ગુજરાતમાં કોરોનાના નવા 162 કેસ, બે લોકોએ જીવ ગુમાવ્યો
ગુજરાતમાં કોરોનાના નવા કેસો સતત ઘટાડો રહ્યો છે. જેમાં 01 માર્ચના રોજ નવા 162 કેસ નોંધાયા છે. જેમાં બે લોકોએ કોરોનાને લીધે જીવ ગુમાવ્યો છે.
ગુજરાતમાં(Gujarat) કોરોનાના(Corona) નવા કેસો સતત ઘટાડો રહ્યો છે. જેમાં 01 માર્ચના રોજ નવા 162 કેસ નોંધાયા છે. જેમાં બે લોકોએ કોરોનાને લીધે જીવ ગુમાવ્યો છે.ગુજરાતમાં આજે 333 દર્દી સાજા થયા છે . રાજ્યમાં 2 લોકોના મોત થયા છે. જેમાં વડોદરા(Vadodara) જિલ્લામાં કોરોનાથી બેમોત થયા છે. રાજ્યમાં સતત 4 દિવસથી 2-2 દર્દીના મોત નોંધાઈ રહ્યા છે. જ્યારે રાજ્યનો રિકવરી રેટ વધીને 98.97 ટકા થઈ ગયો છે. જેમાં આજે સૌથી વધારે કેસ અમદાવાદ માં 65, વડોદરામાં 23, રાજકોટમાં 08 , સુરતમાં 11, ગાંધીનગરમાં 03, જામનગરમાં 01 અને ભાવનગર અને જૂનાગઢમાં શૂન્ય કેસ નોંધાયા છે.
કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને મહત્વની જાહેરાત કરાઈ
ઉલ્લેખનીય છે, રાજ્યમાં કોરોનાના કેસમાં રોજેરોજ ઘટાડો નોંધાઈ રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા સોમવારે કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને મહત્વની જાહેરાત કરાઈ છે. રાજ્યમાં હવે લગ્ન પ્રસંગ અને સામાજીક પ્રસંગમાં લોકોની હાજરીની નિયત સંખ્યાની મર્યાદા દૂર કરવામાં આવી છે. સાથે ગૃહ વિભાગે લગાવેલા નિયંત્રણો દૂર કરી દીધા છે. એટલું જ નહીં આ નિયંત્રણો 31મી માર્ચ સુધી જાહેર અને સામાજીક તથા રાજકીય કાર્યક્રમમાં નિયત કરાયેલી સંખ્યાની મર્યાદા દૂર કરવામાં આવી છે. જાહેરસ્થળો પર માસ્ક અને સામાજિક અંતર ફરજીયાતનો નિયમ યથાવત રાખવામાં આવ્યો છે. સરકારી કચેરીઓમાં મુલાકાતીઓ 2 માર્ચથી કોવિડ વેક્સિન લીધાનું સ્વપ્રમાણિત પ્રમાણપત્ર રજૂ કરી પ્રવેશ મેળવી શકશે.
વેક્સિનેશન સર્ટિફિકેટ બતાવવું આવશ્યક રહેશે નહી
જેમાં કોવિડ એપ્રોપ્રિએટ બિહેવીયર અન્વયે ફરજિયાત માસ્ક, સોશિયલ ડિસ્ટન્સીંગ, જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધ અને સેનીટાઇઝેશન-વારંવાર હાથ ધોવાના નિયમો યથાવત રહેશે. તેમજ બંધ જગ્યાએ યોગ્ય વેન્ટીલેશન રાખવાનું રહેશે. જ્યારે સરકારી કચેરીઓમાં મુલાકાતીઓ હવે તા. ર માર્ચ-ર૦ર૨ થી કોવિડ વેક્સિન લીધાનું સ્વપ્રમાણિત પ્રમાણપત્ર રજુ કરી પ્રવેશ મેળવી શકશે. વેક્સિનેશન સર્ટિફિકેટ બતાવવું આવશ્યક રહેશે નહી. તેમજ ભારત સરકાર દ્વારા જારી કરાયેલી કોવિડ સંક્રમણ નિયંત્રણ ગાઇડ લાઇન્સનો તા. ૩૧ માર્ચ ર૦રર સુધી રાજ્યમાં અમલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ બેઠકમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, આરોગ્ય રાજ્ય મંત્રી નિમીષાબહેન સહિત મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજકુમાર, ગૃહના અધિક મુખ્ય સચિવ રાજકુમાર અને વરિષ્ઠ અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો : Rajkot :કથિત કમિશન કાંડમાં ગૃહ વિભાગની કામગીરીને જગજીવન સખિયાએ આવકારી, કહ્યું સરકાર પર દ્રઢ વિશ્વાસ
આ પણ વાંચો : Surat :US-UK એરલાઇન્સ સુરતથી ફ્લાઇટ્સ શરૂ કરી શકે છે, કેન્દ્રએ દ્વિપક્ષીય કરારને લીલી ઝંડી આપી