GSRTC 50 ઈલેક્ટ્રીક બસો દોડાવશે , જાણો ઈ-બસમાં મુસાફરોને કઈ કઈ સુવિધાઓ મળશે

20 બસ અમદાવાદ-ગાંધીનગર, 20 બસ અમદાવાદ-વડોદરા અને 10 બસ રાજકોટ-જામનગર રૂટ પર દોડાવવામાં આવશે તેવો હાલ નિર્ણય કરાયો છે. જેમાં ફેરફાર પણ થઈ શકે છે.

GSRTC 50 ઈલેક્ટ્રીક બસો દોડાવશે , જાણો ઈ-બસમાં મુસાફરોને કઈ કઈ સુવિધાઓ મળશે
GSRTC will run 50 electric buses, find out what facilities passengers will get in e-bus
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Aug 17, 2021 | 5:05 PM

AHMEDABAD : ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC)ના બસ કાફલામાં 50 ઇલેક્ટ્રિક બસનો ઉમેરો થશે. ગ્રીન એનર્જીના ભાગ રૂપે ફેમ ટુ ઇન્ડિયા થીમ હેઠળ આ ઈ-બસો બસ ઉમેરાશે. પરિવહન ક્ષેત્રે ધરખમ ફેરફાર આવી રહ્યા છે, તેમજ વ્હીકલો પણ હાઈટેક થઈ રહ્યા છે.

GSRTCમાં આગામી દિવસો માં 50 ઇલેક્ટ્રિક બસ ઉમેરાશે. ઓલેકટ્રા ગ્રીન્ટેકને GSRTC દ્વારા 50 ઇલેક્ટ્રિક બસોનો ઓર્ડર આપવામાં આવ્યો છે.50 ઇલેક્ટ્રિક બસો 12 મહિનાના સમયગાળામાં આપવામાં આવશે. જેની શરૂઆત ત્રણ મહિના બાદ થઈ શકે છે. જેમાં ડિસેમ્બર-2021માં 25 બસ મળશે, જ્યારે માર્ચ 2022માં બીજી 25 બસ મળશે.

ઓલેકટ્રા ગ્રીન્ટેક કંપની કરારના સમયગાળા દરમિયાન આ બસોની જાળવણી પણ કરશે. જેમાં GSRTC કંપનીને અમદાવાદ ખાતે કૃષ્ણનગર અને રાજકોટ સહિતના સ્થળે જગ્યા આપશે.જે જગ્યા પર બસ રખાશે ત્યાં જ ચાર્જિંગ સ્ટેશન પણ બનાવાશે. આ બસ સામે GSRTC ઓલેકટ્રા ગ્રીન્ટેક કંપનીને કિલોમીટર દીઠ 60 રૂપિયા ઉપર ભાડું ચૂકવશે. જોકે બસની ખરીદી પર કેન્દ્ર સરકાર માંથીGSRTCને સબસીડી પણ મળશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

નવા ઓર્ડર સાથે ઇલેક્ટ્રિક બસો માટે ઓલેક્ટ્રાની કુલ ઓર્ડરની સંખ્યા લગભગ 1350 ઇલેક્ટ્રિક બસોની થશે. આ 50 બસ ઓર્ડર 353 બસો માટે જાહેર કરાયેલા L-1 બિડરનો જ એક ભાગ છે.

કંપની દ્વારા  GSRTC તરફથી 50 ઇલેક્ટ્રિક બસોનો ઓર્ડર મળ્યો હોવાની જાહેરાત કર્યાનું જણાવ્યું છે. જે નવા ઓર્ડરથી બુકીંગની સંખ્યા 1350 જેટલી બસો પર પહોંચી ગયું છે. જેમાં ગુજરાત માટે 250 બસ થશે. જેમાં 50 GSRTCમાં તો 50 બસ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જોવા મળશે.

ઈ-બસની ખાસિયતો

1)બસમાં આરામદાયક સવારી મળી રહેશે.,બસ 9-મીટર એર-કન્ડિશન્ડ બસો રહેશે

2)બસમાં ઇલેક્ટ્રોનિકલી નિયંત્રિત એર સસ્પેન્શન સાથે ડ્રાઈવર સહિત 33+ બેઠક ક્ષમતા રહેશે.

3)મુસાફરોની સુરક્ષા અને ઘટના જાણવા બસોમાં સીસીટીવી કેમેરા રખાશે.

4)એસી બસમાં ઇમરજન્સી બટન, ચારજિંગ માટે USB સોકેટ રહેશે.

5)બસ લિથિયમ-આયન બેટરી પર ચાલશે.

6) બસ ટ્રાફિક અને પેસેન્જર લોડની સાથે 180-200 કિમીની ગતિ પર ચાલી શકશે.

7)અદ્યતન ઇલેક્ટ્રિક બસમાં રિજનરેટિવ બ્રેકિંગ સિસ્ટમ છે.

8) હાઇ-પાવર એસી ચાર્જિંગ સિસ્ટમ બેટરીને 3-4 કલાકની વચ્ચે સંપૂર્ણપણે રિચાર્જ કરી શકાશે

9)આરામદાયક મુસાફરીની માટે બસમાં ઇલેક્ટ્રોનિકલી નિયંત્રિત એર સસ્પેન્શન રાખવામાં આવ્યાં છે.

10) પ્રદુષણ અને અવાજ રહિત બસ રહેશે.

11) પેસેન્જર એનાઉન્સમેન્ટ અને ઇન્ફોર્મેશન સિસ્ટમ વેહિકલ ટ્રેકિંગ સિસ્ટમ પણ રહેશે.

12) બસમાં ડ્રાઈવર માટે રૂટ વે કોમ્યુનિકેશન સિસ્ટમ પણ રહેશે.

ઈ-બસના સંભવિત રૂટ મળતી માહિતી પ્રમાણે ત્રણ મહિના બાદ આ ઇલેક્ટ્રિક બસ GSRTC ને મળી શકશે. જે બાદ 20 બસ અમદાવાદ-ગાંધીનગર, 20 બસ અમદાવાદ-વડોદરા અને 10 બસ રાજકોટ-જામનગર રૂટ પર દોડાવવામાં આવશે તેવો હાલ નિર્ણય કરાયો છે. જેમાં ફેરફાર પણ થઈ શકે છે.

હાલમાં જે પ્રક્રિયા કરાઈ રહી છે તે ક્યાંક ખાનગીકરણનો સંકેત છે. જોકે તેને એસ ટી નિગમ દ્વારા નકારી કાઢી ગ્રીન એનર્જી હેઠળ બસ લાવ્યાનું જણાવવામાં આવી રહ્યું છે. ઈ-બસ ની સુવિધાથી મુસાફરોને એક સારી સલામત અને અદ્યતન સુવિધા સાથેની સવારી મળશે. જે GSRTC અને ગુજરાત માટે એક ગર્વની વાત પણ ગણાશે.

આ પણ વાંચો : ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે સારથી પેપર બેંક એપ, 10 હજારથી વધુ પ્રશ્નપત્રો એક જ એપ્લીકેશનમાં મળશે

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">