AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat : કોરોનાના લેટેસ્ટ અપડેટ સાથે જાણો રાજ્યના મહત્વના સમાચારો

ગુજરાતમાં 14 નવેમ્બરના કોરોના અપડેટ સાથે વાંચો રાજ્યના મહત્વના સમાચારો

Gujarat :  કોરોનાના લેટેસ્ટ અપડેટ સાથે જાણો રાજ્યના  મહત્વના સમાચારો
Gujarat 14 November Corona Update With important news of State
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 14, 2021 | 8:37 PM
Share

ગુજરાતના 14 નવેમ્બરના રોજ કોરોના વાયરસના નવા 26 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધારે 11 કેસ અમદાવાદ શહેરમાં, વડોદરામાં 06, વલસાડમાં 4, સુરતમાં 2, આણંદમાં 1, જૂનાગઠમાં 1 અને નવસારીમાં 1 કેસ નોંધાયો છે.જ્યારે રાજ્યમાં એકટિવ કેસની સંખ્યા 230 થઈ છે. તેમજ 06 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 224 દર્દીઓ સ્ટેબલ છે. જ્યારે આજે 22 દર્દીઓ સાજા  થયા છે. તેમજ મૃત્યુઆંક શૂન્ય રહ્યો છે.

રાજ્યમાં અત્યાર સુધી કુલ 818830 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જયારે કુલ 10090 લોકોના મૃત્યુ થયા છે.આપણે કોરોના ઉપરાંત

રાજ્યના અન્ય મહત્વના સમાચાર પર નજરી કરીએ તો

1. ગિરનાર લીલી પરિક્રમા : ભક્તોની આસ્થા સામે પ્રશાસન ઝૂક્યું, શ્રદ્ધાળુઓને 400ના જૂથમાં પરિક્રમાની        અપાઈ મંજૂરી

જૂનાગઢમાં ભાવિકો લીલી પરિક્રમા કરી શકશે. તંત્રએ ભાવિકોને 400-400ના જૂથમાં પરિક્રમા કરવાની છૂટ આપી છે. 19 નવેમ્બર સુધી ભાવિકો પરિક્રમા કરી શકશે. મોટી સંખ્યામાં ભાવિકો એકઠાં થતાં તંત્રએ નિર્ણય બદલ્યો છે. પહેલાં માત્ર 400 સાધુ-સંતોને જ પરિક્રમાની છૂટ આપવામાં આવી હતી.

2. ગુજરાતમાં રાજકોટ-અમદાવાદ ડિવિઝન વચ્ચે રેલ્વે લાઇનની વિદ્યુતીકરણની કામગીરી પૂરજોશમાં

ગુજરાતમાં(Gujarat)રાજકોટ(Rajkot)અને અમદાવાદ(Ahmedabad)ડિવિઝન વચ્ચે રેલ્વે લાઇનના વિદ્યુતીકરણની (Electrification)કામગીરી ચાલી રહી છે. જેમાં મહેસાણાથી (Mehsana)વિરમગામ અને સામખીયાળી (Samkhaliya)સેકશન સુધી રેલ્વે વિદ્યુતીકરણની કામગીરી ચાલી રહી છે. હાલમાં શુક્રવારે રાજકોટ અને અમદાવાદ ડિવિઝનના 58 કિ.મી.નું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

3. પેરાસેઇલિંગ દરમિયાન હવામાં લટકતા હતા પતિ-પત્ની અને અચાનક તૂટ્યું દોરડું, જાણો પછી શું થયું

દીવમાં ઠેર ઠેરથી લોકો એડવેન્ચર કરવા માટે પ્રવાસે આવતા હોય છે… ત્યારે આ જ રીતે નાગવા બીચ પર એડવેન્ચર કરવા આવેલા એક પ્રવાસી દંપતીને કડવો અનુભવ થયો છે.દંપતી પેરાસેઇલિંગ (Parasailing)કરી રહ્યા હતા..અને તે દરમિયાન જ બોટ અને પેરાશુટ વચ્ચે બાંધેલું દોરડું અચાનક તુટતા અકસ્માત સર્જાયો હતો… જોકે પેરાશૂટથી પ્રવાસીઓ નીચે દરિયામાં પટકાતા દંપતિને કોઈ ગંભીર ઈજા થઈ ન હતી.

4, જાણો શા માટે નર્મદા મહાઆરતી માટે શૂલપાણેશ્વર પાસે જ વિશાળ ઘાટ બનાવાયો, શું છે આ પ્રાચીન તીર્થનું મહત્વ અને ઈતિહાસ?

નર્મદા જિલ્લાના ગોરા ગામમાં પ્રાચીન તીર્થ શૂલપાણેશ્વર (Shoolpaneshwar)નજીક ભવ્ય ઘાટ બનાવવામાં આવ્યો છે. આ ઘાટ પર ગંગા અને યમુનાની જેમ નર્મદાની મહાઆરતી કરવામાં આવશે, જેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. રાજ્યના લોકોને ગંગા આરતીનો લ્હાવો લેવા માટે હરિદ્વાર સુધી જવાની જરૂર આ આરતીના પ્રારંભ બાદ નહીં પડે. અહીં ગંગા આરતી જેવી જ નિયમિત નર્મદા આરતી થશે. પણ શું આપ જાણો છો કે શા માટે નર્મદા મહાઆરતી માટે શૂલપાણેશ્વર પાસે જ વિશાળ ઘાટ બનાવાયો ?

5. ગુજરાતમાં કોરોના વેક્સિનના બુસ્ટર ડોઝ અંગે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલનું મહત્વનું નિવેદન, જાણો શું કહ્યું 

ગુજરાતમાં કોરોના વેક્સિનના બુસ્ટર ડોઝ અંગે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે મહેસાણા ખાતેના એક કાર્યક્રમમાં મહત્વનું નિવેદન આપ્યું છે. મહેસાણાના વિસનગરમાં આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે બુસ્ટર ડોઝ અંગે કહ્યું હતું કે, બુસ્ટર ડોઝ ઓન ગોઇંગ પ્રોસેસ છે.વૈજ્ઞાનિકો અને વાયરોલોજિસ્ટ દ્વારા પરીક્ષણ થઈ રહ્યા છે.જરૂર પડ્યે બુસ્ટર ડોઝ માટે પગલાં લેવાશે.

6 .ગુજરાતમાં કોરોનાના કેસો વધતાં સરકાર નાઇટ કરફ્યુનો સમય લંબાવે તેવી શકયતા

ગુજરાતમાં (Gujarat) દિવાળીના તહેવારોમાં અપાયેલી છૂટછાટને પગલે કોરોના(Corona)ફરી રાજ્યમાં દસ્તક આપી છે..તહેવારો બાદ રાજ્યભરમાં કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. જેમાં દૈનિક કેસોમાં ઉછાળો આવતા સરકાર રાત્રિ કરફ્યૂનો સમય ફરી લંબાવે તેવી શક્યતા છે.

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">