GTU ની આ પહેલ જાણીને તમને પણ થશે ગર્વ, હવે ભારતીય વેદ અને સંસ્કૃતિ ભણશે વિદેશી વિદ્યાર્થીઓ

Ahmedabad: GTU એ એક અનોખી પહેલ કરી છે. અને વેદ-પુરાણ આધારીત 12 જેટલા નવા કોર્સ શરૂ કર્યા છે. ચાલો જાણીએ આ કોર્સ કયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 03, 2021 | 7:20 AM

આધુનિક યુગમાં ભારતનો કલા-વારસો વિસરાઇ રહ્યો છે. ત્યારે ભારતીય સંસ્કૃતિને જીવંત રાખી શકાય અને દેશ-વિદેશના વિદ્યાર્થીઓ ભારતના કલા વારસાથી અવગત થાય તેવા શુભ હેતુથી GTU એ એક અનોખી પહેલ કરી છે. અને વેદ-પુરાણ આધારીત શરૂ કર્યા છે નવા 12 જેટલા કોર્સ. જી હા નવી શિક્ષણ નીતિને ધ્યાને રાખીને ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટી દ્વારા આ પહેલ કરવામાં આવી છે. નવા કોર્સની વાત કરીએ તો, ભારતની પ્રાચીન સંસ્કૃતિ, ઇતિહાસ, વેદ, ઉપનિષદ અને અર્થશાસ્ત્ર સહિતના 12 જેટલા ટુંકા સમયના કોર્સનો પ્રારંભ કરાયો છે. આપને જાણીને આનંદ થશે કે કોર્સની જાહેરાત થતાની સાથે જ 889 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાં દેશના 21 રાજ્યો અને વિદેશના 5 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

GTU દ્વારા તાજેતરમાં જ સ્ટડી ઓફ વેદાસ, પ્રાચીન ભારતીય વાસ્તુકલા, ભારતીય કલા, સ્ટડી ઓફ પુરાણ, પ્રાચીન રાજનીતિક વ્યવસ્થા, વૈદિક સંસ્કૃતિ, સ્ટડી ઓફ ઉપનિષદની શરૂઆત કરવામાં આવી છે. સાથે જ ભારતીય સંસ્કૃતિ, પ્રાચીન ભારતીય વિજ્ઞાન અને સાહિત્ય તથા ખગોળશાસ્ત્ર જેવા વિવિધ અભ્યાસક્રમો શરૂ કરવામાં આવ્યા છે. આ તમામ કોર્સમાં સૌથી વધુ 238 વિદ્યાર્થીઓએ વેદનો અભ્યાસ કરવા પ્રવેશ મેળવ્યો છે.

કયા કયા કોર્સની શરૂઆત થઇ?

સ્ટડી ઓફ વેદાસ અને સ્ટડી ઓફ ઉપનિષદ
પ્રાચીન ભારતીય વાસ્તુકલા અને ભારતીય સંસ્કૃતિ
ભારતીય કલા અને સ્ટડી ઓફ પુરાણ
પ્રાચીન રાજનીતિક વ્યવસ્થા અને વૈદિક સંસ્કૃતિ
પ્રાચીન ભારતીય વિજ્ઞાન અને પ્રાચીન સાહિત્ય
પ્રાચીન ખગોળશાસ્ત્ર અને ભારતીય વિચારધારા

 

આ પણ વાંચો: Ahmedabad: મનોરંજન પૂરતી મેટ્રોની મુસાફરી! 6 કિમી અંતર આપવામાં 20 મિનિટ, રોજના આટલા લોકો જ કરે છે યાત્રા

આ પણ વાંચો: Ahmedabad: મેલેરિયા, ડેન્ગ્યૂ અને ચિકનગુનિયાના સકંજામાં શહેર, જાણો ઓક્ટોબર મહિનામાં કેટલા આવ્યા કેસ

Follow Us:
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
g clip-path="url(#clip0_868_265)">