ઉત્તરાયણમાં ધાબા પર ભીડ ભેગી કરી તો થશે કાર્યવાહી, સરકારે કડક નિયમો જાહેર કર્યા

ઉત્તરાયણની ઉજવણી માટે ધાબા કે ખુલ્લા મેદાનમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થઇ શકશે નહીં. જો સોસાયટીમાં નિયમભંગ થશે તો સેક્રેટરીને જવાબદાર ગણવામાં આવશે.

ઉત્તરાયણમાં ધાબા પર ભીડ ભેગી કરી તો થશે કાર્યવાહી, સરકારે કડક નિયમો જાહેર કર્યા
Uttrayan celebrations (Symbolc Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 11, 2022 | 6:54 AM

ગુજરાતમાં કોરોનાના કેસ (Corona’s case) ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. બીજી તરફ ઉત્તરાયણ (uttrayan)ના પર્વને પણ થોડા જ દિવસ બાકી છે. પર્વની ઉજવણી (uttrayan)ના ઉત્સાહમાં કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે ગુજરાત સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે.

ધાબા પર ભીડ એકઠી ન કરવી

કોરોનાના કેર વચ્ચે પણ ગુજરાતીઓ ઉત્તરાયણનો પર્વ તો ઉજવી શકાશે. પરંતુ તેના માટે સરકારે બહાર પાડેલી ગાઇડલાઇનનું પાલન કરવું પડશે. રાજ્યના ગૃહ મંત્રાલયે એક જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં સ્પષ્ટ કહેવામાં આવ્યુ છે કે એક સાથે મોટી સંખ્યામાં એકઠા થઇને પતંગ ચગાવી શકાશે નહીં.જો વધુ ભીડ દેખાશે તો પોલીસ કાર્યવાહી કરશે.

સોસાયટીમાં રહેવાસી સિવાય અન્યને પ્રવેશ નહીં

સરકારે જાહેર કરેલા નિયમોની વાત કરીએ તો જાહેર સ્થળો, મેદાનો, રસ્તાઓ પર એકત્ર થઇને પતંગ ચગાવી શકાશે નહીં. પરિવારના નજીકના સભ્યો સાથે જ ઉત્તરાયણના પર્વની ઉજવણી કરવા સલાહ આપવામાં આવી છે. ધાબા કે ખુલ્લા મેદાનમાં માસ્ક વગર પતંગ ચગાવી શકાશે નહીં. એટલું જ નહિં સોસાયટી કે ફ્લેટના મેદાનમાં રહેવાસીઓ સિવાય કોઇને પણ પ્રવેશ પણ નહીં અપાય.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

સ્વજનો સાથે જ ઉજવણી કરી શકાશે

આ ઉપરાંત ઉત્તરાયણની ઉજવણી માટે ધાબા કે ખુલ્લા મેદાનમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થઇ શકશે નહીં. જો સોસાયટીમાં નિયમભંગ થશે તો સેક્રેટરીને જવાબદાર ગણવામાં આવશે. એટલું જ નહી લાઉડ સ્પિકર, ડી.જે અથવા મ્યુઝિક સિસ્ટમ વગાડવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તો 65 વર્ષથી વધુની ઉમરના, 10 વર્ષથી નીચેના બાળકો ઘરે રહે તેવી સલાહ આપી છે.

જાહેરનામામાં કોઇ રોગોથી પીડિત અથવા ગર્ભવતી મહિલાઓને પણ ઘરમાં જ રહેવા સલાહ આપી છે. આ ઉપરાંત પતંગ બજારમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે.

રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર શરુ થઇ ગઇ છે. ત્યારે સરકારે લોકોને પર્વની ઉજવણીની છુટ તો આપી દીધી છે. પરંતુ જો આ નિયમોનું પાલન નહીં થાય તો કડક કાર્ચવાહી થશે તેવો પણ જાહેરનામામાં ઉલ્લેખ કરાયો છે.

આ પણ વાંચોઃ

ગુજરાતમાં કોરોનાના 6097 કેસ નોંધાયા, બે વ્યકિતના મૃત્યુ, ઓમીક્રોનના 28 કેસ

આ પણ વાંચોઃ

Ahmedabad : આઇએમએમમાં કોરોનાનું સંક્રમણ ફેલાયું, 54 લોકો કોરોના પોઝિટિવ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">