AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

27 જાન્યુઆરીના મહત્વના સમાચાર : રાજકોટ ગોંડલના 8 વર્ષ જૂના યુવરાજસિંહ જાડેજા હત્યા કેસમાં આરોપીને આજીવન કેદની સજા

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 28, 2026 | 9:04 AM
Share

અમરેલીના ધારીના ખીસરી ગામે લગ્નપ્રસંગમાં રોટલીના મુદ્દે ધીંગાણું, જાન લીલા તોરણે પાછી ફરી. રાજ્યમાં કડકડતી ઠંડી બાદ રાજ્યમાં આંશિક રાહત મળી છે. બે દિવસ બાદ ઠંડીનો ચમકારો ઘટ્યો છે. મહીસાગરના જુના ઝીંઝવા ગામે કૂવામાં કાર ખાબકી છે. નવસારીમાંથી આતંકી પ્રવૃતિ સાથે જોડાયેલ એક વ્યક્તિની એટીએસે ધરપકડ કરી છે. સુરતના તરસાડીમાં હોમગાર્ડે આત્મહત્યા કરી છે. વડોદરામાં ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર માર્ટીન જેકબે, દારુ પીને વાહન ચલાવી અકસ્માત સર્જ્યો હતો. પોલીસે તેની ધરપકડ કરી છે. કોંગ્રેસ કિસાન સેલે ખેતરમાં વીજપોલ નાખવા બદલે આવેદનપત્ર પાઠવ્યું છે. જેમાં પ્રત્યેક વીજપોલ દીઠ રૂપિયા 2 કરોડની માંગણી કરી છે.

27 જાન્યુઆરીના મહત્વના સમાચાર : રાજકોટ ગોંડલના 8 વર્ષ જૂના યુવરાજસિંહ જાડેજા હત્યા કેસમાં આરોપીને આજીવન કેદની સજા

અમરેલીના ધારીના ખીસરી ગામે લગ્નપ્રસંગમાં રોટલીના મુદ્દે ધીંગાણું, જાન લીલા તોરણે પાછી ફરી. રાજ્યમાં કડકડતી ઠંડી બાદ રાજ્યમાં આંશિક રાહત મળી છે. બે દિવસ બાદ ઠંડીનો ચમકારો ઘટ્યો છે. મહીસાગરના જુના ઝીંઝવા ગામે કૂવામાં કાર ખાબકી છે. નવસારીમાંથી આતંકી પ્રવૃતિ સાથે જોડાયેલ એક વ્યક્તિની એટીએસે ધરપકડ કરી છે. સુરતના તરસાડીમાં હોમગાર્ડે આત્મહત્યા કરી છે. વડોદરામાં ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર માર્ટીન જેકબે, દારુ પીને વાહન ચલાવી અકસ્માત સર્જ્યો હતો. પોલીસે તેની ધરપકડ કરી છે. કોંગ્રેસ કિસાન સેલે ખેતરમાં વીજપોલ નાખવા બદલે આવેદનપત્ર પાઠવ્યું છે. જેમાં પ્રત્યેક વીજપોલ દીઠ રૂપિયા 2 કરોડની માંગણી કરી છે.

આજે 27 જાન્યુઆરીને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 27 Jan 2026 08:01 PM (IST)

    રાજકોટ ગોંડલના 8 વર્ષ જૂના યુવરાજસિંહ જાડેજા હત્યા કેસમાં આરોપીને આજીવન કેદની સજા

    8 વર્ષ જૂના યુવરાજસિંહ જાડેજા હત્યા કેસમાં કોર્ટનો ચુકાદો. ખરેડાના શખ્સ અશ્વિનભાઈ મોહનભાઈ ગોહેલને ફટકારાઈ આજીવન કેદ. વર્ષ 2018માં રામ દ્વાર પાસેની રેસ્ટોરન્ટમાં બૂમો પાડવાની ના પાડતા યુવરાજસિંહ પર લાકડાના ધોકાથી હુમલો કરાયો હતો. સરકારી વકીલ ઘનશ્યામ ડોબરીયાની દલીલો ગ્રાહ્ય રાખી સેસન્સ જજ એમ.એ. ભટ્ટીએ સંભળાવી સજા. કેસના અન્ય આરોપીઓને મારપીટના ગુનામાં (IPC 323) દોષિત જાહેર કરાયા. હોટલમાં જમવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલીમાં યુવાને જીવ ગુમાવ્યો હતો, 8 વર્ષે પરિવારને મળ્યો ન્યાય.

  • 27 Jan 2026 07:46 PM (IST)

    મનપાઓની ચૂંટણીમાં કારમી હાર બાદ રાજ ઠાકરેએ બોલાવી મોટી બેઠક

    મહારાષ્ટ્રમાં મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં હાર મળ્યા બાદ, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ના પ્રમુખ રાજ ઠાકરેએ એક બેઠક બોલાવી છે. આ બેઠક આવતીકાલે સવારે 11 વાગ્યે મુંબઈના MIG ક્લબ ખાતે યોજાશે. મુંબઈના મુખ્ય પદાધિકારીઓ અને MNS પ્રમુખ રાજ ઠાકરે હાજર રહેશે. આ બેઠકમાં મુંબઈ ચૂંટણી લડી રહેલા 52 ઉમેદવારો, વિભાગના વડાઓ અને MNS ના વરિષ્ઠ નેતાઓ સામેલ થશે.

  • 27 Jan 2026 07:12 PM (IST)

    ગોધરા નગરપાલિકાના ઉપપ્રમુખ સુનિલ લાલવાણી- ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના વાઈસ ચેરમેન સુરેશ દેરાઈને ચાર વર્ષ કેદની સજા

    ગોધરા નગરપાલિકાના ઉપપ્રમુખ સુનિલ લાલવાણી અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના વાઈસ ચેરમેન સુરેશ દેરાઈને મારામારીના કેસમાં ચાર વર્ષની સજા ફટકારવામાં આવી છે. મારામારીના ગુન્હામાં 9 શખ્સને ચાર વર્ષની સજા ગોધરાની એડી. જ્યુડીશિયલ કોર્ટે વર્ષ 2024 કરી હતી સજા. આરોપીઓ દ્વારા ચુકાદાને સેશન કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. નીચલી કોર્ટના ચુકાદાને કાયમ રાખતી ગોધરા સેશન કોર્ટ. તમામ આરોપીઓને રાજકોટ મધ્યસ્થ મોકલી આપવામાં આવ્યા. ગોધરા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના વાઈસ ચેરમેન અને ગોધરાના પ્રેસિડેન્ટ ટ્રાવેલ્સ અને હુન્ડાઈ નો શોરૂમ ધરાવનાર સુરેશ દેરાઈ સહીત કુલ નવ આરોપીઓને ચાર વર્ષની સજા ફટકારતી કોર્ટ. ગોધરા નગરપાલિકાના ઉપપ્રમુખ સુનિલ લાલવાણી, ભાજપના વ્યવસાય સેલના સંયોજક અને પ્રેસિડેન્ટ ટ્રાવેલ્સના માલિક સુરેશ દેરાઈ , માજી કાઉન્સિલર સહીત નવ આરોપીઓ સામે 2014 માં થઇ હતી ફરિયાદ. 2014 ના વર્ષ માં ટ્રાવેલ્સના ધંધાની અદાવતમાં ગોધરા માં આવેલ શંકર લોજના માલિકને માર મારી ધમકી આપવાના કેસમાં થઇ સજા.

  • 27 Jan 2026 06:27 PM (IST)

    અમદાવાદમાં હાઉસિંગના મકાનોનું ચેકિંગ, ભાડે અપાયેલા કે બંધ હશે તો કરાશે સીલ

    અમદાવાદમાં હાઉસિંગના મકાનો પર ચેકિંગ હાથ ધરાયું છે. હાઉસિંગના મકાન ભાડે અપાતા હોય કે પછી લાંબા સમયથી બંધ રાખવામાં આવ્યું હોય તેવા મકાનોને સીલ કરવાની કાર્યવાહી કરાશે.સરકારી યોજના અંતર્ગત હાઉસિંગનું મકાન મેળવ્યા બાદ પણ તેનો ઉપયોગ માલિક દ્વારા કરાતો ના હોય તો કરાશે કાર્યવાહી. આગામી સમયમાં 1 મહિનામાં 1000 મકાનોનું કરાશે ચેકીંગ. 5629 મકાનોના ચેકિંગ દરમિયાન 372 મકાનની નોટીસ આપી 35 મકાનો સીલ કરાયા છે. 63 મકાનોને અંતિમ નોટિસ આપી છે. આગામી સમયમાં આવાસ યોજનાના વધુ મકાનો સીલ થાય તેવી શક્યતા.

  • 27 Jan 2026 05:48 PM (IST)

    અમદાવાદના રખિયાલમાંથી પીસ્ટલ અને 7 કારતૂસ સાથે યુવક ઝડપાયો

    અમદાવાદના રખિયાલમાંથી હથિયાર સાથે યુવકની ધરપકડ કરાઈ છે.  યામિનમિયા સૈયદ નામના 27 વર્ષીય યુવકની ધરપકડ કરવામાં આવી છે. યુવક પાસેથી પીસ્ટલ અને 7 કારતૂસ મળી આવ્યા છે. આરોપી 90 હજારમાં યુપીથી લાવ્યો હતો હથિયાર. અંગત અદાવતમાં સ્વબચાવ માટે હથિયાર રાખતો હોવાનો થયો ખુલાસો. રખિયાલ પોલીસે આર્મ્સ એક્ટનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી.

  • 27 Jan 2026 04:57 PM (IST)

    Breaking News: પદ્મ શ્રી હાજી રમકડુંનુ નામ મતદાર યાદીમાંથી કાઢવા ભાજપના કોર્પોરેટર સંજય મણવરે કરી અરજી

    જૂનાગઢમાંથી પદ્મ શ્રી હાજી રમકડુંનુ નામ મતદાર યાદીમાં કાઢવાનો પ્રયાસ ભાજપના કોર્પોરેટરે કર્યો છે. ભાજપના નગરસેવકે જ હાજી રમકડુનુ નામ મતદારયાદીમાંથી રદ કરવા અરજી કરતા ચકચાર મચી ગઈ છે. ફોર્મ નં. 7 રજૂ કરી હાજી રમકડુંનુ નામ કાઢવા ચૂંટણી પંચમાં અરજી કરાઈ છે. અન્યત્ર સ્થળાંતર થઈ ગયા હોવાનું કારણ જણાવીને સંબંધિત અધિકારી સમક્ષ અરજી કરવામાં આવી છે. વોર્ડ નં. 7 ના ભાજપના નગરસેવક સંજય મણવરે કરી અરજી હજુ તો બે દિવસ પહેલા હાજી રમકડુંનુ પદ્મશ્રી આપવાની થઈ છે જાહેરાત. જૂનાગઢના ધારાસભ્ય સહિતનાઓએ તેમના ઘરે જઈને સન્માનિત કર્યા હતા. પદ્મશ્રીની જાહેરાત થઈ ત્યારે તમામે જૂનાગઢનું ગૌરવ હોવાની કરી હતી જાહેરાત હવે હાજી રમકડું જૂનાગઢથી સ્થાળાંતર ગયા હોવાની અરજી થતા ચકચાર. કોંગ્રેસના નગરસેવકો બાદ પદ્મશ્રીનું નામ રદ કરવા અરજી થતા મોટો હોબાળો. મનપાના વિપક્ષ નેતા લલિત પણસારાએ ભાજપ અને ચૂંટણી પંચનો ઉધડો લીધો. ભાજપના નગરસેવક સામે કાર્યવાહી કરવા માંગ.

  • 27 Jan 2026 04:49 PM (IST)

    કપડવંજના ફતિયાબાદ પાસેથી પસાર થતી નર્મદા નહેરમાં એક યુવકે ઝંપલાવ્યું

    કપડવંજના ફતિયાબાદ પાસેથી પસાર થતી નર્મદા નહેરમાં એક યુવકે ઝંપલાવ્યું.  યુવકે કયા અગમ્ય કારણોસર આ પગલું ભર્યું છે તે હજુ જાણી શકાયું નથી. જોકે, નહેરના કિનારેથી યુવકનું એક્ટિવા અને ચપ્પલ મળી આવતા તેણે નહેરમાં ઝંપલાવ્યું હોવાની આશંકા પ્રબળ થઈ છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક તંત્ર અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો. હાલ સ્થાનિક તરવૈયાઓની મદદથી નહેરમાં યુવકની સઘન શોધખોળ હાથ ધરાઇ છે.

  • 27 Jan 2026 04:47 PM (IST)

    અમદાવાદ મ્યુ. કોર્પો. સંચાલિત સ્કૂલ બોર્ડે રજૂ કર્યું વર્ષ 2026-27 નું 1200 કરોડનું ડ્રાફટ બજેટ

    અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત સ્કૂલ બોર્ડનું વર્ષ 2026-27 નું 1200 કરોડનું ડ્રાફટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. રૂપિયા 1200 કરોડમાંથી 87 ટકા શાળાઓ માટે અને 13 ટકા વિદ્યાર્થીઓ પાછળ ખર્ચવામાં આવશે. 453 થી વધુ સ્કૂલો માટે શિક્ષણાધિકારી બજેટ રજૂ કર્યું હતું. ગત વર્ષે બજેટ ના 95% કામ પૂર્ણ થયા હોવાનો દાવો કરાયો છે. 1200 કરોડનું રજૂ કરાયેલા ડ્રાફ્ટ બજેટમાં 1044 કરોડ 87 % પગાર ખર્ચ થશે. જ્યારે 156 કરોડ શાળાના વિકાસ માટે જોગવાઈ કરાઈ છે.

  • 27 Jan 2026 04:35 PM (IST)

    ખેતરમાંથી પસાર થતા વીજપોલ મુદ્દે અપાયું આવેદનપત્ર, કંપની બધાને મફતમાં વીજળી આપતી હોય તો ખેડૂતોને વળતર નથી જોઈતું, બાકી વીજ પોલ દીઠ 2 કરોડ રૂપિયા આપે

    ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલીયાની આગેવાનીમાં જામનગરમાં રેલી યોજી ક્લેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવાયું રિલાયન્સ 765kv લાઈનનો આખો રૂટ બદલાવી દરિયા કાંઠેથી કિનારે કિનારે લઈ જવામાં આવે. પ્રતિ વીજ પોલ દીઠ 2 કરોડ રૂપિયા અથવા 2013ના જમીન સંપાદન કાયદા મુજબ માર્કેટ ભાવથી ચાર ગણું વળતર આપવામાં આવે. વીજ પોલ 25 – 30 વર્ષ સુધી ખેતરમાં રહેવાનો હોય તો એટલા વર્ષ સુધી ખેતરની ઘટતી કિંમત વળતરમાં સમાવેશ કરવામાં આવે. મોબાઈલ ટાવર કે પવનચક્કી જે રીતે મિલકત ધારકને માસિક / વાર્ષિક ભાડું આપે છે તેવી જ રીતે વીજ પોલ દીઠ ખેડૂતોને ભાડું આપવામાં આવે. 1885 નો ધ ટેલિગ્રાફ એકટ રદ્દ થઈ ગયો છે તો તે કાયદા મુજબ નોટિસ શા માટે આપવામાં આવે છે ?? કલેક્ટર નોટિસ 1885 ના ટેલિગ્રાફ એકટ મુજબ આપે તો વળતર રાજ્ય સરકારના પરિપત્રો મુજબ શા માટે નક્કી કરે છે ? જે કાયદા મુજબ નોટિસ આપો એ જ કાયદા મુજબ વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. કંપનીઓ વીજ લાઈન પસાર કરી ખર્વો – નિખર્વો કમાવાના છે તો ખેડૂતોને નજીવું વળતર કેમ ? મિલકત અમારી તો વળતર બીજુ કોઈ નક્કી શા માટે કરે ?

    જો ખાનગી વીજ કંપનીઓ મફત વીજળી આપવાના હોય તો અમારે પણ વળતર નથી જોતું. કંપની એમનો ધીકતો ધંધો કરવા માટે અમારી મિલ્કતનો અમારી મરજી વગર ઉપયોગ કેવીરીતે કરી શકે ? બંધારણે અમને મિલકત ધારણ કરવાનો અધિકાર આપ્યો છે ખાનગી કંપનીઓ માટે સરકાર તેના પર તરાપ મારે છે. કાયદા મુજબ ખેડૂતોને પોલીસ પ્રોટેક્શન મળવું જોઈએ ને સરકાર ખાનગી કંપનીઓને આપે છે. કંપની દ્વારા કરેલ દરેક કાગળ ખેડૂતોને શા માટે આપવામાં આવતા નથી ? સરકાર અમને પૂરતું વળતર ના આપે, કંપનીના કાગળો ના આપે તો સરકાર ખેડૂત તરફી છે કે કંપની માટે ? તે જાહેર કરવામાં આવે.

  • 27 Jan 2026 03:19 PM (IST)

    Breaking News : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી માર્ટિન જેકબની ધરપકડ

    વડોદરામાં ભારતીય ટીમનાં પુર્વ ક્રિકેટર જેકોબ માર્ટિનની ધરપકડ કરવામાં આવી છે. વડોદરામાં દારૂ પીને કાર હંકારી જેકોબે અકસ્માત સર્જ્યો. અકોટામાં મોડીરાત્રે જેકોબે અન્ય વાહનોને ટક્કર મારી હતી. નશામાં ધૂત પૂર્વ ક્રિકેટર કાર લઈ ફરાર થઈ ગયો હતો.

  • 27 Jan 2026 12:41 PM (IST)

    સુરતઃ તરસાડીમાં હોમગાર્ડે આત્મહત્યા કરતા ચકચાર

    સુરતઃ તરસાડીમાં હોમગાર્ડે આત્મહત્યા કરતા ચકચાર મચી ગઇ છે.  કોસંબા પોલીસ સ્ટેશનના હોમગાર્ડ નીતિન જોશીએ આપઘાત કર્યો. ફરજ પુરી કરી ઘરે આવી રૂમમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. ભાઈ-ભાભીએ જોતા તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો. હોસ્પિટલમાં ફરજ પરના ડોકટરે યુવકને મૃત જાહેર કર્યો. પોલીસે મૃતદેહને પી.એમ માટે ખસેડ્યો. પોલીસે આપઘાતના કારણ અંગે તપાસ હાથ ધરી.

  • 27 Jan 2026 12:08 PM (IST)

    રાજકોટઃ શહેરમાં પણ સરકારી બેંકોના કર્મચારીઓ હડતાળમાં જોડાયા

    રાજકોટ શહેરમાં પણ સરકારી બેંકોના કર્મચારીઓ હડતાળમાં જોડાયા છે. સપ્તાહમાં પાંચ દિવસ કામ કરવાની માંગને લઈને બેંક કર્મચારીઓ દ્વારા હડતાળનું આહ્વાન કરવામાં આવ્યું છે. રાજકોટના જ્યુબલી બાગ ચોક સ્થિત બ્રાન્ચ ખાતે બેંક કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કરીને કામકાજ બંધ રાખ્યું હતું. બેંક કર્મચારીઓની હડતાળના કારણે શહેરમાં કરોડો રૂપિયાના નાણાકીય વ્યવહારો અટવાઈ ગયા છે, જેના કારણે ગ્રાહકો અને વેપારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

  • 27 Jan 2026 11:10 AM (IST)

    આતંકી સંગઠન સાથે જોડાયેલા વ્યક્તિની ધરપકડ

    ગુજરાત ATSએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. આતંકી સંગઠન સાથે જોડાયેલા વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. નવસારીના ફૈઝાન શેખની ATSએ ધરપકડ કરી. ફૈઝાન જૈશ-એ-મહોમ્મદ અને અલ કાયદા સાથે જોડાયેલો છે. આરોપી આતંકી જૂથોની વિચારધારાથી કટ્ટરપંથી બન્યો. ફૈઝાન શેખે આતંક અને ભય ફેલાવવા હથિયારો અને દારૂગોળો ખરીદ્યા. ગેરકાયદે હથિયાર અને દારૂગોળો ખરીદ્યા હોવાનો ખુલાસો થયો છે. ફૈઝાન મૂળ રામપુરામાં ડૂંડાવાળાનો વતની છે. ATSએ નવસારીના ચારપુલથી ધરપકડ કરી.

  • 27 Jan 2026 10:06 AM (IST)

    મહીસાગરઃ જુના ઝીંઝવા ગામે કૂવામાં કાર ખાબકવાનો મામલો

    મહીસાગરઃ જુના ઝીંઝવા ગામે કૂવામાં કાર ખાબકવાના મામલામાં ફાયર વિભાગે ભારે જહેમત બાદ ક્રેનની મદદથી કાર બહાર કાઢી. અગમ્ય કારણોસર કાર કૂવામાં ખાબકી હતી. ચાલકનો મૃતદેહ અને કારને બહાર કાઢવા રેસ્ક્યૂ આપરેશન ચલાવવામાં આવી રહ્યુ છે. પોલીસે મૃતદેહને પી.એમ માટે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

  • 27 Jan 2026 09:47 AM (IST)

    નવસારીઃ સહિત સમગ્ર જિલ્લામાં ધુમ્મસ છવાયુ

    નવસારીઃ સહિત સમગ્ર જિલ્લામાં ધુમ્મસ છવાયુ. સવારે 9:30 વાગ્યા સુધી ધુમ્મસનું સામ્રાજ્ય છવાયેલું રહ્યું. ધુમ્મસના કારણે કેરી પાકમાં મોટા નુકસાનની ભીતિ છે. ધુમ્મસના કારણે મોર કાળા પડવાની શરૂઆત થઈ. વાદળછાયા વાતાવરણ અને ધુમ્મસના કારણે મોરનું ખરણ થવાની શરૂઆત થઇ છે.

  • 27 Jan 2026 09:21 AM (IST)

    રાજકોટઃ ઉપલેટાના ગ્રામ્ય પંથકમાં જંગલી પ્રાણીનો આતંક

    રાજકોટઃ ઉપલેટાના ગ્રામ્ય પંથકમાં જંગલી પ્રાણીનો આતંક જોવા મળી રહ્યો છે. ઢાંક ગામના સરપંચ અને અન્ય એક વ્યક્તિ પર હુમલો કર્યો. હુમલામાં સરપંચ સહિત અન્ય એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે. ઈજાગ્રસ્તો સારવાર અર્થ ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખસેડાયા છે. સ્થાનિકોએ જાણ કરતા વન વિભાગે તપાસ હાથ ધરી છે. હુમલાની ઘટનાને લઈ સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

  • 27 Jan 2026 08:35 AM (IST)

    રાજ્યમાં કડકડતી ઠંડી બાદ આંશિક રાહત, બે દિવસ બાદ ઠંડીનો ચમકારો ઘટ્યો

    રાજ્યમાં કડકડતી ઠંડી બાદ આંશિક રાહત મળી છે. બે દિવસ બાદ ઠંડીનો ચમકારો ઘટ્યો છે. સૂસવાટા મારતા પવનોએ વિરામ લીધો છે. હવામાન વિભાગ પ્રમાણે બે દિવસ ઠંડીમાં રાહત મળશે. આવતીકાલ બાદ ફરી ઠંડીનું જોર વધી શકે છે. બે દિવસ બાદ ફરી હાડ થીજવતી ઠંડીની શક્યતા છે.

  • 27 Jan 2026 08:34 AM (IST)

    રાજકોટઃ ધોરાજી નગરપાલિકાની પાણીની લાઈનમાં ભંગાણ

    રાજકોટઃ ધોરાજી નગરપાલિકાની પાણીની લાઈનમાં ભંગાણ પડ્યુ છે. લાઈનમાં ભંગાણ સર્જાતા પાણીના ફુવારા છૂટ્યા. ધોરાજીના જમનાવડ રોડ વિસ્તારમાં પાણીની પાઈપલાઈનમાં ભંગાણ થયું છે. હજારો લીટર પાણીનો વેડફાટ થઇ રહ્યુ છે.

  • 27 Jan 2026 08:07 AM (IST)

    અમરેલીઃ ધારીના ખીસરી ગામે લગ્નપ્રસંગમાં ખેલાયું ધીંગાણું

    અમરેલીઃ ધારીના ખીસરી ગામે લગ્નપ્રસંગમાં ધીંગાણું ખેલાયું. જમણવારમાં રોટલી પીરસવા જેવી બાબતમાં મારામારી થઇ. જાનૈયા અને માંડવીયા વચ્ચે ધીંગાણું ખેલાયું. લાકડી અને પાઇપ વડે એકબીજા પર હુમલો કરાયો. ટોળા પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કરાયો. મારામારીમાં બંને પક્ષના 15 લોકોને ઈજા થઈ. 2 ઇજાગ્રસ્તની તબિયત લથડતા અમરેલી રીફર કરાયા. ધારી પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી.

  • 27 Jan 2026 07:52 AM (IST)

    મહીસાગરઃ ખાનપુર ગામે સરપંચે સર્જેલા અકસ્માતમાં મોટો ખુલાસો

    મહીસાગરઃ ખાનપુર ગામે સરપંચે સર્જેલા અકસ્માતમાં મોટો ખુલાસો થયો છે. સરપંચ અને તેનો સાથી દારૂના નશામાં હોવાનો ખુલાસો થયો છે. ગાડી રોંગ સાઈડમાં ચલાવી કારને ટક્કર મારી હતી. અકસ્માતમાં બાળક સહિત 3 વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા. બાકોર પોલીસે સરપંચ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી.

  • 27 Jan 2026 07:46 AM (IST)

    સુરેન્દ્રનગરઃ ચુલી ગામ પાસે ઝડપાયો વિદેશી દારૂ

    સુરેન્દ્રનગરઃ ચુલી ગામ પાસે વિદેશી દારૂ ઝડપાયો. આશીર્વાદ હોટેલના કમ્પાઉન્ડમાં ઉભેલા ટ્રકમાંથી દારૂ ઝડપાયો. ટ્રકના ચોરખાનામાંથી વિદેશી દારૂની 25 હજાર બોટલ મળી. LCBએ 87.56 લાખનો વિદેશ દારૂનો જથ્થો જપ્ત કર્યો. પોલીસે દારૂ સહિત 1.7 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો. પોલીસે રેડ કરતા આરોપીઓ  ફરાર થયા. પોલીસે ટ્રકના નંબરના આધારે તપાસ હાથ ધરી છે.
  • 27 Jan 2026 07:26 AM (IST)

    અમેરિકામાં ખતરનાક હિમવર્ષા, તાપમાન -31 ડિગ્રી સુધી ઘટી ગયું

    ઉત્તરપૂર્વ અમેરિકામાં એક ખતરનાક શિયાળુ વાવાઝોડું ત્રાટક્યું છે. ભારે હિમવર્ષા, ઠંડી અને વરસાદે અનેક રાજ્યોમાં વિનાશ મચાવ્યો છે. અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 25 લોકોના મોત નોંધાયા છે. આ વાવાઝોડાને કારણે અરકાનસાસથી ન્યૂ ઇંગ્લેન્ડ સુધીના 2,100 કિલોમીટરના વિસ્તારમાં તાપમાન ઠંડું પડી ગયું છે. આ વિસ્તારો માટે હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

  • 27 Jan 2026 07:23 AM (IST)

    અમેરિકાએ વેપાર કરારમાં વિલંબ કરવા બદલ દક્ષિણ કોરિયાને ટેરિફ લગાવવાની ધમકી આપી

    અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર દક્ષિણ કોરિયાને વેપાર કરારમાં વિલંબ થવા પર 25% સુધીના ટેરિફ લગાવવાની ધમકી આપી છે. ટ્રમ્પ માને છે કે દક્ષિણ કોરિયાની સંસદ અમેરિકા સાથેના તેના કરારનું પાલન કરી રહી નથી. તેથી, તેઓ કડક પગલાં લઈ રહ્યા છે.

  • 27 Jan 2026 07:22 AM (IST)

    હજ યાત્રાળુઓ માટે નવા નિયમો

    સલામતીના કારણોસર, હજ યાત્રાળુઓને હજ દરમિયાન પોતાનો ખોરાક જાતે રાંધવાની મંજૂરી આપવામાં આવશે નહીં. રસોઈ દરમિયાન આગ લાગવાનું જોખમ રહેલું છે. આ માહિતી કાનપુર તન્ઝીમ ખુદામ આઝમીન-એ-હજ દ્વારા તાજેતરમાં બાંસમંડીમાં યોજાયેલા હજ તાલીમ શિબિરમાં આપવામાં આવી હતી.

Published On - Jan 27,2026 7:21 AM

Follow Us
વિરમગામના ખેડૂતોએ અધિકારીઓ અને સ્થાનિક નેતા સામે મોરચો માંડ્યો
વિરમગામના ખેડૂતોએ અધિકારીઓ અને સ્થાનિક નેતા સામે મોરચો માંડ્યો
બનાસકાંઠા ઉણ ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ!
બનાસકાંઠા ઉણ ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ!
ભાવનગર SDMના નામે ડ્રાઈવરે લીધા 10 લાખ ! CCTV થયા વાયરલ
ભાવનગર SDMના નામે ડ્રાઈવરે લીધા 10 લાખ ! CCTV થયા વાયરલ
જાણીતા સિંધી માર્કેટમાં ભીષણ આગ, ચીફ ફાયર ઓફિસર સહિતનો કાફલો ઘટનાસ્થળે
જાણીતા સિંધી માર્કેટમાં ભીષણ આગ, ચીફ ફાયર ઓફિસર સહિતનો કાફલો ઘટનાસ્થળે
Breaking news: પશુપાલકો દ્વારા 19 માર્ચે દહેગામ બંધ, જુઓ વીડિયો
Breaking news: પશુપાલકો દ્વારા 19 માર્ચે દહેગામ બંધ, જુઓ વીડિયો
ડાકોર મંદિરના શિખર પર ભક્તો હવે જાતે જ ચઢાવી શકાશે ધજા
ડાકોર મંદિરના શિખર પર ભક્તો હવે જાતે જ ચઢાવી શકાશે ધજા
અમદાવાદના KOMO BY KAFFAમાં ગાર્લિક બ્રેડમાં માખી ફ્રાય કરીને પીરસાઈ
અમદાવાદના KOMO BY KAFFAમાં ગાર્લિક બ્રેડમાં માખી ફ્રાય કરીને પીરસાઈ
વડોદરામાં અનોખો ધર્મ પરિવર્તન કેસ, મૂળ ઓળખ થતાં યુવકે લીધો નિર્ણય
વડોદરામાં અનોખો ધર્મ પરિવર્તન કેસ, મૂળ ઓળખ થતાં યુવકે લીધો નિર્ણય
અમદાવાદની શાળાને ધમકીભર્યા મેઈલ મળતા ICSE બોર્ડની પરીક્ષા અટવાઈ-Video
અમદાવાદની શાળાને ધમકીભર્યા મેઈલ મળતા ICSE બોર્ડની પરીક્ષા અટવાઈ-Video
ગુજરાત ATSએ 6 કિલો મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું
ગુજરાત ATSએ 6 કિલો મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું
g clip-path="url(#clip0_868_265)">