ગુજરાતમાં હડતાળ કરી રહેલા રેસિડેન્ટ ડોકટરો સોમવારે કોરોના વોરિયર્સના સન્માનપત્ર સરકારને પરત આપશે

સરકારે કોરોના સમયે આ ડોકટરોને આપેલા કોરોના વોરિયર્સ તરીકેના સન્માન પત્રને સરકારને પરત આપવાનો ડોકટરોએ નિર્ણય લીધો છે. જેમાં સોમવારે તમામ કોરોના વોરિયર્સ સન્માનપત્ર આરોગ્ય કમિશ્નરને પરત કરશે.

ગુજરાતમાં હડતાળ કરી રહેલા રેસિડેન્ટ ડોકટરો સોમવારે કોરોના વોરિયર્સના સન્માનપત્ર સરકારને પરત આપશે
Gujarat Resident doctors to return Corona Warriors honorarium to government on Monday
Follow Us:
Jignesh Patel
| Edited By: | Updated on: Aug 08, 2021 | 8:47 PM

ગુજરાત(Gujarat)માં સતત ચાલી રહેલી ડોકટરો(Doctor)ની હડતાળ ધીરે ધીરે આક્રમક બની રહી છે. જેમાં હવે સરકારે કોરોના સમયે આ ડોકટરોને આપેલા કોરોના વોરિયર્સ(Corona Worriers)તરીકેના સન્માન પત્રને સરકારને પરત આપવાનો ડોકટરોએ નિર્ણય લીધો છે. જેમાં સોમવારે તમામ કોરોના વોરિયર્સ સન્માનપત્ર આરોગ્ય કમિશ્નરને પરત કરશે.

રાજ્યમાં તેમની માંગણીઓને લઇને ચાલી રહેલી રેસીડેન્ટ તબીબોની હડતાળનો રવિવારે પાંચમો દિવસ હતો. જેમાં ડોકટરોએ કહ્યું કેપાણી, વીજળી સહિત ની સુવિધાઓ બંધ કરવાની સરકારની ધમકીથી કોઇ ફરક નહી પડે. તેમજ અમે અમારા માંગણીઓ માટે ફુટપાથ પર નહાયા વગર હડતાળ કરીશું.

જો કે આ દરમ્યાન હડતાળ ઉપર રહેલા તબીબોએ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હતું. તેમજ આરોગ્ય અઘિકારીઓના મનસ્વી નિર્ણયનો વિરોધ કર્યો હતો. ડોકટરોએ કહ્યું કે અમે સરકારની તાનાશાહી ઉપર તબીબો પણ અડગ રહીશું. જો કે ડોકટરોના વધતાં વિરોધ વચ્ચે બી.જે.મેડિકલ કોલેજમાં પોલીસ ખડકી દેવામાં આવી છે. જ્યારે આ તબીબોએ પોલીસની હાજરીમાં દેશભક્તિના ગીતો ગાઈને હડતાળને મક્કમતાથી આગળ વધારવા સંકલ્પ કર્યો હતો.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

આ મુદ્દે સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ તબીબોની માંગ અયોગ્ય છે. તેમજ હડતાળ કરીને ડોકટરો દર્દીઓને બાનમાં લેવાનો પ્રયાસ કરી રહ્યાં છે. તેમજ સરકાર દ્વારા બોન્ડમાં ફેરફાર કરવાના નિર્ણયને પગલે ડોક્ટરોમાં નારાજગી જોવા મળી રહી છે. જેમાં ડોકટરોએ કોવિડ ડ્યુટીના કામને બોન્ડમા બમણી રીતે બાદબાકી આપવા માંગ કરી રહ્યાં છે.

જો કે ડોકટરોની હડતાળના પગલે અમદાવાદ સિવિલમાં 60 ટકા ઓપરેશન હાલ મોકૂફ રાખવાની ફરજ જેમાં રોજના 250 થી 350 જેટલા પ્લાન ઓપરેશન થતા હોય છે. તેમજ પ્લાન્ડ ઓપરેશનમાં રેસિડેન્ટ ડોકટરોની ઉપસ્થિતિ જરૂરી હોય છે અને એ મુજબ જ આયોજન કરાતું હોય છે. પરતું અત્યારે માત્ર ઇમરજન્સી ઓપરેશન જ કરવામાં આવે છે.

આ પણ વાંચો :  Sushant Singh Rajput Case: સુશાંત સિંહ રાજપૂત પ્રકરણ મહારાષ્ટ્રને બદનામ કરવાનું ષડયંત્ર હતું, NCP પ્રવક્તા નવાબ મલિકનું નિવેદન

આ પણ વાંચો : Health Tips : વ્યંધત્વ પાછળ કયા કારણો હોય છે જવાબદાર ? શું છે ઈલાજ ?

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">