિલ્લાના ખેડૂતો માટે 0 ટકાના વ્યાજે 1 લાખની લોન જાહેર કરતી જિલ્લા બેંક, જયેશ રાદડિયાની મહત્વની જાહેરાત
Important announcement of District Bank, Jayesh Radadia announcing loan of Rs 1 lakh at 0% interest for farmers of Rajkot-Morbi district
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Sep 23, 2021 | 6:08 PM

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદને કારણે અનેક ખેડૂતોની જમીનનું ધોવાણ થયું છે.ખેડૂતોને સરકાર સર્વે કર્યા બાદ નુકસાનીનું વળતર આપશે.સરકાર આ અંગે કોઇ જાહેરાત કરે તે પહેલા વિઠ્ઠલભાઇ રાદડિયા રાજકોટ જિલ્લા બેંક દ્રારા ખેડૂતોની વ્હારે આવી છે અને ખેડૂતોને 1 લાખ રૂપિયા સુધીની ઝીરો ટકા લોનની જાહેરાત કરી છે.

આ અંગે જાહેરાત કરતા જયેશ રાદડિયાએ કહ્યું હતુ કે ભારે વરસાદને કારણે ખેડૂતોના ખેતર ધોવાય ગયા છે અને પાક નિષ્ફળ ગયો છે ત્યારે જિલ્લા બેંકના જે પણ ઘિરાણ લેતા હશે તેવા સભાસદોને બેંક દ્રારા 1 લાખ રૂપિયાની લોન આપવામાં આવશે આ લોન ઝીરો ટકા હશે અને ત્રણ વર્ષની મુદ્દતમાં ભરપાય કરવાની રહેશે.આ લાભ રાજકોટ અને મોરબી જિલ્લાના બેંક સાથે જોડાયેલા ખેડૂતોને મળશે..

જિલ્લા બેંક ખેડૂતોની સંસ્થા,હંમેશા ખેડૂતો સાથે-રાદડિયા

જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું

આ અંગેની જાહેરાત કરતા જયેશ રાદડિયાએ કહ્યું હતુ કે રાજકોટ જિલ્લા બેંક ખેડૂતોની બેંક છે અને જ્યારે ખેડૂતોને મુશ્કેલી પડે છે ત્યારે આ બેંક ખેડૂતોની સાથે રહે છે.રાજકોટ જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે અનેક ખેડૂતોના પાકને નુકસાન થયું છે અને જમીનનું પણ ઘોવાણ થયું છે ત્યારે અત્યારે ખેડૂતોને રૂપિયાની જરૂર હોય છે જેથી જિલ્લા બેંકે ખેડૂતોને 1 લાખ રૂપિયા સુધીની લોન આપવાની જાહેરાત કરી છે અને આ ત્રણ વર્ષની મુદ્દતની લોન રહેશે.સાથે સાથે ખેડૂતોને એકપણ રૂપિયા વ્યાજ પણ નહિ ચૂકવવું પડે..

સૌથી વધારે નુકસાન લોધિકા તાલુકામાં

ભારે વરસાદને કારણે સૌથી વધારે નુકસાન લોધિકા તાલુકામાં થયું છે.લોધિકામાં એક દિવસમાં જ 25 ઇંચ જેટલો વરસાદ પડતા ત્યાં ખેડૂતો ધોવાય ગયા છે આ ઉપરાંત મોજ નદીના કારણે ઉપલેટા તાલુકાના ખેડૂતોને પણ નુકસાન થયું છે.સાથે સાથે ગોંડલ અને ધોરાજીમાં પણ સારો વરસાદ પડ્યો છે જેથી નદી કાંઠા અને ડેમની નજીક આવેલા ખેતરો ધોવાય ગયા છે અને ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે.હાલમાં ખેડૂતો સહાયની આશા રાખી રહ્યા છે.સરકારની સહાય આવે તે પહેલા જિલ્લા બેંક દ્રારા કરવામાં આવેલી જાહેરાત ખેડૂતો માટે એક ટેકા સમાન બની છે..

રાજ્ય સરકાર દ્રારા સર્વે પૂર્ણ કરી ફાઇનલ આંકડો જાહેર કરાશે-જિલ્લા કલેક્ટર

જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ કહ્યું હતુ કે જિલ્લામાં જમીન ઘોવાણ થયા હોવાની સૌથી વધારે ફરીયાદ લોધિકા,ગોંડલ અને ધોરાજી પંથકમાંથી મળી છે જો કે તેમને સહાય અંગેની કોઇ જોગવાઇ નથી આ અંગે રાજ્ય સરકારને સૂચન કરવામાં આવ્યું છે રાજ્ય સરકાર નિર્ણય લેશે.તો ખેડૂતોને જે નુકસાન થયું છે તેનો અલગ અલગ ટીમો બનાવીને સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે.સર્વે પૂર્ણ થયા બાદ ફાઇનલ આંકડો જાહેર કરવામાં આવશે અને તેના આધારે રાજ્ય સરકાર નિર્ણય લેશે..

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">