VIDEO: રાજ્યમાં સિઝનનો કુલ 140.98 ટકા વરસાદ, જાણો રાજ્યના કેટલા જળાશયો થયા પાણીથી છલોછલ
રાજ્યમાં ચાલુ વર્ષે મેઘરાજા મન મૂકીને મહેરબાન થતા સિઝનનો 140.98 ટકા વરસાદ નોંધાયો છે. જેને પગલે રાજ્યના જળાશયો પાણીથી છલોછલ ભરાયા છે. રાજ્યના 204 જળાશયોમાં હાલ કુલ સંગ્રહશક્તિના 94.52 ટકા પાણી ભરાયેલું છે. જે ગત વર્ષે માત્ર 54.81 ટકા જેટલુ જ હતુ. તો ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં પણ તેની કુલ જળક્ષમતા 98.26 ટકા […]
રાજ્યમાં ચાલુ વર્ષે મેઘરાજા મન મૂકીને મહેરબાન થતા સિઝનનો 140.98 ટકા વરસાદ નોંધાયો છે. જેને પગલે રાજ્યના જળાશયો પાણીથી છલોછલ ભરાયા છે. રાજ્યના 204 જળાશયોમાં હાલ કુલ સંગ્રહશક્તિના 94.52 ટકા પાણી ભરાયેલું છે. જે ગત વર્ષે માત્ર 54.81 ટકા જેટલુ જ હતુ. તો ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં પણ તેની કુલ જળક્ષમતા 98.26 ટકા પાણી ભરાયેલુ છે.
આ પણ વાંચો: VIDEO: ઓક્ટોબર મહિનાની આ તારીખ પછી રાજ્યમાંથી ચોમાસુ વિદાય લઈ શકે છે: હવામાન વિભાગ
આંકડા પ્રમાણે જોઈએ તો રાજ્યના 120 જળાશયો 70થી 100 ટકા ભરાયેલા છે. જ્યારે 17 જળાશયો 50થી 70 ટકા ભરાયેલા છે. તો 12 જળાશયોમાં 25થી 50 ટકા પાણીનો જથ્થો ભરાયેલો છે. જો ઝોન પ્રમાણે જળાશયોમાં રહેલા પાણીના જથ્થાની વાત કરીએ તો સૌથી વધુ દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 99.42 ટકા પાણી ભરાયેલું છે. તો મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 98.45 ટકા પાણીનો જથ્થો હાજર છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
સૌરાષ્ટ્રના 139 જળાશયોમાં 91.96 ટકા પાણીનો જથ્થો રહેલો છે. આ તરફ કચ્છના 20 જળાશયોમાં 76.63 ટકા પાણી ભરાયેલું છે. તો સૌથુ ઓછુ ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 74.21 ટકા પાણીનો જથ્થો સંગ્રહ થયેલો છે. ચાલુ વર્ષે રાજ્યના જળાશયો છલોછલ થતા રાજ્યમાં આગામી 2 વર્ષ પીવાના અને સિંચાઈના પાણીની સમસ્યા દૂર થઈ છે.