રાજ્યમાં બાયોડીઝલના નામે ભળતા પદાર્થોનું વેચાણ કરનારા સામે લેવાશે કાયદેસરના પગલા, CMએ આપી સૂચના

Illegal Sale of Bio diesel: રાજ્યમાં હાલ બાયોડીઝલની નહિવત ઉપલબ્ધતા હોવાથી રાજ્ય સરકાર દ્વારા બાયોડીઝલના છૂટક વેચાણને કે રીટેઈલ આઉટલેટ મારફતે બાયોડીઝલ વેચાણની મંજૂરી આપવામાં આવી નથી.

રાજ્યમાં બાયોડીઝલના નામે ભળતા પદાર્થોનું વેચાણ કરનારા સામે લેવાશે કાયદેસરના પગલા, CMએ આપી સૂચના
મુખ્યપ્રધાન વિજય રૂપાણી (ફાઈલ ફોટો)
Follow Us:
Kinjal Mishra
| Edited By: | Updated on: Jul 02, 2021 | 6:21 PM

Gandhinagar: રાજ્ય સરકાર દ્વારા બાયોડીઝલ (BioDiesel)ના નામે વેચાઈ રહેલા ભળતા પદાર્થો સામે લાલ આંખ કરવામાં આવી છે. આ પ્રકારના લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા નિર્ણય કરાયો છે. મહત્વનું છે કે શુક્રવારે CM નિવાસસ્થાને હાઈપાવર કમિટીની બેઠક યોજાઈ હતી, જેમાં આ નિર્ણય લેવાયો છે. આ પ્રકારના પદાર્થોનું વેચાણ અટકાવવા-નિયમીત ધોરણે સમીક્ષા અને દેખરેખ રાખવા આગામી દિવસોમાં મુખ્ય સચિવની અધ્યક્ષતામાં સ્ટેટ લેવલની કમિટીની પણ રચના કરવામાં આવશે.

જેમાં તેમાં રાજ્ય પોલીસ વડા, ગૃહ વિભાગ, નાણા વિભાગ, પૂરવઠા વિભાગ તેમજ અન્ય સંબંધિત વિભાગોના અધિકારીઓનો સભ્ય તરીકે સમાવેશ કરવાનો નિર્ણય આ બેઠકમાં લેવામાં આવ્યો હતો. આ કમિટી નિયમિત ધોરણે આ બાબતોની દેખરેખ રાખશે તેમજ બાયોડીઝલના નામે અનઅધિકૃત પદાર્થોનું વેચાણએ રાજ્ય સરકારની આવકને નુકસાન કરવા સાથે વાહનચાલકોના વાહનોના એન્જિન તેમજ પર્યાવરણને પણ નુકશાનકર્તા હોવાથી આવા પદાર્થોનું અનઅધિકૃત વેચાણ બંધ કરાવવા સંબંધિત અધિકારીઓને આકરા પગલાં લેવા પણ બેઠકમાં તાકીદ કરવામાં આવી હતી.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

બાયોડીઝલના વેચાણને લઈને કેટલાક નવા નિયમો બનાવવા આવ્યા છે, જે આ પ્રમાણે છે

1. બાયોડીઝલના નામે ભળતા સોલવંટ- પેટ્રોલિયમ પદાર્થોની આયાત સદંતર અટકાવવા સૂચના.

2. હવે બાયોડીઝલનું વેચાણ રિટેઈલ આઉટ લેટ મારફતે થઈ શકશે નહીં.

3. ઉપલબ્ધતાના આધારે ઓઈલ માર્કેટીંગ કંપની બાયોડીઝલ ખરીદીને સોર્સ પર બ્લેન્ડીંગ કરી વેચાણ કરી શકશે.

4. શુદ્ધ બાયોડીઝલ ઉત્પાદન કરવા MSME સહિતના ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહિત કરાશે.

5. આવા ઉત્પાદકો GPCB સહિતની જરૂરી નિયત મંજૂરીઓ મેળવી ઓઈલ માર્કેટીંગ કંપનીઓને અને ઔદ્યોગિક હેતુ માટે વેચાણ કરી શકશે.

મહત્વનું છે કે ભારત સરકારની બાયોડીઝલને લઈને ખાસ નીતિ બનાવવામાં આવી છે, ત્યારે આ નીતિને રાજ્યમાં કયા સ્વરૂપે સ્વીકારવી તથા અમલીકરણ કરવું એ સંદર્ભમાં જરૂરી ચર્ચા-વિચારણાઓ પણ બેઠકમાં હાથ ધરાઈ હતી. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં હાલ બાયોડીઝલની નહિવત ઉપલબ્ધતા હોવાથી રાજ્ય સરકાર દ્વારા બાયોડીઝલના છૂટક વેચાણને કે રીટેઈલ આઉટલેટ મારફતે બાયોડીઝલ વેચાણની મંજૂરી આપવામાં આવી નથી.

આ સંજોગોમાં બાયોડીઝલનું વેચાણ રિટેઈલ આઉટલેટ મારફતે કરી શકાશે નહીં, ફકત ઓઈલ માર્કેટીંગ કંપની બાયોડીઝલ ખરીદીને સોર્સ પર બ્લેન્ડીંગ કરીને વેચાણ કરી શકશે. ઓઈલ માર્કેટીંગ કંપની સિવાયનું તમામ વેચાણ ગેરકાયદેસર ગણાશે એવું સ્પષ્ટપણે બેઠકમાં જણાવવામાં આવ્યું હતું. બાયોડીઝલને હાઈસ્પીડ ડીઝલમાં નિયત માત્રામાં મિક્ષ/બ્લેન્ડીંગ કરીને ઉપયોગ કરવાની ભારત સરકારની નીતિ છે. આના પરિણામે પેટ્રોલિયમ ઉત્પાદનો પરની નિર્ભરતા ઘટશે તેમજ પેટ્રોલિયમ પેદાશો પર થતા વિદેશી હૂંડિયામણમાં પણ ઘટાડો થશે, તે અંગે આ બેઠકમાં ચર્ચા-વિચારણા પરામર્શ હાથ ધરવામાં આવ્યો હતો.

શુદ્ધ બાયોડીઝલનું ઉત્પાદન જેટ્રોફા, કરંજતેલ, બળેલા તેલ વગેરેમાંથી મિથાઈલ અથવા ઈથાઇલ એસ્ટરના મિશ્રણથી થતું હોય છે. આવું શુદ્ધ બાયોડીઝલ બનાવતા MSME સહિતના ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન મળે તેમજ ખેડૂતોને પણ પૂરક આવક મળી રહે તેવા હેતુથી આવા ઉત્પાદકો-ઉદ્યોગ સાહસિકોને GPCBની તેમજ અન્ય નિયત મંજૂરીઓ મેળવી ઓઈલ માર્કેટીંગ કંપનીઓને હાઈસ્પીડ ડીઝલ સાથે મિશ્રણ કરવા અને ઔદ્યોગિક હેતુ માટે વેચાણ કરી શકે તે સંદર્ભની સૂચનાઓ-માર્ગદર્શિકા આગામી દિવસોમાં જાહેર કરવા અંગે પણ આ ઉચ્ચસ્તરીય બેઠકમાં પરામર્શ થયો હતો.

આવા ઉત્પાદન અને વેચાણની વિગતો સરકાર સમક્ષ રજૂ કરવાની રહેશે. એટલું જ નહીં, આ અંગે ઉત્પાદન અને વેચાણની વિગતોના યોગ્ય રેકોર્ડ પણ તેમણે નિભાવવાના રહેશે, એ બાબતે પણ આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો.

બેઠકમાં DyCM નિતિન પટેલ, ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા, પુરવઠા રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મુકીમ, મુખ્ય અગ્રસચિવ કે. કૈલાસનાથન, અધિક મુખ્ય સચિવ(ગૃહ) પંકજકુમાર, રાજય પોલીસ વડા આશીષ ભાટીયા, ચીફ કમિશ્નર(જી.એસ.ટી) જે.પી.ગુપ્તા, સચિવ અશ્વિનીકુમાર, પુરવઠા સચિવ મોહમ્મદ શાહિદ, નાણાં સચિવ મિલિંદ તોરવણે, ઓઈલ માર્કેટીંગ કંપનીના સ્ટેટ લેવલ કો-ઓર્ડીનેટર અન્ના દુરાઈ, સહિતના વિવિધ વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">