AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GSRTC 50 ઈલેક્ટ્રીક બસો દોડાવશે , જાણો ઈ-બસમાં મુસાફરોને કઈ કઈ સુવિધાઓ મળશે

20 બસ અમદાવાદ-ગાંધીનગર, 20 બસ અમદાવાદ-વડોદરા અને 10 બસ રાજકોટ-જામનગર રૂટ પર દોડાવવામાં આવશે તેવો હાલ નિર્ણય કરાયો છે. જેમાં ફેરફાર પણ થઈ શકે છે.

GSRTC 50 ઈલેક્ટ્રીક બસો દોડાવશે , જાણો ઈ-બસમાં મુસાફરોને કઈ કઈ સુવિધાઓ મળશે
GSRTC will run 50 electric buses, find out what facilities passengers will get in e-bus
Darshal Raval
| Edited By: | Updated on: Aug 17, 2021 | 5:05 PM
Share

AHMEDABAD : ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC)ના બસ કાફલામાં 50 ઇલેક્ટ્રિક બસનો ઉમેરો થશે. ગ્રીન એનર્જીના ભાગ રૂપે ફેમ ટુ ઇન્ડિયા થીમ હેઠળ આ ઈ-બસો બસ ઉમેરાશે. પરિવહન ક્ષેત્રે ધરખમ ફેરફાર આવી રહ્યા છે, તેમજ વ્હીકલો પણ હાઈટેક થઈ રહ્યા છે.

GSRTCમાં આગામી દિવસો માં 50 ઇલેક્ટ્રિક બસ ઉમેરાશે. ઓલેકટ્રા ગ્રીન્ટેકને GSRTC દ્વારા 50 ઇલેક્ટ્રિક બસોનો ઓર્ડર આપવામાં આવ્યો છે.50 ઇલેક્ટ્રિક બસો 12 મહિનાના સમયગાળામાં આપવામાં આવશે. જેની શરૂઆત ત્રણ મહિના બાદ થઈ શકે છે. જેમાં ડિસેમ્બર-2021માં 25 બસ મળશે, જ્યારે માર્ચ 2022માં બીજી 25 બસ મળશે.

ઓલેકટ્રા ગ્રીન્ટેક કંપની કરારના સમયગાળા દરમિયાન આ બસોની જાળવણી પણ કરશે. જેમાં GSRTC કંપનીને અમદાવાદ ખાતે કૃષ્ણનગર અને રાજકોટ સહિતના સ્થળે જગ્યા આપશે.જે જગ્યા પર બસ રખાશે ત્યાં જ ચાર્જિંગ સ્ટેશન પણ બનાવાશે. આ બસ સામે GSRTC ઓલેકટ્રા ગ્રીન્ટેક કંપનીને કિલોમીટર દીઠ 60 રૂપિયા ઉપર ભાડું ચૂકવશે. જોકે બસની ખરીદી પર કેન્દ્ર સરકાર માંથીGSRTCને સબસીડી પણ મળશે.

નવા ઓર્ડર સાથે ઇલેક્ટ્રિક બસો માટે ઓલેક્ટ્રાની કુલ ઓર્ડરની સંખ્યા લગભગ 1350 ઇલેક્ટ્રિક બસોની થશે. આ 50 બસ ઓર્ડર 353 બસો માટે જાહેર કરાયેલા L-1 બિડરનો જ એક ભાગ છે.

કંપની દ્વારા  GSRTC તરફથી 50 ઇલેક્ટ્રિક બસોનો ઓર્ડર મળ્યો હોવાની જાહેરાત કર્યાનું જણાવ્યું છે. જે નવા ઓર્ડરથી બુકીંગની સંખ્યા 1350 જેટલી બસો પર પહોંચી ગયું છે. જેમાં ગુજરાત માટે 250 બસ થશે. જેમાં 50 GSRTCમાં તો 50 બસ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જોવા મળશે.

ઈ-બસની ખાસિયતો

1)બસમાં આરામદાયક સવારી મળી રહેશે.,બસ 9-મીટર એર-કન્ડિશન્ડ બસો રહેશે

2)બસમાં ઇલેક્ટ્રોનિકલી નિયંત્રિત એર સસ્પેન્શન સાથે ડ્રાઈવર સહિત 33+ બેઠક ક્ષમતા રહેશે.

3)મુસાફરોની સુરક્ષા અને ઘટના જાણવા બસોમાં સીસીટીવી કેમેરા રખાશે.

4)એસી બસમાં ઇમરજન્સી બટન, ચારજિંગ માટે USB સોકેટ રહેશે.

5)બસ લિથિયમ-આયન બેટરી પર ચાલશે.

6) બસ ટ્રાફિક અને પેસેન્જર લોડની સાથે 180-200 કિમીની ગતિ પર ચાલી શકશે.

7)અદ્યતન ઇલેક્ટ્રિક બસમાં રિજનરેટિવ બ્રેકિંગ સિસ્ટમ છે.

8) હાઇ-પાવર એસી ચાર્જિંગ સિસ્ટમ બેટરીને 3-4 કલાકની વચ્ચે સંપૂર્ણપણે રિચાર્જ કરી શકાશે

9)આરામદાયક મુસાફરીની માટે બસમાં ઇલેક્ટ્રોનિકલી નિયંત્રિત એર સસ્પેન્શન રાખવામાં આવ્યાં છે.

10) પ્રદુષણ અને અવાજ રહિત બસ રહેશે.

11) પેસેન્જર એનાઉન્સમેન્ટ અને ઇન્ફોર્મેશન સિસ્ટમ વેહિકલ ટ્રેકિંગ સિસ્ટમ પણ રહેશે.

12) બસમાં ડ્રાઈવર માટે રૂટ વે કોમ્યુનિકેશન સિસ્ટમ પણ રહેશે.

ઈ-બસના સંભવિત રૂટ મળતી માહિતી પ્રમાણે ત્રણ મહિના બાદ આ ઇલેક્ટ્રિક બસ GSRTC ને મળી શકશે. જે બાદ 20 બસ અમદાવાદ-ગાંધીનગર, 20 બસ અમદાવાદ-વડોદરા અને 10 બસ રાજકોટ-જામનગર રૂટ પર દોડાવવામાં આવશે તેવો હાલ નિર્ણય કરાયો છે. જેમાં ફેરફાર પણ થઈ શકે છે.

હાલમાં જે પ્રક્રિયા કરાઈ રહી છે તે ક્યાંક ખાનગીકરણનો સંકેત છે. જોકે તેને એસ ટી નિગમ દ્વારા નકારી કાઢી ગ્રીન એનર્જી હેઠળ બસ લાવ્યાનું જણાવવામાં આવી રહ્યું છે. ઈ-બસ ની સુવિધાથી મુસાફરોને એક સારી સલામત અને અદ્યતન સુવિધા સાથેની સવારી મળશે. જે GSRTC અને ગુજરાત માટે એક ગર્વની વાત પણ ગણાશે.

આ પણ વાંચો : ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે સારથી પેપર બેંક એપ, 10 હજારથી વધુ પ્રશ્નપત્રો એક જ એપ્લીકેશનમાં મળશે

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">