Rajkot :કથિત કમિશન કાંડમાં ગૃહ વિભાગની કામગીરીને જગજીવન સખિયાએ આવકારી, કહ્યું સરકાર પર દ્રઢ વિશ્વાસ

રાજકોટના કથિત કમિશન કાંડમાં ગૃહ વિભાગે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની SRP તાલીમમાં બદલી કરી છે. જ્યારે ફરિયાદી જગજીવન સખિયાએ સરકારે રાજકોટ પોલીસ કમિશકાંડ પર લીધેલા પગલાંને આવકાર્યા છે.. તેમણે કહ્યું છે કે ગુજરાતના ઇતિહાસમાં આ રીતના પગલાં પ્રથમ વખત લેવાયા છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 01, 2022 | 8:31 PM

ગુજરાતમાં રાજકોટના(Rajkot)  કથિત કમિશન કાંડમાં(Commission Kand) ગૃહ વિભાગે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની SRP તાલીમમાં બદલી કરી છે. જ્યારે ફરિયાદી જગજીવન સખિયાએ(Jag Jivan Sakhiya)  સરકારે રાજકોટ પોલીસ કમિશકાંડ પર લીધેલા પગલાંને આવકાર્યા છે.. તેમણે કહ્યું છે કે ગુજરાતના ઇતિહાસમાં આ રીતના પગલાં પ્રથમ વખત લેવાયા છે અને સરકાર આગામી દિવસોમાં પણ આવી કોઇ ઘટના બને તો અસરકારક પગલાં લેશે તેનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે

બે પોલીસ અધિકારી સહિત 3ને સસ્પેન્ડ કરાયા

ત્યારે કમિશન કાંડ અંગે આક્ષેપ કરનાર ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે સરકારનો આભાર માન્યો છે.. તેમણે જણાવ્યું છે કે ફરિયાદીએ મને રજૂઆત કરી અને મે સરકારમાં આ મામલો ઉજાગર કર્યો.રાજ્ય સરકારે તટસ્થ તપાસ કરી અને અંતે પોલીસ કમિશનરની બદલી કરવામાં આવી.બે પોલીસ અધિકારી સહિત 3ને સસ્પેન્ડ કરાયા છે. હજી પણ તપાસ ચાલુ છે અને વધુ તપાસમાં જેના પણ નામ આવશે. તેમની પર કાર્યવાહી કરવામાં આવશે.

 પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની જૂનાગઢ ટ્રેનિંગ સેન્ટરમાં બદલી

ઉલ્લેખનીય છે કે, રાજકોટના બહુચર્ચિત પોલીસ કમિશનકાંડ મામલે આજે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની બદલી કરવામાં આવી છે. નોંધનીય છે . પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની જૂનાગઢ ટ્રેનિંગ સેન્ટરમાં બદલી કરવામાં આવી છે. આ સાથે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સામે ખાતાકીય તપાસ પણ હાથ ધરાશે. આ સિવાય PI વી.કે.ગઢવી, PSI એસ.બી.સાખરા અને હેડ કોન્સ્ટેબલ યોગેન્દ્રસિંહને ફરજ મોકુફ કરાયા છે. PI વી.કે.ગઢવી, PSI એસ.બી.સાખરા અને હેડ કોન્સ્ટેબલ યોગેન્દ્રસિંહ સામે પણ ખાતાકીય તપાસ હાથ ધરાશે. તમામ સામે લાંચ રુશવત વિરોધી બ્યુરોને તપાસ સોંપવામાં આવી છે અને તમામની અપ્રમાણસર મિલકતોની તપાસ હાથ ધરાશે.

આ પણ વાંચો : ગાંધીનગર શહેરની પાસે આવેલા અતિ પ્રાચીન ધોળેશ્વર મહાદેવ મંદિરનુ પૌરાણિક દષ્ટીએ છે અનેરુ મહત્વ

આ પણ વાંચો : Junagadh: ભવનાથમાં શિવરાત્રિનો મેળો આજે રાત્રે દિગંબર સાધુની રવાડી અને શાહી સ્નાન સાથે સંપન્ન થશે

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">